મણિપુર હિંસા માટે મુખ્યમંત્રી બિરેન સિંહે માફી માંગી; પ્રધાન સેવક ક્યારે મણિપુરનો ‘મ’ બોલશે?

  • India
  • December 31, 2024
  • 0 Comments

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે એક પ્રેસ કોન્ફરન્સમાં મણિપુરની સ્થિતિ વિશે વાત કરી અને આશા વ્યક્ત કરી કે વર્ષ 2025ના આગમન સાથે પરિસ્થિતિમાં સુધારો થશે. આ સાથે જ વર્ષ 2024માં થયેલી ભંયકર હિંસાને લઈને રાજ્યની જનતાની માફી માંગી છે. તો બીજી તરફ આપણા બધાને સેવક તરીકે પોતાની ઓળખ આપનારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યાર સુધી એકપણ વખત મણિપુરનો ઉલ્લેખ પણ કર્યો નથી. તેઓ મણિપુરનો ‘મ’ પણ બોલવા માટે પણ તૈયાર નથી. તેઓ વર્તમાન સમયમાં વધી રહેલી મોંઘવારીનો ‘મ’ બોલી લે તો પણ દેશના લોકોના દિલને ઠંડક થઈ શકે છે. ખેર, તે બીજી વાત છે કે, તેઓ મોંઘવારી ઓછી કરી શકવાના નથી કે, જેવી રીતે તેઓ અત્યાર સુધી મણિપુરની હિંસા બંધ કરાવી શક્યા નથી.

મણિપુરની હિંસાને લઈને રાજ્યના સીએમ વિરેન સિંહે કહ્યું, “આખું વર્ષ ખૂબ જ કમનસીબ રહ્યું. “ગત 3 મેથી આજ સુધી જે કંઈ પણ થઈ રહ્યું છે તેના પર મને ખેદ છે અને હું રાજ્યની જનતાની માફી માંગવા માંગુ છું. તેમણે કહ્યું, “ઘણા લોકોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા, ઘણા લોકોએ તેમના ઘર છોડી દીધા. પરંતુ હવે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી સ્થપાયેલી શાંતિને જોતા મને આશા છે કે નવા વર્ષના આગમન સાથે રાજ્યમાં સ્થિતિ સામાન્ય થઈ જશે.

મુખ્યમંત્રીએ તમામ સમુદાયોને ભૂતકાળની ભૂલો ભૂલી એકબીજાને માફ કરી ફરીથી સાથે રહેવા અને નવા જીવનની શરૂઆત કરવા અપીલ કરી હતી તેમણે કહ્યું, “એક શાંતિપૂર્ણ અને સુખી મણિપુર, જ્યાં 34-35 જાતિઓ સાથે રહેતા હતા, આપણે ભવિષ્યમાં પણ સાથે રહેવું જોઈએ. મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 250થી વધુ લોકોના મોત થયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. એટલું જ નહીં, મેઇતેઇ અને કુકી બે સમુદાયો વચ્ચે અવિશ્વાસનું અંતર વધુ ઊંડું થતું જોવા મળી રહ્યું છે.

વિરેન સિંહે તો રાજ્યના લોકોને એકસાથે રહેવાની અપિલ કરી દીધી છે પરંતુ બીજી તરફ તેમની જ પાર્ટી દેશમાં નફરત ફેલાય તેવા નિવેદનો આપવામાં જરાપણ ખચકાટ રાખી રહી નથી. તે બીજી વાત છે કે, તેમણે હિન્દુ-મુસ્લિમોને ઉશ્કેરીને પોતાની રાજકીય રોટલીઓ શેકવામાં વધારે રસ છે.

Related Posts

DUSU Election 2026 માં ABVPનો દબદબો યથાવત, 4માંથી 3 સીટો જીતી, NSUIનું ખાતું પણ ન ખુલ્યું
  • September 20, 2026

DUSU Election 2026: દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ એટલે કે DUSU ચૂંટણી 2026ના પરિણામો જાહેર થઈ ગયા છે. ચાર કેન્દ્રીય પદોમાંથી ત્રણ પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVPના ઉમેદવારોએ…

Continue reading
Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ
  • September 20, 2026

Reliance Capital CBI FIR: કેન્દ્રીય તપાસ બ્યુરો એટલે કે CBIએ ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LICની ફરિયાદના આધારે Reliance Capital Limited (RCAP), તેના પૂર્વ ચેરમેન અનિલ અંબાણી અને અન્ય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

DUSU Election 2026 માં ABVPનો દબદબો યથાવત, 4માંથી 3 સીટો જીતી, NSUIનું ખાતું પણ ન ખુલ્યું

  • September 20, 2026
  • 1 views
DUSU Election 2026 માં ABVPનો દબદબો યથાવત, 4માંથી 3 સીટો જીતી, NSUIનું ખાતું પણ ન ખુલ્યું

Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ

  • September 20, 2026
  • 5 views
Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ

West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

  • September 19, 2026
  • 5 views
West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

  • September 19, 2026
  • 6 views
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

  • September 19, 2026
  • 7 views
West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

  • September 19, 2026
  • 9 views
Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી