
રાજકોટના વીંછિંયા તાલુકાના થોરિયાળી ગામે લેન્ડગ્રેબીંગની અરજી કરનાર કોળી યુવાન ઘનશ્યામ રાજપરાની 7 શખ્સોએ કુહાડી અને ધોકાના ઘા ઝીંકી હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઈ છે. આ હત્યા આ બનાવમાં સાત શખ્સો સામે ફરિયાદ નોંધાયા બાદ 3 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. જ્યારે અન્યની શોધખોળ શરૂ કરાઈ છે. હત્યા બાદ સમગ્ર ગામમાં ભારે રોષ વ્યાપી જતાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પરિવારે કરી ન્યાનયની માગ
આ વચ્ચે પરિવારજનો અને સમાજના લોકોએ ન્યાય મેળવવા વીંછિયા સેવસદન ખાતે ધરણા પર બેસી ગયા છે. તેમની સાથે મોટી સંખ્યામાં લોકો ધરણામાં જોડાયા છે. ગુજરાત કોળી સમાજના પ્રમુખ જયેશ ઠાકોર તેમજ કોળી સમાજના આગેવાન ગુજરાતના રમેશભાઈ મેર કોંગ્રેસના ભોળાભાઈ ગોહિલ, અવસર નાકિયા તેમજ અન્ય કોળી સમાજના આગેવાનો ધરણાને સમર્થન આપી ન્યાયની માગ કરી છે. ઉહાપોહ ન થાય તે માટે વીંછિયા સેવા સદન ખાતે પોલીસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજકોટ, વીંછિયા પોલીસની વિવિધ ટીમો દ્વારા આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
શું છે મામલો?
બે દિવસ અગાઉ વીંછિયા તાલુકાના થોરિયાળી ગામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની હત્યા કરવામાં આવી હતી. ગેરકાયદે બાંધકામ અંગે અરજીઓ કરનાર ઘનશ્યામ રાજપરા ઉપર જસદણ પંથકના 7 જેટલા લોકોએ કુહાડી, ધોકા સહિતના વડે ઘાતકી હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા ઘનશ્યામ રાજપરાને પહેલા વીંછિયા પંથક અને ત્યાર બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન ઘનશ્યામ રાજપરાનું મોત થતા મામલો હત્યામાં પલટાયો હતો.
હત્યાના પગલે વીંછિયામાં આક્રોશ
વિછિયાના થોરિયાળી ગામે રહેતા ઘનશ્યામ રાજપરાએ ગેરકાયદેસર બાંધકામ અંગેની કરેલી અરજી બાદ જેના વિરુદ્ધ અરજી કરાઈ હોય તે કાઠી દરબાર શખ્સોએ કોળી યુવાનને મોતને ઘાટ ઉતારી દેતા ભારે તંગદીલી વ્યાપી ગઈ હતી. આ બનાવને પગલે સમગ્ર વીંછિયા પંથકમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પૂર્વ સરપંચ મનુભાઈ રાજપરાએ આ મામલે વિછિયાબંધનું એલાન આપ્યું હતું અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હત્યાના બનાવ બાદ આક્રોશપૂર્ણ વીંછિયામાં વેપારીઓએ બંધ પાળ્યો હતો. અને આ હત્યાના બનાવનો ભારે વિરોદ્ધ સાથે રોષ પૂર્વક રજૂઆત પણ કરી હતી.
તમને આ વિડિયો જોવો ગમશે