
Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના (Jammu and Kashmir) પહેલગામમાં (Pahalgam) 22 એપ્રિલ, 2025ના આતંકવાદી હુમલામાં હિન્દુ પ્રવાસીઓને ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી હતી. આ હુમલો કરીને આતંકવાદીઓએ મુસ્લિમોની છબીને ખરડવાની અને તેમને “વિલન” તરીકે રજૂ કરવાના પ્રયાસો કર્યા પરંતુ આતંકવાદીઓના આ સાંપ્રદાયિક હિંસા ભડકાવવાના ઈરાદાઓને ખુદ મુસ્લિમ સમાજે જ નિષ્ફળ બનાવ્યા છે.
આતંકીઓએ મુસ્લિમોને બનાવ્યા વિલન
પહેલગામમાં આતંકવાદીઓ, ખાસ કરીને લશ્કર-એ-તૈયબા અથવા TRF જેવા સંગઠનો, પોતાની હિંસાને ધાર્મિક રંગ આપે છે, જેનાથી મુસ્લિમ ધર્મને આતંકવાદ સાથે જોડવાની ખોટી ધારણા ઊભી થાય છે. પહેલગામમાં હિન્દુઓને નિશાન બનાવવા અને “કલમા” વગેરે પઢાવવા વગેરે બાબતોથી સ્પષ્ટ થાય છે કે, આ આતંકવાદીઓ મુસ્લિમોમાં હિન્દુઓ પ્રત્યે નફરત હોય તેવું બતાવવા માંગતા હતા. અને તેમનો ઈરાદો સાંપ્રદાયિક હિંસા ભડકાવવાનો હતો પરંતુ આ આતંકવાદી ઘટનાના પડઘા આતંકવાદીઓના ઈરાદાઓ કરતા વિરુદ્ધ પડ્યા.
ગુજરાતમાં કેવી રીતે ભાઈચારો જળવાયો ?
પહેલગામમાં આપણે જોયું કે, જ્યારે આ આતંકવાદી હુમલો થયો ત્યારે ત્યાના સ્થાનિક મુસ્લિમ સમાજના લોકો મદદ માટે આગળ આવ્યા હતા. તેમજ સમગ્ર દેશના મુસ્લિમોએ આ ઘટનાને વખોડી કાઢી હતી અને મુસ્લિમ સમાજના લોકો પાકિસ્તાન વિરોધી નારા લગાવી રસ્તા પર ઉતરી આવ્યા હતા. કેટલીક જગ્યાએ મસ્જિદોમાં કાળી પટ્ટી બાંધીને આ ઘટના મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજના લોકોએ આ ઘટનાની સંવેદનશીલતાને સમજી અને કોઈ પણ જાતની ઉશ્કેરણીમાં ન આવ્યા. બીજી તરફ હિન્દુ સમાજે પણ આવી સ્થિતિમાં સંયમ રાખ્યો અને દેશમાં આતંકવાદીઓનો વિરોધ કર્યો પરંતુ ક્યાય સાંપ્રદાયિક હિંસા ન થઈ. આ દર્શાવે છે કે, જો દેશમાં હિન્દુ મુસ્લિમનું રાજકારણ ન થાય તો ભાઈચારો જળવાઈ રહે છે. જો નેતાઓ સુધરી જાય તો હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડા પણ ન થાય.
કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે શું કહ્યું ?
આવી તણાવભરેલી સ્થિતિમાં ગુજરાતમાં ભાઈચારો કેવી રીતે જળવાયો અને આતંકીઓના ઈદારાઓને મુસ્લિમોએ કેવી રીતે નાકામ કર્યા તે અંગે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે The gujarat report સાથેની વાતચીતમા જણાવ્યું હતું.જુઓ વીડિયો…
આ પણ વાંચોઃ
ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું? હવામાન વિભાગે કરી મોટી આગાહી
Jammu-Kashmir ના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર
‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?
વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah
Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!
ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો | Poornam Kumar Sahu
Kheda: શેઢી બ્રિજની કામગીરી વખતે શ્રમિક 50 ફૂટ નીચે નદીમાં ખાબક્યો, થયું મોત
CJI BR Gavai: જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ નવા CJI બન્યા, કેટલો કાર્યકાળ રહેશે?
ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો
BJP નેતા દિલીપ ઘોષના પુત્રનું મોત, ફ્લેટમાંથી લાશ મળી, માતાના બીજા લગ્નથી પુત્ર શું નારાજ હતો?
Rajkot: નર્સને છરીથી રહેંસી નાખી, પાડોશીની ધરપકડ, અમદાવાદથી રાજકોટ થઈ હતી બદલી
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF
