
Sunjay Kapur: ભારતના જાણીતા ઓટોમોબાઈલ ઉદ્યોગપતિ અને સોના કોમસ્ટારના ચેરમેન સંજય કપૂરનું ગુરુવારે ઈંગ્લેન્ડમાં અવસાન થયું. તેમની ઉંમર લગભગ 50 વર્ષની હતી. મળતી માહિતી મુજબ, ઈંગ્લેન્ડમાં પોલો મેચ દરમિયાન એક મધમાખી તેમના મોંમાં ઘૂસી ગઈ, જેના કારણે તેમને ગંભીર એલર્જી થઈ અને તેમને હાર્ટ એટેક આવ્યો. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ ડોક્ટરો તેમને બચાવી શક્યા નહીં. જાણકારી મુજબ પ્રખ્યાત બિઝનેસ કન્સલ્ટન્ટ સુહેલ સેઠે તેમના નિધનની માહિતી આપી અને સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો.
કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું નિધન
ઉલ્લેખનીય છે કે, તેમના મૃત્યુના થોડા કલાકો પહેલા જ સંજય કપૂરે અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કરતી પોસ્ટ પોસ્ટ કરી હતી. તેમની પોસ્ટ હવે સોશિયલ મીડિયા પર ભાવનાત્મક રીતે વાયરલ થઈ રહી છે, અને યુઝર્સ લખી રહ્યા છે, થોડા કલાકો પહેલા તમે બીજાઓ માટે પ્રાર્થના કરતા હતા, હવે બધા તમારા માટે પ્રાર્થના કરી રહ્યા છે, જીવન ખરેખર ખૂબ જ અનિશ્ચિત છે.
કરિશ્મા કપૂરના પૂર્વ પતિ હતા
નોંધનીય છે કે, સંજય કપૂર અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ હતા. તેમના લગ્નજીવનથી તેમને બે બાળકો છે – પુત્રી સમાયરા અને પુત્ર કિયાન આ દંપતીએ 2014 માં પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે અરજી કરી હતી અને 2016 માં તેમના છૂટાછેડાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. બાદમાં સંજયે પ્રિયા સચદેવ સાથે બીજી વાર લગ્ન કર્યા હતા.
આ પણ વાંચો:
Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુઆંક 297 પર પહોંચ્યો, જાણો અત્યાર સુધીની અપડેટ
UP NEWS: સોનમ પાર્ટ- 2, પતિની હત્યા કરી નદીમાં ફેંકી દીધો મૃતદેહ, આવી રીતે ઉકેલાયો હત્યાનો ભેદ
La Curfew: ટ્રમ્પની ઇમિગ્રેશન કડક કાર્યવાહીનો લોસ એન્જલસમાં ઉગ્ર વિરોધ, કર્ફ્યુ લાગુ
ગુજરાત, દિલ્હી અને રાજસ્થાનમાં ED ના દરોડા, 2700 કરોડની છેતરપિંડી મામલો
UP NEWS: સોનમ પાર્ટ- 2, પતિની હત્યા કરી નદીમાં ફેંકી દીધો મૃતદેહ, આવી રીતે ઉકેલાયો હત્યાનો ભેદ
Raja Raghuvanshi Case: પોલીસ સોનમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગશે, રાત્રે જ મેડિકલ તપાસ કરાઈ
Gujarat Weather News: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે છુટાછવાયા વરસાદની આગાહી