Waqf Law: સુપ્રીમનો વક્ફ કાયદા વિરુદ્ધની નવી અરજી પર સુનાવણી કરવા ઇનકાર

  • India
  • May 16, 2025
  • 1 Comments

Waqf Law: સુપ્રીમ કોર્ટે વક્ફ કાયદા વિરુદ્ધ દાખલ કરાયેલી નવી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અરજી પર વાંધો ઉઠાવ્યો. કોર્ટે અરજી ફગાવતાં કહ્યું દરેક વ્યક્તિ પોતાનું નામ અકબારમાં આવે તે ઈચ્છે છે.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે વક્ફ કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી નવી અરજીઓ પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે દરેક વ્યક્તિ અખબારમાં પોતાનું નામ ઇચ્છે છે. ચીફ જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે નિર્ણય લીધો છે કે હવે 20 મેના રોજ પેન્ડિંગ કેસોની જ સુનાવણી કરાશે.

શુક્રવારે જ્યારે નવી અરજીઓ કોર્ટમાં સુનાવણી માટે આવી ત્યારે કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વાંધો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે કાયદાને પડકારતી અરજીઓનો કોઈ અંત નથી. આવી અરજીઓ દાખલ કરી શકાતી નથી.

આ અંગે અરજદારના વકીલે કહ્યું કે તેમણે 8 એપ્રિલે અરજી દાખલ કરી હતી. 15 એપ્રિલે સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી દ્વારા દર્શાવવામાં આવેલી ખામીઓ દૂર કરવામાં આવી હતી, પરંતુ તેમની અરજી સુનાવણી માટે લેવામાં આવી નથી.

આના પર ચીફ જસ્ટિસે કહ્યું કે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમનું નામ અખબારમાં આવે. જેનો મતલબ મડિયામાં છવાઈ જવા વાંરવાર લોકો અરજી કરે છે. જેથી હવે નવી અરજી પર સુનાવણી નહીં થાય.

હાલ તો  અરજદારના વકીલે બેન્ચને અરજીને પેન્ડિંગ અરજીઓ સાથે જોડવાની વિનંતી કરી. અરજદારના વકીલની આ વિનંતી પર બેન્ચે કહ્યું કે “અમે આ મુદ્દા પર નિર્ણય લઈશું.”  બેન્ચે કહ્યું હવે  પછી  વક્ફ કાયદા વિરુધ્ધની નવી અરજીઓ આવશે તો ફગાવી દેવામાં આવશે.

15 મેના રોજ, મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ અને ન્યાયાધીશ મસીહની બેન્ચે અરજીઓ પર સુનાવણી કરી. બેન્ચે કહ્યું હતું કે તે ત્રણ મુદ્દાઓ પર વચગાળાના નિર્દેશો પસાર કરવા માટે 20 મેના રોજ દલીલો સાંભળશે. આમાં વકફ, ​​વપરાશકર્તા દ્વારા વકફ અથવા ખત દ્વારા વકફ તરીકે જાહેર કરાયેલી મિલકતોને ડિનોટિફાઇ કરવાની કોર્ટની સત્તાનો સમાવેશ થાય છે.

હવે  માત્ર પાંચ જ અરજીઓ પર સુનાવણી થશે

17  એપ્રિલના રોજ સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે તે  વક્ફ કાયદા વિરુધ્ધની માત્ર ફક્ત પાંચ અરજીઓ પર જ સુનાવણી કરશે. જ્યારે મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ સંજય કુમાર અને ન્યાયાધીશ કેવી વિશ્વનાથનની બેન્ચને કેન્દ્ર દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે 5 મે સુધી, તે ન તો વકફ મિલકતોને ડી-નોટિફાઇ કરશે, ન તો સેન્ટ્રલ વકફ કાઉન્સિલ અને બોર્ડમાં કોઈ નિમણૂક કરશે. કેન્દ્રએ કાયદાની સુનાવણી કર્યા વિના તેના પર સ્ટે ન મૂકવાની વિનંતી પણ કરી.

કેન્દ્ર સરકારે સોગંદનામું દાખલ કર્યું

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં 1332 પાનાનું સોગંદનામું દાખલ કર્યું, જેમાં વકફ (સુધારા) અધિનિયમ, 2025 ની માન્યતા સામેની અરજીઓને ફગાવી દેવાની માંગ કરવામાં આવી. કેન્દ્રએ કાયદાની જોગવાઈ પર સ્ટેનો વિરોધ કરતા કહ્યું કે, ‘કાયદામાં આ એક સ્થાયી સ્થિતિ છે કે બંધારણીય અદાલતો કોઈપણ વૈધાનિક જોગવાઈ પર સીધી કે આડકતરી રીતે સ્ટે નહીં આપે.’ આ બાબતે કોર્ટનો અંતિમ નિર્ણય હશે.

આ પણ વાંચોઃ

UP: ચોરીના રુપિયા લોકો લઈ ગયા, જાણો ક્યાંથી રોડ પર આવ્યા રુપિયા?

Ahmedabad: જીન્સની ફેક્ટરીમાં 3 મજૂરના મોત, શું છે કારણ?

Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!

Vijay Raj ને મોટી રાહત, જાતીય સતામણીના કેસમાં નિર્દોષ, મહિલાએ લગાવ્યા હતા આરોપ

Vadodara: ભાજપાના રાજમાં મહાદેવનું મંદિર તૂટશે? ‘ભગવાનને પણ નોટીસ’

મહિલા સાથે અશ્લીલતા કરનાર ઝડપાયેલા ભાજપા નેતા પાર્ટીમાંથી સસ્પેન્ડ | Babban Singh Raghuvanshi

ગુજરાત સમાચાર પર IT અને EDની રેડ પર ઈસુદાન ગઢવી શું બોલ્યા? | Gujarat Samachar

 Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય

 Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય

RAJKOT: લંપટ પ્રોફેસર અશ્લીલ વીડિયો જોતા ઝડપાયો, આ શું ભણાવતો હશે?

 

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

Related Posts

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!
  • October 28, 2025

Col Rohit Chaudhary: કોંગ્રેસ પાર્ટીએ સરકાર પર અગ્નિવીરોને છેતરવાનો આરોપ લગાવતા કહ્યું છે કે પહેલા તેમને નિવૃત્તિ પછી સરકારી નોકરીઓનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ હવે ગૃહ મંત્રાલયે એક જાહેરનામું…

Continue reading
8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ
  • October 28, 2025

8th Pay Commission: કેન્દ્રીય મંત્રીમંડળે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. આ પંચ 18 મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરશે. આનાથી કેન્દ્ર સરકારના આશરે 50 લાખ કર્મચારીઓ અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 4 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 17 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 7 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

  • October 28, 2025
  • 20 views
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

  • October 28, 2025
  • 18 views
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

  • October 28, 2025
  • 6 views
BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!