Lucknow: લખનૌમાં AC બસમાં આગ, ભર ઊંઘમાં 5 લોકો બળી ગયા, ચાલક અને કંડક્ટર બસ છોડીને ભાગી ગયા!

  • India
  • May 15, 2025
  • 4 Comments

Lucknow bus fire: ગુરુવારે સવારે ઉત્તપ્રદેશના લખનૌમાં એક સ્લીપર બસમાં આગ લાગતાં પાંચ લોકોના દુઃખદ મોત થયા છે. લગભગ 60 મુસાફરોને લઈને ડબલ ડેકર AC બસ બિહારથી દિલ્હી જઈ રહી હતી ત્યારે સવારે લખનૌમાંથી પસાર થતી વખતે આ દુર્ઘટના બની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૃતકોમાં 2 બાળકો, 2 મહિલાઓ અને 1 પુરુષનો સમાવેશ થાય છે. આ બસ બિહારથી દિલ્હી જઈ રહી હતી. આ આગની ઘટના સવારે 5 વાગ્યે મોહનલાલગંજ નજીક આઉટર રિંગ રોડ (કિસાન પથ) પર બની હતી.  જાણવા મળી રહ્યું કે આગ સમયે મોટાભાગના મુસાફરો સૂઈ રહ્યા હતા.

બસ ડ્રાઈવર અને કંડક્ટર બસ છોડીને ભાગી ગયા 

મુસાફરોના જણાવ્યા મુજબ, ચાલતી બસ અચાનક ધુમાડાથી ભરાવા લાગી, જેના કારણે ગભરાટ ફેલાયો. થોડીવારમાં જ આગની તીવ્ર જ્વાળાઓ વધવા લાગી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બસ ડ્રાઈવર અને કંડક્ટર બસ છોડીને ભાગી ગયા હતા. ડ્રાઇવરની સીટ પાસે વધારાની સીટ હોવાથી મુસાફરોને નીચે ઉતરવામાં મુશ્કેલી પડી રહી હતી. ઉતાવળમાં ઉતરતી વખતે ઘણા મુસાફરો ફસાઈ ગયા અને પડી ગયા. આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

ઘટનાની માહિતી મળતાં જ પીજીઆઈ, મોહનલાલગંજ, સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એસીપી રજનીશ વર્મા ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરીની જવાબદારી સંભાળી હતી. પોલીસે બસમાંથી મૃત મુસાફરોના મૃતદેહ બહાર કાઢ્યા અને એમ્બ્યુલન્સની મદદથી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. ડબલ ડેકર બસમાં લાગેલી આગને 6 ટીમો દ્વારા બુઝાવવામાં આવી હતી. બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોનો બધો સામાન બળીને રાખ થઈ ગયો છે.

આ પણ વાંચોઃ

Junagadh: સક્કરબાગ ઝૂનું રીંછ દિવાલ કૂદી ફરવા ચાલ્યું, લોકોને આફત આવી મોટી

UP: ભાજપા નેતાની રંગરેલિયા, સોશિયલ મિડિયામાં વાઈરલ, કાર્યવાહી કરવા માંગ!

કર્નલ સોફિયા કુરેશી પર નિવેદન આપનાર મંત્રી Vjay Shah સામે 4 કલાકમાં FIR નોંધો: હાઈકોર્ટ

‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah

Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો

Pakistani Product Ban: એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની કંપનીઓને નોટિસ, પાક. ધ્વજ અને તેના ઉત્પાદનોને દૂર કરવા નિર્દેશ

Jammu-Kashmir ના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર

 

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

Related Posts

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ
  • June 16, 2026

Ankita Bhandari Case: ઉત્તરાખંડના ચર્ચિત અંકિતા ભંડારી હત્યાકાંડની કાળી પરત હવે વધુ ગહન બની રહી છે. આ કેસમાં એક અજ્ઞાત ‘વીઆઈપી’ ના નામનો રહસ્યમય ઉલ્લેખ વારંવાર થઈ રહ્યો છે, અને…

Continue reading
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત
  • June 16, 2026

Chhattisgarh School Prayer: છત્તીસગઢની શાળાઓમાં હવે પુસ્તકો કરતા પૂજાપાઠનું મહત્વ વધી ગયું હોય તેવું લાગી રહ્યું છે. રાજ્ય સરકારે તાજેતરમાં એક એવો આદેશ બહાર પાડ્યો છે જેણે શિક્ષણ જગતમાં ભારે વિવાદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

  • June 17, 2026
  • 2 views
Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

  • June 17, 2026
  • 5 views
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

  • June 17, 2026
  • 11 views
Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 9 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 7 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’