Ahmdedabad Plane Crash: 15 સફાઈ કર્મચારીઓ લાપતા, 19 મૃતદેહોની નથી થઈ ઓળખ

Ahmdedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર સ્થિત આઈજીપી કંપાઉન્ડમાં એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાની ઘટનામાં પોલીસની પ્રાથમિક તપાસમાં 268 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.  આમાં 241 પેસેન્જર્સ અને ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થાય છે, જ્યારે ચાર વિદ્યાર્થીઓ, મેસના ત્રણ કર્મચારીઓ અને એક બાળક સહિત આઠ લોકોની ઓળખ થઈ ચૂકી છે. ત્યારે હજુ તો કેટલાક મૃતદેહની ઓળખ પણ નથી થઈ અને કેટલાક લોકો લાપતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

19 મૃતદેહોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી

જોકે, બાકીના 19 મૃતદેહોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. આ મૃતદેહોની ઓળખ માટે પોલીસે વિશેષ ટીમ રચી છે, જે દુર્ઘટના બાદ લાપતા થયેલા લોકોની વિગતો એકત્ર કરી રહી છે.

લાપતા કર્મચારીઓની શોધખોળ

આઈજીપી કંપાઉન્ડમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ અને મેસ પર વિમાન ક્રેશ થયું હતું. તપાસ દરમિયાન 268 મૃતદેહો મળી આવ્યા હતા, પરંતુ 19 મૃતદેહોની ઓળખ એક પડકાર બની રહી છે. મેસ અને મેડિકલ હોસ્ટેલમાં સફાઈ કામ માટે આવતા 15થી વધુ કર્મચારીઓ હજુ લાપતા છે. પોલીસને આશંકા છે કે આ મૃતદેહો લાપતા કર્મચારીઓના હોઈ શકે છે. આ માટે લાપતા વ્યક્તિઓના પરિવારજનોના ડીએનએ નમૂના લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.

કેમ્પસમાં હાજર લોકોની આશંકા

પોલીસનું માનવું છે કે દુર્ઘટના સમયે કેમ્પસમાં અન્ય કેટલાક લોકો પણ હાજર હોઈ શકે છે, જેઓ આ અકસ્માતનો ભોગ બન્યા હોઈ શકે. ડીએનએ રિપોર્ટના આધારે મૃતકોની સચોટ ઓળખ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલના તબીબો અને પોલીસ સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે, અને તમામ ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ જ અંતિમ આંકડો જાહેર કરવામાં આવશે.

મૃત્યુંઆંક 300 થી પણ વધુ હોવાની શક્યતા

જાણકારી મુજબ આ ઘટનામાં મૃત્યુંઆંક 300 નજીક પહોંચી ગયો છે. આશંકા છે કે,   આ ઘટનામાં મૃત્યુંઆંક 300 થી પણ વધુ હોઈ શકે છે તેનું કારણ તે છે કે, જ્યાં પ્લેન ક્રેશ થયું તે રહેણાંક વિસ્તાર હતો અને  અહીં આજુબાજુના મકાનોને પણ આ ઘટનામાં નુકસાન થયું છે તેમાં કેટલાક બાળકો પણ હોવાનું કહેવાય છે  અને આ ઘટનામાં અન્ય મોટા માણસો એવી ગંભીર રીતે દાઝી ગયા છે કે તેમના અવશેષો પણ ઓળખાતા નથી અને અડધા અંગો બળીને ખાખ થયા છે તેને જોતા અંદાજો લગાવી શકાય કે, આ ઘટનામાં નાના બાળકોનું શું થયું હશે ?  જે આગમાં લોખંડ પણ પીગળું ગયું તેમાં નાના બાળકોનું તો શું થયું હશે ?

આ ઘટનાએ સમગ્ર દેશમાં શોકનું મોજું ફેલાવ્યું છે. કરુણ વાત તે છે કે, હજુ ઘણા પરિવારોને ખબર પણ નહીં હોય કે, તેમનું સ્વજન આ ઘટનામાં મૃત્યું પામ્યું છે. અને તેમના સ્વજનોની ડેડબોડી પણ તેઓ ઓળખી શકે તેમ નથી અને પોલીસ તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!

Sunjay Kapur: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું નિધન, છેલ્લી પોસ્ટ થઈ વાયરલ

Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો શું છે?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video

Air india Flight : 156 મુસાફરો સાથે થાઇલેન્ડથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, જાણો કારણ

Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુઆંક 297 પર પહોંચ્યો, જાણો અત્યાર સુધીની અપડેટ

Vijay Rupani: પહેલી કારથી લઈને વર્ષો જૂના સ્કૂટર સુધી, ’12’ નંબર… વિજય રૂપાણી માટે લકી નંબર જ બન્યો અપશુકનિયાળ

 

  • Related Posts

    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
    • June 15, 2025

    મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

    Continue reading
    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
    • June 15, 2025

    Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

    • June 15, 2025
    • 15 views
    Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

    • June 15, 2025
    • 16 views
    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

    Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

    • June 15, 2025
    • 22 views
    Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

    Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

    • June 15, 2025
    • 11 views
    Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

    • June 15, 2025
    • 31 views
    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

    Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

    • June 15, 2025
    • 17 views
    Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ