પૂજારી-ગ્રંથીઓને દર મહિને 18 હજાર રૂપિયા- કેજરીવાલની જાહેરાત પર બીજેપીએ શું કહ્યું?

  • India
  • December 30, 2024
  • 0 Comments

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓ માટે વધુ એક સ્કીમ જાહેર કરી છે. વરિષ્ઠો અને મહિલાઓ માટે મોટી યોજનાઓ જાહેર કર્યા બાદ પૂજારીઓ અને ગ્રંથીઓ માટે એક યોજના શરૂ કરી છે. અરવિંદ કેજરીવાલે મંદિરના પૂજારીઓ અને ગુરૂદ્વારાઓના ગ્રંથીઓ માટે પૂજારી અને ગ્રંથી સન્માન યોજના જાહેર કરી છે.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આજે હું વધુ એક મહત્ત્વની જાહેરાત કરવા જઈ રહ્યો છું. યોજનાનું નામ છે પૂજારી ગ્રંથી સન્માન યોજના. મંદિરોના પૂજારીઓ અને ગુરૂદ્વારાઓના ગ્રંથીઓને સન્માન આપવાની જોગવાઈ હેઠળ દરમહિને રૂ. 18000 સહાયપેટે આપવામાં આવશે. દેશમાં પ્રથમ વખત પૂજારી વર્ગ માટે નાણાકીય સહાય આપતી યોજના જાહેર થઈ છે. પેઢી દર પેઢી કર્મકાંડ કરતાં પૂજારીઓ અને તેમના પરિવાર પ્રત્યે આપણે ક્યારેય ધ્યાન આપ્યું નથી.
ક્યારે શરૂ થશે રજિસ્ટ્રેશન

કેજરીવાલે જણાવ્યું કે, આ યોજના માટે આવતીકાલે 31 ડિસેમ્બરથી રજિસ્ટ્રેશન શરૂ થશે. કનોટ પ્લેસના હનુમાન મંદિરના પૂજારીઓના રજિસ્ટ્રેશન કરાવી આ યોજનાનો શુભારંભ કરવામાં આવશે. ત્યારબાદ દિલ્હીના તમામ મંદિરો અને ગુરૂદ્વારાઓમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે.

આ યોજનાની જાહેરાત કરતાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અગાઉ પણ મહિલા સન્માન સ્કીમની જાહેરાત બાદ તેના રજિસ્ટ્રેશન અટકાવવાનો પ્રયાસ ભાજપના કાર્યકરોએ કર્યો છે. મારી અપીલ છે કે, હવે તમે પૂજારીઓ અને ગ્રંથીઓની આ યોજના અટકાવવાનો પ્રયાસ કરશો નહીં, નહિ તો પાપ લાગશે. પૂજારીઓ અને ગ્રંથીઓ તરફથી બદદુઆ મળશે.

આ યોજનાની જાહેરાત કરતાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અગાઉ પણ મહિલા સન્માન સ્કીમની જાહેરાત બાદ તેના રજિસ્ટ્રેશન અટકાવવાનો પ્રયાસ ભાજપના કાર્યકરોએ કર્યો છે. મારી અપીલ છે કે, હવે તમે પૂજારીઓ અને ગ્રંથીઓની આ યોજના અટકાવવાનો પ્રયાસ કરશો નહીં, નહિ તો પાપ લાગશે. પૂજારીઓ અને ગ્રંથીઓ તરફથી બદદુઆ મળશે.

મહિલા સન્માન યોજના અને સંજીવની યોજના અમલી

દિલ્હીમાં ચૂંટણી પહેલાં કેજરીવાલે મહિલા સન્માન યોજના અને સંજીવની યોજના જાહેર કરી હતી. જે હેઠળ દિલ્હીમાં 18 વર્ષ કે તેથી વધુ વયની મહિલાઓને રૂ. 1000 પ્રતિ માસ મળશે. જો 2025માં આપ સરકાર ફરી સત્તા પર આવી તો આ રકમ વધારી રૂ. 2100 પ્રતિ માસ કરવાનું વચન પણ આપ્યું છે. તદુપરાંત સંજીવની યોજના હેઠળ સરકાર 60 વર્ષ કે તેથી વધુ વયના લોકોની સારવાર ખર્ચનુ વહન કરશે.

દિલ્હીમાં ચૂંટણી પહેલાં કેજરીવાલે મહિલા સન્માન યોજના અને સંજીવની યોજના જાહેર કરી હતી. જે હેઠળ દિલ્હીમાં 18 વર્ષ કે તેથી વધુ વયની મહિલાઓને રૂ. 1000 પ્રતિ માસ મળશે. જો 2025માં આપ સરકાર ફરી સત્તા પર આવી તો આ રકમ વધારી રૂ. 2100 પ્રતિ માસ કરવાનું વચન પણ આપ્યું છે. તદુપરાંત સંજીવની યોજના હેઠળ સરકાર 60 વર્ષ કે તેથી વધુ વયના લોકોની સારવાર ખર્ચનુ વહન કરશે.

બીજેપીની પ્રતિક્રિયા

દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ‘પુજારી ગ્રંથી સન્માન યોજના’ પર પ્રતિક્રિયા આપી છે.

સચદેવાએ કહ્યું, “છેલ્લા બે વર્ષથી ભારતીય જનતા પાર્ટી દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર પર મંદિરના પૂજારીઓ અને પૂજારીઓને પગાર મળે તે સુનિશ્ચિત કરવા માટે સતત દબાણ કરી રહી હતી. અમે આ માટે વિરોધ પણ કર્યો હતો.”

બીજેપી નેતા પ્રેમ શુક્લાએ કહ્યું છે કે જો દિલ્હી સરકાર અત્યાર સુધી મૌલવીઓને પૈસા આપતી હતી તો ચૂંટણી સમયે પૂજારીઓની યાદ કેમ આવી? અરવિંદ કેજરીવાલના જણાવ્યા અનુસાર, દિલ્હીના મંદિરો અને ગુરુદ્વારાઓમાં સેવા આપતા પૂજારીઓ અને ગ્રંથીઓને આ યોજના હેઠળ 18 હજાર રૂપિયા માસિક પગાર આપવામાં આવશે.

બીજી તરફ દિલ્હીની મસ્જિદોના ઈમામો પગારને લઈને કેજરીવાલના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખ સાજિદ રશીદીએ કહ્યું કે દિલ્હી સરકારે છેલ્લા 17 મહિનાથી ઈમામોને પગાર ચૂકવ્યો નથી.

Related Posts

Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!
  • March 24, 2026

Narendramodi: અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને રોકવા માટે પાકિસ્તાન મધ્યસ્થી તરીકે ઉભરી આવ્યું છે. અહેવાલો સૂચવે છે કે આ અઠવાડિયાના અંતમાં ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સામ-સામે મુલાકાત થઈ શકે…

Continue reading
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર
  • March 23, 2026

 Narendra Modi: ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના સાંસદ સંજય રાઉતે સતત તળિયે જઈ રહેલો રૂપિયો અને ગેસના વધતા ભાવ અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. તેમણે આ અંગે ચિંતા વ્યક્ત કરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

  • March 24, 2026
  • 3 views
Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

  • March 24, 2026
  • 2 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

  • March 24, 2026
  • 7 views
Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

  • March 24, 2026
  • 16 views
PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

  • March 24, 2026
  • 8 views
Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

Atomic Bomb: સમુદ્રમાં પરમાણુ બોમ્બ ફૂટવાનો છે! 1,20,000 ટન ઝેરી કચરો વિનાશ વેરી શકે છે!!

  • March 24, 2026
  • 18 views
Atomic Bomb: સમુદ્રમાં પરમાણુ બોમ્બ ફૂટવાનો છે! 1,20,000 ટન ઝેરી કચરો વિનાશ વેરી શકે છે!!