મણિપુર હિંસા માટે મુખ્યમંત્રી બિરેન સિંહે માફી માંગી; પ્રધાન સેવક ક્યારે મણિપુરનો ‘મ’ બોલશે?

  • India
  • December 31, 2024
  • 0 Comments

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે એક પ્રેસ કોન્ફરન્સમાં મણિપુરની સ્થિતિ વિશે વાત કરી અને આશા વ્યક્ત કરી કે વર્ષ 2025ના આગમન સાથે પરિસ્થિતિમાં સુધારો થશે. આ સાથે જ વર્ષ 2024માં થયેલી ભંયકર હિંસાને લઈને રાજ્યની જનતાની માફી માંગી છે. તો બીજી તરફ આપણા બધાને સેવક તરીકે પોતાની ઓળખ આપનારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યાર સુધી એકપણ વખત મણિપુરનો ઉલ્લેખ પણ કર્યો નથી. તેઓ મણિપુરનો ‘મ’ પણ બોલવા માટે પણ તૈયાર નથી. તેઓ વર્તમાન સમયમાં વધી રહેલી મોંઘવારીનો ‘મ’ બોલી લે તો પણ દેશના લોકોના દિલને ઠંડક થઈ શકે છે. ખેર, તે બીજી વાત છે કે, તેઓ મોંઘવારી ઓછી કરી શકવાના નથી કે, જેવી રીતે તેઓ અત્યાર સુધી મણિપુરની હિંસા બંધ કરાવી શક્યા નથી.

મણિપુરની હિંસાને લઈને રાજ્યના સીએમ વિરેન સિંહે કહ્યું, “આખું વર્ષ ખૂબ જ કમનસીબ રહ્યું. “ગત 3 મેથી આજ સુધી જે કંઈ પણ થઈ રહ્યું છે તેના પર મને ખેદ છે અને હું રાજ્યની જનતાની માફી માંગવા માંગુ છું. તેમણે કહ્યું, “ઘણા લોકોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા, ઘણા લોકોએ તેમના ઘર છોડી દીધા. પરંતુ હવે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી સ્થપાયેલી શાંતિને જોતા મને આશા છે કે નવા વર્ષના આગમન સાથે રાજ્યમાં સ્થિતિ સામાન્ય થઈ જશે.

મુખ્યમંત્રીએ તમામ સમુદાયોને ભૂતકાળની ભૂલો ભૂલી એકબીજાને માફ કરી ફરીથી સાથે રહેવા અને નવા જીવનની શરૂઆત કરવા અપીલ કરી હતી તેમણે કહ્યું, “એક શાંતિપૂર્ણ અને સુખી મણિપુર, જ્યાં 34-35 જાતિઓ સાથે રહેતા હતા, આપણે ભવિષ્યમાં પણ સાથે રહેવું જોઈએ. મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 250થી વધુ લોકોના મોત થયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. એટલું જ નહીં, મેઇતેઇ અને કુકી બે સમુદાયો વચ્ચે અવિશ્વાસનું અંતર વધુ ઊંડું થતું જોવા મળી રહ્યું છે.

વિરેન સિંહે તો રાજ્યના લોકોને એકસાથે રહેવાની અપિલ કરી દીધી છે પરંતુ બીજી તરફ તેમની જ પાર્ટી દેશમાં નફરત ફેલાય તેવા નિવેદનો આપવામાં જરાપણ ખચકાટ રાખી રહી નથી. તે બીજી વાત છે કે, તેમણે હિન્દુ-મુસ્લિમોને ઉશ્કેરીને પોતાની રાજકીય રોટલીઓ શેકવામાં વધારે રસ છે.

Related Posts

Bharat Tiwari Encounter: યોગી મોડલની હોડમાં ફસાયા સમ્રાટ ચૌધરી? ભરત તિવારી એન્કાઉન્ટર કેસ બન્યો ગળાનું હાડકું
  • June 21, 2026

Bharat Tiwari Encounter: બિહારના રાજકીય આકાશમાં અત્યારે એક એવો વિષય ચર્ચામાં છે જેણે રાજ્યની ન્યાય પ્રણાલી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ જ્યારે ડીએમ-એસપી સાથેના એક સીધા…

Continue reading
CM Vijay Temple Funds Decision: તમિલનાડુમાં મંદિર ભંડોળને લઈને ઐતિહાસિક ફેરફાર, સીએમ વિજયના નિર્ણયથી હિન્દુ સંગઠનોમાં ખુશી
  • June 21, 2026

CM Vijay Temple Funds Decision: તમિલનાડુના રાજકારણમાં એક નવો અને ક્રાંતિકારી વળાંક આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી પદની ધુરા સંભાળ્યા બાદ થલપતિ વિજયે પોતાની ટીવીકે સરકારનો પહેલો મોટો અને જનભાવનાઓને સ્પર્શતો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bharat Tiwari Encounter: યોગી મોડલની હોડમાં ફસાયા સમ્રાટ ચૌધરી? ભરત તિવારી એન્કાઉન્ટર કેસ બન્યો ગળાનું હાડકું

  • June 21, 2026
  • 4 views
Bharat Tiwari Encounter: યોગી મોડલની હોડમાં ફસાયા સમ્રાટ ચૌધરી? ભરત તિવારી એન્કાઉન્ટર કેસ બન્યો ગળાનું હાડકું

CM Vijay Temple Funds Decision: તમિલનાડુમાં મંદિર ભંડોળને લઈને ઐતિહાસિક ફેરફાર, સીએમ વિજયના નિર્ણયથી હિન્દુ સંગઠનોમાં ખુશી

  • June 21, 2026
  • 6 views
CM Vijay Temple Funds Decision: તમિલનાડુમાં મંદિર ભંડોળને લઈને ઐતિહાસિક ફેરફાર, સીએમ વિજયના નિર્ણયથી હિન્દુ સંગઠનોમાં ખુશી

Indian Army Proposal Controversy: સોશિયલ મીડિયાના યુગમાં સૈન્ય મૂલ્યોની કસોટી, યુવા કેપ્ટનની ઘટનાએ નેતૃત્વ અને તટસ્થતા પર શરૂ કરી નવી ચર્ચા

  • June 21, 2026
  • 8 views
Indian Army Proposal Controversy: સોશિયલ મીડિયાના યુગમાં સૈન્ય મૂલ્યોની કસોટી, યુવા કેપ્ટનની ઘટનાએ નેતૃત્વ અને તટસ્થતા પર શરૂ કરી નવી ચર્ચા

Study Abroad Reality: વિદેશી ભણતરનું કડવું સત્ય, એજન્ટોના માયાજાળમાં કેવી રીતે બરબાદ થઈ રહ્યું છે વિદ્યાર્થીઓનું ભવિષ્ય?

  • June 21, 2026
  • 10 views
Study Abroad Reality: વિદેશી ભણતરનું કડવું સત્ય, એજન્ટોના માયાજાળમાં કેવી રીતે બરબાદ થઈ રહ્યું છે વિદ્યાર્થીઓનું ભવિષ્ય?

Shashi Tharoor Congress: શશિ થરૂર અને કોંગ્રેસ વચ્ચે ફરી વધ્યો તણાવ, પવન ખેડાના ‘મહામાનવ મોદી’ કટાક્ષે ગરમાવી રાજકીય ચર્ચા

  • June 21, 2026
  • 9 views
Shashi Tharoor Congress: શશિ થરૂર અને કોંગ્રેસ વચ્ચે ફરી વધ્યો તણાવ, પવન ખેડાના ‘મહામાનવ મોદી’ કટાક્ષે ગરમાવી રાજકીય ચર્ચા

TMC Political Crisis: પશ્ચિમ બંગાળથી રાષ્ટ્રીય રાજનીતિ સુધી સંદેશ આપતો ટીએમસી સંકટ, પ્રાદેશિક પક્ષો માટે કેમ છે ચેતવણીની ઘંટડી?

  • June 21, 2026
  • 6 views
TMC Political Crisis: પશ્ચિમ બંગાળથી રાષ્ટ્રીય રાજનીતિ સુધી સંદેશ આપતો ટીએમસી સંકટ, પ્રાદેશિક પક્ષો માટે કેમ છે ચેતવણીની ઘંટડી?