T. Raja Singh: કટ્ટર હિન્દુ નેતા ટી. રાજા સિંહ કોણ છે? જેમણે ભાજપમાંથી રાજીનામું આપતા મચ્યો ખળભળાટ!

  • India
  • June 30, 2025
  • 0 Comments

T. Raja Singh’s Resignation From BJP: તેલંગાણા ભાજપમાં હાલ ખળભળાટ મચી ગયો છે. કારણ કે ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને કટ્ટર હિન્દુત્વની છબી ધરાવતાં ગોશામહલ વિધાનસભાના ધારાસભ્ય ટી રાજા સિંહે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. તેલંગાણા ભાજપ પ્રમુખ તરીકે એન રામચંદ્ર રાવના નામ પર ભાજપે સંમતિ દર્શાવ્યા બાદ ટી રાજા સિંહે આ નિર્ણય લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટી ​​રાજા સિંહ આ નિર્ણયથી નારાજ છે.

ટી રાજા સિંહ કોણ છે?

ટી રાજા સિંહ(T. Raja Singh)નેને ટાઈગર રાજા સિંહ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ અત્યાર સુધી તેલંગાણાના ગોશામહલ વિધાનસભા મતવિસ્તારથી ભાજપના ધારાસભ્ય હતા. તેમનો જન્મ 15 એપ્રિલ 1977 ના રોજ હૈદરાબાદના ધુલેપેટ ગામમાં લોધી સમુદાયના પરિવારમાં થયો હતો. તેઓ તેમના કટ્ટર હિન્દુત્વના વિચારો માટે જાણીતા છે અને તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે.

ટી રાજા સિંહે 2009 માં તેલુગુ દેશમ પાર્ટી (TDP) થી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. આ સમય દરમિયાન તેઓ ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય તરીકે ચૂંટાયા હતા પરંતુ 2014 માં તેઓ ભાજપમાં જોડાયા હતા. આ પછી તેઓ 2014, 2018 અને 2023 માં ગોશામહલ વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. તેઓ એક માત્ર ભાજપ ધારાસબ્ય હતા કે જેમણે 2018 માં, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS, હવે BRS)વર્ચસ્વ હોવા છતાં જીત્યા હતા.

ભાજપે 2018 માં સસ્પેન્ડ કર્યા પછી પાછા પક્ષમાં લીધા

ઓગસ્ટ 2022 માં, ભાજપે ટી રાજા સિંહને પયગંબર મુહમ્મદ પરની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ સસ્પેન્ડ કર્યા હતા. આ સમય દરમિયાન તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. જો કે ઓક્ટોબર 2023 માં તેમનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું હતું અને તેમને 2023 ની તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે ગોશામહલથી ટિકિટ આપવામાં આવી હતી.

30 જૂન 2025ના રોજ, ફરી એકવાર ટી રાજા સિંહ અને ભાજપ વચ્ચે મતભેદ થયા અને તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું. હવે જોવાનું એ છે કે ભાજપ તેમને ફરીથી મનાવી શકે છે કે ટી ​​રાજા કોઈ નવી પાર્ટીમાં જોડાય છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે શું ટી રાજા સિંહ પોતાની નવી પાર્ટી બનાવશે? આ બધા પ્રશ્નોના જવાબ ભવિષ્યમાં જ મળશે.

આ પણ વાંચો:

 

Related Posts

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર
  • March 23, 2026

 Narendra Modi: ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના સાંસદ સંજય રાઉતે સતત તળિયે જઈ રહેલો રૂપિયો અને ગેસના વધતા ભાવ અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. તેમણે આ અંગે ચિંતા વ્યક્ત કરી…

Continue reading
Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!
  • March 22, 2026

Fake Milk: ગુજરાત સહિત સમગ્ર દેશમાં બેફામ નકલી દૂધ વેચાઈ રહ્યું છે અને દૂધ ડેરીમાં પણ નકલી દૂધ આવી રહ્યું છે પરિણામે દૂધ અને દૂધની બનાવટો નકલી હોય છે તે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

  • March 24, 2026
  • 2 views
Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

Atomic Bomb: સમુદ્રમાં પરમાણુ બોમ્બ ફૂટવાનો છે! 1,20,000 ટન ઝેરી કચરો વિનાશ વેરી શકે છે!!

  • March 24, 2026
  • 4 views
Atomic Bomb: સમુદ્રમાં પરમાણુ બોમ્બ ફૂટવાનો છે! 1,20,000 ટન ઝેરી કચરો વિનાશ વેરી શકે છે!!

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

  • March 23, 2026
  • 4 views
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 6 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 18 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 13 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?