
Vikrant Pandey: ગુજરાતમાં સિંહ વસ્તી ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. ગુજરાતમાં કુલ સિંહની સંખ્યા 891 નોંધાઈ છે. બીજા મુદ્દા ચર્ચાનો હોય તો તે બચુ ખાબડના પુત્રોના ભ્રષ્ટાચાર અને ગુજરાત સમાચાર પડેલી રેડ અને IAS ઓફિસર વિક્રાંત પાંડે ફરી ગુજરાતામાં ફરત આવ્યા. હાલ સવાલ થઈ રહ્યા છે કે સતત વિવાદોમાં રહેલા વિક્રાંત પાંડેની ગુજરાતમાં કેમ બદલી થઈ?
IAS વિક્રાંત પાંડેને હાલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. આ નિયુક્તિ 20 મે, 2025ના રોજ કરાઈ. જેમાં તેમને નવી દિલ્હીમાં ગુજરાતના નિવાસી કમિશનરના પદ પરથી ટ્રાન્સફર કરવામાં આવ્યા.
વિક્રાંત પાંડે દિલ્હી ડેપ્યુટેશન પર હતા
IAS અધિકારી વિક્રાંત પાંડે રાજકોટના કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ 2019માં દિલ્હી ડેપ્યુટેશન પર ગયા હતા. ડૉ. વિક્રાંત પાંડે 2005ની બેંચના IAS અધિકારી છે. વિક્રાંત પાંડે મૂળ રાજસ્થાની છે. IAS અધિકારી વિક્રાંત પાંડેને દિલ્હીના રેસીડેન્ટ કમિશનર બનાવી દેવાયા હતા. IAS અધિકારી વિક્રાંત પાંડેએ વિજય રૂપાણી સરકારમાં અમદાવાદના જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી.
વિવાદનો ઇતિહાસ અને વર્તમાન સ્થિતિ
IAS વિક્રાંત પાંડે, 2005 બેચના ગુજરાત કેડરના અધિકારી અને 2019માં એક ઉચ્ચ-પ્રોફાઇલ પ્રોપર્ટી ડીલમાં અનિયમિતતાના આરોપોને કારણે વિવાદમાં આવ્યા હતા. આ આરોપોના કારણે તેમની 2019માં કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ કરવામાં આવી હતી, જ્યાં તેઓ નવી દિલ્હીમાં ઇન્ટર-સ્ટેટ કાઉન્સિલ સેક્રેટેરિયટમાં ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા હતા. આ વિવાદે તે સમયે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીની છબીને પણ અસર કરી હતી, કારણ કે આ ડીલમાં રાજકોટના કેટલાક મુખ્ય ખેલાડીઓ સામેલ હતા.
2019માં, રાજકોટમાં એક વિવાદાસ્પદ પ્રોપર્ટી ડીલના આરોપોને કારણે તેમને કેન્દ્રમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જેને કેટલાકે “પનિશમેન્ટ પોસ્ટિંગ” ગણાવ્યું હતું.
2024માં ગૃહ મંત્રાલયે તેમને આરોપોમાંથી મુક્ત કર્યા, જે બાદ તેઓ ગુજરાત પરત ફર્યા અને નિવાસી કમિશનર તરીકે નિયુક્ત થયા. હવે, તેમની મુખ્યમંત્રીના સચિવ તરીકેની નિયુક્તિ રાજ્ય સરકારના તેમના પરના વિશ્વાસને દર્શાવે છે. જોકે એ કેટલું સાચું છે તમે બધા જાણતા હશો!
ત્યારે વધુ જાણો આ વીડિયોમાં ગુજરાત સમાચાર પર રેડ અને વિક્રાંત પાંડેની ગુજરાત વાપસી અંગેની વાત.
આ પણ વાંચો:
Ahmedabad: ગુરુકુળ વિસ્તાર પાસેની ઈમારતમાં આગ લાગતાં દોડધામ!
Indigo Flight: દિલ્હીથી શ્રીનગર જતું વિમાન તૂટ્યું!, જાણો શું થયું!
Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ
Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!
ગુજરાતના 18 રેલવે સ્ટેશનનું આજે લોકાર્પણ, ડાકોર, કરમસદ સહિત આ સ્ટેશનનો સમાવેશ? | Railway station
જાપાનના કૃષિ મંત્રીએ ચોખા પર શું બોલ્યા કે રાજીનામું આપી દેવું પડ્યું? જાણો કારણ! | Taku Eto
Vadodara: સરકારી દવાખાનામાં આશાવર્કર પર બળાત્કારનો પ્રયાસ, કપડાં ફાડ્યા, સુરક્ષા પર સવાલો?
Bijnor: રુચિકા પ્રેમી શિવમને મળવા ગઈ પણ તે ક્યારેય ઘરે પાછી ન આવી!, પરિવારે શું કર્યો ખુલાસો!
UP: પ્રેમલગ્ન બાદ યુવક ગર્ભવતી પત્નીને ઘરે લઈ પહોંચ્યો, મળ્યો કરુણ અંજામ!, પત્નીની લાશ ખેતરમાંથી મળી
યોગી રાજમાં લોકોને ATM માં ઊંઘવાનો વારો કેમ આવ્યો?
પાકિસ્તાની સેનાએ પોતાના જ દેશના બાળકો પર ડ્રોન હુમલો કર્યો, 4ના મોત, શું છે કારણ? | Pakistan