Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!

Rajkot minor abortion: રાજકોટમાં 13 વર્ષિય બાળકી ગર્ભવતી બતનાં ગુજરાત હાઈકોર્ટે 33 અઠવાડિયાનો ગર્ભપાત કરાવવા મંજૂરી આપી દીધી છે. ગઈકાલે મંગળવારે સગીરા પોલીસ પ્રોટેક્શન સાથે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કિશોરી તેમજ પરિવારજનોની સહમતી મેળવ્યા ગર્ભપાતની પ્રક્રિયા બાદ હાથ ધરાઈ છે. કોર્ટે મેડિકલ રિપોર્ટ અને પરિવારની સંમતિના આધારે આ  ચૂકાદો  આપ્યો છે.  પરંતુ ગર્ભપાતની પ્રક્રિયા સગીરાના જીવન માટે જોખમી હોવાનું પણ નોંધાયું છે. આ પ્રક્રિયા પોલીસ પ્રોટેક્શન હેઠળ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે.

32 સપ્તાહ ગર્ભમાં શિશુ જીવી શકે, જેથી 33 સપ્તાહનો ગર્ભપાત અત્યુંત જોખમ

આ કેસમાં ગર્ભપાત કરવો એ તબીબો માટે પણ પડકારરુપ  સાબિત થઇ શકે છે, કારણ કે 32 સપ્તાહ ગર્ભ પછી એમાં રહેલું શિશુ  જીવી શકે એવું માનવામાં આવે છે અને આ કેસમાં બાળકીને 33 સપ્તાહનો ગર્ભ છે. જેથી તબીબો માટે પણ એક મોટો પડકાર છે. આજે  ડોક્ટરો ગર્ભપાત માટે પ્રોસેસ કરવામાં આવે એવી પૂરી શક્યતા રહેલી છે.

સગીરા પર બળાત્કાર ગુજારાયો હતો

રાજકોટમાં સગીરા પર તેના પિતરાઈ ભાઈ (પડોશમાં રહેતા યુવક) દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ ઘટના 29 એપ્રિલ 2025ના રોજ બહાર આવી હતી. શારિરીક શોષણના પરિણામે 13 વર્ષિય બાળકી 33 અઠવાડિયાની ગર્ભવતી થઈ હતી. બળાત્કારની ઘટના બાદ સગીરાને ગર્ભાવસ્થા વિશે જાણ થઈ, અને તેની નાજુક સ્વાસ્થ્ય સ્થિતિ (એનિમિયા)ને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પરિવારે આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, અને આરોપી સામે POCSO એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે.

13 વર્ષની સગીરાનો 33 અઠવાડિયાના ગર્ભનો ગર્ભપાત તબીબો માટે અત્યંત જોખમી

રક્તસ્ત્રાવ: ગર્ભાશયની અદ્યતન અવસ્થામાં ભારે રક્તસ્ત્રાવ થઈ શકે છે, ખાસ કરીને એનિમિયા હોય તો જોખમ વધે.

ચેપ: શસ્ત્રક્રિયા અથવા પ્રક્રિયા દરમિયાન ચેપ લાગવાની શક્યતા રહે છે.

ગર્ભાશયને નુકસાન: નાની ઉંમરે ગર્ભાશય નાજુક હોવાથી, નુકસાનનું જોખમ રહે છે, જે ભવિષ્યની ગર્ભાવસ્થાને અસર કરી શકે.

એનેસ્થેસિયાની ગૂંચવણો: નાની ઉંમર અને નબળા સ્વાસ્થ્યને કારણે એનેસ્થેસિયાના આડઅસરનું જોખમ રહે છે.

જીવનું જોખમ: નાજુક શાર- શસ્ત્રક્રિયા દરમિયાન અથવા પછી સગીરાના જીવનને જોખમ રહે છે, ખાસ કરીને એનિમિયા જેવી સ્થિતિમાં.

માનસિક આઘાત: પ્રક્રિયા બળાત્કાર જેવા આઘાત સાથે જોડાયેલી હોવાથી, માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છે, જે માટે લાંબા ગાળાનું કાઉન્સેલિંગ જરૂરી છે.

રિકવરી: શારીરિક રિકવરી માટે અઠવાડિયાં લાગી શકે છે, અને ICU દેખરેખની જરૂર પડે છે.

આ પણ વાંચોઃ

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો | Poornam Kumar Sahu

Kheda: શેઢી બ્રિજની કામગીરી વખતે શ્રમિક 50 ફૂટ નીચે નદીમાં ખાબક્યો, થયું મોત

CJI BR Gavai: જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ નવા CJI બન્યા, કેટલો કાર્યકાળ રહેશે?

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો

Surat: DNA ટેસ્ટ રિપોર્ટ આવ્યા પહેલા ગર્ભપાત માટે શિક્ષિકાને મંજૂરી, વિદ્યાર્થીને લઈ ભાગી હતી

Vadodara: દીપેન પટેલ હત્યા મામલો, મિત્ર જ હત્યારો નીકળ્યો, ગર્ભવતી પત્ની અને માતાએ સથવારો ગુમાવ્યો!

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

Related Posts

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”
  • March 23, 2026

Gujarat News: : ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસ બાદ હવે પેટ્રોલની તંગી ઉભી થઇ હોવાના અહેવાલો છે ત્યારે ગુજરાતમા મોટાભાગના શહેરોમાં સાદા પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા અનેક પેટ્રોલ પંપો બંધ…

Continue reading
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ
  • March 23, 2026

Bhavnagar News: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની કરેલી પહેલ બાદ હવે ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં ગુનેગારોના ઘરો તોડવાનું અભિયાન ચલાવ્યું છે જેમાં અત્યારસુધીમાં અલગ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

  • March 23, 2026
  • 3 views
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 6 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 13 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 10 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 11 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 12 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર