અકસ્માતે બનેલા મુખ્યમંત્રીએ TET-TAT શિક્ષકોની ભરતી અંગે શું કહી દીધુ?

ગુજરાતમાં શિક્ષક બનવા માગતા યુવાનોની હાલત કફોડી બની છે. કારણ કે સરકાર દ્વારા ભરતીની જાહેરાત બાદ નિમણૂંક કરતી થતી નથી. હજારો શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. આ બધુ જ સરકાર જાણે છે તેમ છતાં કંઈ પગલા લેતી નથી.

ત્યારે મુખ્યમંત્રીએ ગઈકાલે TET-TAT ઉમેદવારોની ભરતી અંગે આપેલા નિવાદનથી હોબાળો મચી ગયો છે. મુખ્યમંત્રીનું કહેવું છે કે હવે  સરકારી નોકરીઓ કેટલી આપીએ. સરકારી શાળાઓનો ક્રેસ ઘટી રહ્યો છે. તો શિક્ષકોની ભરતી કરી શું કરીએ. ત્યારે સવાલ થાય કે આજે હજ્જારો શાળામાં શિક્ષકોની ઘટ છે, તેમ છતાં આ સરકાર ભરતી કરતી નથી. શું તેમને પગારનું ભારણ વધી જવાનો ડર સતાવી રહ્યો છે.

 ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતુ કે ‘શિક્ષણ વિભાગમાં મને કંઈ ખબર પડતી નથી, ક્યાકથી શું આવીને ઉભુ થઈ જાય. રોજ ચાલુ ને ચાલુ, TET અને TAT. ભરતીઓ ચાલુ છે તો પણ. સરકારી નોકરી, સરકારી નોકરી, તમે તમારા ભાઈઓની નોકરી ઘટાડી રહ્યા છો, સરકારી શાળામાં લોકોનો ક્રેસ ઘટતો જાય છે, તો સરકારી શાળામાં શિક્ષકોની ભરતી કેવી રીતે કરીએ. કામ એવું કરો કે સરકારી શાળામાં વિદ્યાર્થીઓ વધુને વધુ આવે. તો નોકરી મળશે. સરકારી નોકરી થઈ થઈને કેટલી થવાની!

ત્યારે આ રોજગારી ન આપી શકતી સરકાર કામની શું તેવા સવાલો થઈ રહ્યા છે. ગુજરાત સરકાર શિક્ષકોને નોકરી આપવામાંથી છટકી રહી છે. સરકારની જવાબદારી છે કે રાજ્યના નાગરિકોને રોજગારી આપે. પણ તે સતત પાછી પાની કરી રહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહી રહ્યા છે કે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ નથી આવતાં તો શિક્ષકોની ભરતી કેવી રીતે કરીએ. ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ વર્ષ 2003થી થાય છે. ખુદ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી.   જેને આજે 23 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. તો સરકાર આટલા વર્ષોમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેમ વધારી ન શકી. કેમ વાલીઓઓનો વિશ્વાસ ન જીતી શકી. આટલા વર્ષો પછી વાલીઓ પાતાના સંતાનોને સરકારી શાળામાં ભણાવવા ઈચ્છતા નથી. મતલબ આ સરકારની નિષ્ફળતા છે. લોકોને ખબર છે કે સરકારી શાળામાં શિક્ષણ સારુ મળતું નથી. એકથી વધુ વિષય એક જ શિક્ષક ભણાવે છે. જેથી શિક્ષણની ગુણવત્તા કથળી રહી છે.

જુઓ આ મુદ્દે વધુ ચર્ચા વીડિયોમાં

 

આ પણ વાંચો:

  11 વર્ષથી ગુજરાત શિક્ષણ વિભાગની વેબસાઈટ અપડેટ થઈ નથી!, નેતાઓની માહિતી અપડેટ | Gujarat Education

શિક્ષણ વિભાગમાં AI ટેક્નોલોજી કેવી રીતે કરશે કામ?

‘ભાજપા કાર્યકરોએ શંકરસિંહ વાઘેલાના પોસ્ટરોને કાળા કર્યા’ | ShankarSingh Vaghela

Rajkot: શંકરસિંહ વાઘેલાનું દારૂ અંગે નિવેદન: ઘણી જગ્યાએ બહેનો દારૂ પીવે છે, દારૂબંધી જ ખોટી!

શંકરસિંહ વાઘેલાની નવી પાર્ટીની જાહેરાત બાદ ખળભળાટ, ભાજપ-કોંગ્રેસ પર શું લગાવ્યો આરોપ: EXCLUSIVE INTERVIEW

Amar Kishore Kashyap: મોડે મોડે ભાજપા નેતાનું પદ ગયુ, મહિલાને ટેકો આપવો ભારે પડ્યો

BJP નેતા અમર કિશોર કશ્યપનો જે મહિલા સાથે વીડિયો વાયરલ થયો તેણે શું કહ્યું?

Donald Trump Vs Elon Musk: એલોન મસ્ક અને ટ્રમ્પ વચ્ચે સીઝફાયર!, શબ્દયુદ્ધ રોકાયું, મસ્ક ઢીલા પડ્યા

પૂર્વ CM ના ભાઈ લક્ષ્મણસિંહને કોંગ્રેસમાંથી હાંકી કાઢ્યા | Laxman Singh

  11 વર્ષથી ગુજરાત શિક્ષણ વિભગાની વેબસાઈટ અપડેટ થઈ નથી!, નેતાઓની માહિતી અપડેટ | Gujarat Education

કથાકાર મોરારીબાપુના પત્નીનું અવસાન, સમાધિ અપાઈ | Morari Bapu wife passes away

Delhi: 9 વર્ષની બાળકી પર રેપ કરી હત્યા કરનાર પાડોશી પકડાયો, પોલીસને બ્લેડ મારી

Sabarkantha Accident: પ્રાંતિજ હાઈવે પર ઇકો કારનું ટાયર ફાટતાં ગંભીર અકસ્માત, એક્ટિવા અને બાઈકના ભુક્કા

 

 

Related Posts

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ
  • March 19, 2026

America: અમેરિકામાં ભારતના RSS અને R&AW સંસ્થાઓ પર પ્રતિબંધ મુકવાની ભલામણ યુએસ સરકારની એક પેનલ દ્વારા કરવામાં આવી છે. ■ આ ભલામણ કોણે કરી? ‘યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલીજિયસ…

Continue reading
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!
  • March 19, 2026

PM Modi: રાજકારણમાં નેતાઓ જેનો વિરોધ કરતા હોય તેની પાર્ટીમાં ક્યારે ભળી જાય તે કહેવાય નહિ અગાઉ આવાજ એક નેતા કે જેઓનું નામ ગોરધન ઝડફિયા છે તેઓએ એક સમયે નરેન્દ્ર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 3 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 5 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 8 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

  • March 19, 2026
  • 10 views
Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

  • March 19, 2026
  • 6 views
Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 4 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ