મણિપુર હિંસા માટે મુખ્યમંત્રી બિરેન સિંહે માફી માંગી; પ્રધાન સેવક ક્યારે મણિપુરનો ‘મ’ બોલશે?

  • India
  • December 31, 2024
  • 0 Comments

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે એક પ્રેસ કોન્ફરન્સમાં મણિપુરની સ્થિતિ વિશે વાત કરી અને આશા વ્યક્ત કરી કે વર્ષ 2025ના આગમન સાથે પરિસ્થિતિમાં સુધારો થશે. આ સાથે જ વર્ષ 2024માં થયેલી ભંયકર હિંસાને લઈને રાજ્યની જનતાની માફી માંગી છે. તો બીજી તરફ આપણા બધાને સેવક તરીકે પોતાની ઓળખ આપનારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યાર સુધી એકપણ વખત મણિપુરનો ઉલ્લેખ પણ કર્યો નથી. તેઓ મણિપુરનો ‘મ’ પણ બોલવા માટે પણ તૈયાર નથી. તેઓ વર્તમાન સમયમાં વધી રહેલી મોંઘવારીનો ‘મ’ બોલી લે તો પણ દેશના લોકોના દિલને ઠંડક થઈ શકે છે. ખેર, તે બીજી વાત છે કે, તેઓ મોંઘવારી ઓછી કરી શકવાના નથી કે, જેવી રીતે તેઓ અત્યાર સુધી મણિપુરની હિંસા બંધ કરાવી શક્યા નથી.

મણિપુરની હિંસાને લઈને રાજ્યના સીએમ વિરેન સિંહે કહ્યું, “આખું વર્ષ ખૂબ જ કમનસીબ રહ્યું. “ગત 3 મેથી આજ સુધી જે કંઈ પણ થઈ રહ્યું છે તેના પર મને ખેદ છે અને હું રાજ્યની જનતાની માફી માંગવા માંગુ છું. તેમણે કહ્યું, “ઘણા લોકોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા, ઘણા લોકોએ તેમના ઘર છોડી દીધા. પરંતુ હવે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી સ્થપાયેલી શાંતિને જોતા મને આશા છે કે નવા વર્ષના આગમન સાથે રાજ્યમાં સ્થિતિ સામાન્ય થઈ જશે.

મુખ્યમંત્રીએ તમામ સમુદાયોને ભૂતકાળની ભૂલો ભૂલી એકબીજાને માફ કરી ફરીથી સાથે રહેવા અને નવા જીવનની શરૂઆત કરવા અપીલ કરી હતી તેમણે કહ્યું, “એક શાંતિપૂર્ણ અને સુખી મણિપુર, જ્યાં 34-35 જાતિઓ સાથે રહેતા હતા, આપણે ભવિષ્યમાં પણ સાથે રહેવું જોઈએ. મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 250થી વધુ લોકોના મોત થયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. એટલું જ નહીં, મેઇતેઇ અને કુકી બે સમુદાયો વચ્ચે અવિશ્વાસનું અંતર વધુ ઊંડું થતું જોવા મળી રહ્યું છે.

વિરેન સિંહે તો રાજ્યના લોકોને એકસાથે રહેવાની અપિલ કરી દીધી છે પરંતુ બીજી તરફ તેમની જ પાર્ટી દેશમાં નફરત ફેલાય તેવા નિવેદનો આપવામાં જરાપણ ખચકાટ રાખી રહી નથી. તે બીજી વાત છે કે, તેમણે હિન્દુ-મુસ્લિમોને ઉશ્કેરીને પોતાની રાજકીય રોટલીઓ શેકવામાં વધારે રસ છે.

Related Posts

Asaram Parole: આસારામને રાજસ્થાન હાઈકોર્ટથી 20 દિવસની નિયમિત પેરોલ, રાજ્ય સરકારના વાંધા ફગાવ્યા
  • August 5, 2026

Asaram Parole: રાજસ્થાન હાઈકોર્ટે બળાત્કારના બે અલગ-અલગ કેસોમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા સ્વયંભૂ ધર્મગુરુ આસારામને 20 દિવસની નિયમિત પેરોલ આપવાનો આદેશ આપ્યો છે. અદાલતે જણાવ્યું કે રાજ્ય સરકાર પેરોલ…

Continue reading
Jantar Mantar Protest: જંતર-મંતર પ્રદર્શનને મદદ કરનાર રેસ્ટોરાં પોલીસના રડાર પર? અનેક સંચાલકોના ગંભીર આક્ષેપ
  • August 5, 2026

Jantar Mantar Protest: નવી દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા લાંબા વિરોધ પ્રદર્શન બાદ હવે આંદોલનને ભોજન અને અન્ય પ્રકારની મદદ કરનાર કેટલાક રેસ્ટોરાં અને કેફે સંચાલકો પોલીસની કાર્યવાહી અંગે ગંભીર પ્રશ્નો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Asaram Parole: આસારામને રાજસ્થાન હાઈકોર્ટથી 20 દિવસની નિયમિત પેરોલ, રાજ્ય સરકારના વાંધા ફગાવ્યા

  • August 5, 2026
  • 3 views
Asaram Parole: આસારામને રાજસ્થાન હાઈકોર્ટથી 20 દિવસની નિયમિત પેરોલ, રાજ્ય સરકારના વાંધા ફગાવ્યા

Jantar Mantar Protest: જંતર-મંતર પ્રદર્શનને મદદ કરનાર રેસ્ટોરાં પોલીસના રડાર પર? અનેક સંચાલકોના ગંભીર આક્ષેપ

  • August 5, 2026
  • 5 views
Jantar Mantar Protest: જંતર-મંતર પ્રદર્શનને મદદ કરનાર રેસ્ટોરાં પોલીસના રડાર પર? અનેક સંચાલકોના ગંભીર આક્ષેપ

Gujarat Farmers Protest: દોઢ વર્ષથી લડતું ગામ ચોરડી, સૌરાષ્ટ્રના 100 ગામોની વીજ કંપની સામે લડાઈ, જામનગરની 3 ગીગા વોટ વીજળી, ખેતી બરબાદ

  • August 5, 2026
  • 8 views
Gujarat Farmers Protest: દોઢ વર્ષથી લડતું ગામ ચોરડી, સૌરાષ્ટ્રના 100 ગામોની વીજ કંપની સામે લડાઈ, જામનગરની 3 ગીગા વોટ વીજળી, ખેતી બરબાદ

Datia Bypoll BJP: 6,016 મતોથી હાર બાદ ભાજપનો મોટો નિર્ણય, દતિયા જિલ્લા એકમ ભંગ

  • August 5, 2026
  • 5 views
Datia Bypoll BJP: 6,016 મતોથી હાર બાદ ભાજપનો મોટો નિર્ણય, દતિયા જિલ્લા એકમ ભંગ

Bhogapuram Airport Inauguration: ભોગપુરમ એરપોર્ટના ભવ્ય ઉદ્ઘાટનને લઈને ખર્ચ પર સવાલો, જાહેર માહિતીના અભાવે ચર્ચા તેજ

  • August 5, 2026
  • 5 views
Bhogapuram Airport Inauguration: ભોગપુરમ એરપોર્ટના ભવ્ય ઉદ્ઘાટનને લઈને ખર્ચ પર સવાલો, જાહેર માહિતીના અભાવે ચર્ચા તેજ

Mehbooba Mufti Protest: મહબૂબા મુફ્તીએ કલમ 370 હટાવવાના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કર્યું, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારાઈ

  • August 5, 2026
  • 6 views
Mehbooba Mufti Protest: મહબૂબા મુફ્તીએ કલમ 370 હટાવવાના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કર્યું, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારાઈ