Ahmdedabad Plane Crash: 15 સફાઈ કર્મચારીઓ લાપતા, 19 મૃતદેહોની નથી થઈ ઓળખ

Ahmdedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર સ્થિત આઈજીપી કંપાઉન્ડમાં એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાની ઘટનામાં પોલીસની પ્રાથમિક તપાસમાં 268 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.  આમાં 241 પેસેન્જર્સ અને ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થાય છે, જ્યારે ચાર વિદ્યાર્થીઓ, મેસના ત્રણ કર્મચારીઓ અને એક બાળક સહિત આઠ લોકોની ઓળખ થઈ ચૂકી છે. ત્યારે હજુ તો કેટલાક મૃતદેહની ઓળખ પણ નથી થઈ અને કેટલાક લોકો લાપતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

19 મૃતદેહોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી

જોકે, બાકીના 19 મૃતદેહોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. આ મૃતદેહોની ઓળખ માટે પોલીસે વિશેષ ટીમ રચી છે, જે દુર્ઘટના બાદ લાપતા થયેલા લોકોની વિગતો એકત્ર કરી રહી છે.

લાપતા કર્મચારીઓની શોધખોળ

આઈજીપી કંપાઉન્ડમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ અને મેસ પર વિમાન ક્રેશ થયું હતું. તપાસ દરમિયાન 268 મૃતદેહો મળી આવ્યા હતા, પરંતુ 19 મૃતદેહોની ઓળખ એક પડકાર બની રહી છે. મેસ અને મેડિકલ હોસ્ટેલમાં સફાઈ કામ માટે આવતા 15થી વધુ કર્મચારીઓ હજુ લાપતા છે. પોલીસને આશંકા છે કે આ મૃતદેહો લાપતા કર્મચારીઓના હોઈ શકે છે. આ માટે લાપતા વ્યક્તિઓના પરિવારજનોના ડીએનએ નમૂના લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.

કેમ્પસમાં હાજર લોકોની આશંકા

પોલીસનું માનવું છે કે દુર્ઘટના સમયે કેમ્પસમાં અન્ય કેટલાક લોકો પણ હાજર હોઈ શકે છે, જેઓ આ અકસ્માતનો ભોગ બન્યા હોઈ શકે. ડીએનએ રિપોર્ટના આધારે મૃતકોની સચોટ ઓળખ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલના તબીબો અને પોલીસ સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે, અને તમામ ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ જ અંતિમ આંકડો જાહેર કરવામાં આવશે.

મૃત્યુંઆંક 300 થી પણ વધુ હોવાની શક્યતા

જાણકારી મુજબ આ ઘટનામાં મૃત્યુંઆંક 300 નજીક પહોંચી ગયો છે. આશંકા છે કે,   આ ઘટનામાં મૃત્યુંઆંક 300 થી પણ વધુ હોઈ શકે છે તેનું કારણ તે છે કે, જ્યાં પ્લેન ક્રેશ થયું તે રહેણાંક વિસ્તાર હતો અને  અહીં આજુબાજુના મકાનોને પણ આ ઘટનામાં નુકસાન થયું છે તેમાં કેટલાક બાળકો પણ હોવાનું કહેવાય છે  અને આ ઘટનામાં અન્ય મોટા માણસો એવી ગંભીર રીતે દાઝી ગયા છે કે તેમના અવશેષો પણ ઓળખાતા નથી અને અડધા અંગો બળીને ખાખ થયા છે તેને જોતા અંદાજો લગાવી શકાય કે, આ ઘટનામાં નાના બાળકોનું શું થયું હશે ?  જે આગમાં લોખંડ પણ પીગળું ગયું તેમાં નાના બાળકોનું તો શું થયું હશે ?

આ ઘટનાએ સમગ્ર દેશમાં શોકનું મોજું ફેલાવ્યું છે. કરુણ વાત તે છે કે, હજુ ઘણા પરિવારોને ખબર પણ નહીં હોય કે, તેમનું સ્વજન આ ઘટનામાં મૃત્યું પામ્યું છે. અને તેમના સ્વજનોની ડેડબોડી પણ તેઓ ઓળખી શકે તેમ નથી અને પોલીસ તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!

Sunjay Kapur: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું નિધન, છેલ્લી પોસ્ટ થઈ વાયરલ

Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો શું છે?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video

Air india Flight : 156 મુસાફરો સાથે થાઇલેન્ડથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, જાણો કારણ

Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુઆંક 297 પર પહોંચ્યો, જાણો અત્યાર સુધીની અપડેટ

Vijay Rupani: પહેલી કારથી લઈને વર્ષો જૂના સ્કૂટર સુધી, ’12’ નંબર… વિજય રૂપાણી માટે લકી નંબર જ બન્યો અપશુકનિયાળ

 

  • Related Posts

    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
    • March 19, 2026

    Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

    Continue reading
    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
    • March 19, 2026

    ■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

    • March 21, 2026
    • 3 views
    Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

    Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

    • March 21, 2026
    • 5 views
    Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

    Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

    • March 21, 2026
    • 8 views
    Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

    Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

    • March 21, 2026
    • 10 views
    Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

    PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

    • March 21, 2026
    • 7 views
    PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

    Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

    • March 21, 2026
    • 10 views
    Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!