T. Raja Singh: કટ્ટર હિન્દુ નેતા ટી. રાજા સિંહ કોણ છે? જેમણે ભાજપમાંથી રાજીનામું આપતા મચ્યો ખળભળાટ!

  • India
  • June 30, 2025
  • 0 Comments

T. Raja Singh’s Resignation From BJP: તેલંગાણા ભાજપમાં હાલ ખળભળાટ મચી ગયો છે. કારણ કે ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને કટ્ટર હિન્દુત્વની છબી ધરાવતાં ગોશામહલ વિધાનસભાના ધારાસભ્ય ટી રાજા સિંહે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. તેલંગાણા ભાજપ પ્રમુખ તરીકે એન રામચંદ્ર રાવના નામ પર ભાજપે સંમતિ દર્શાવ્યા બાદ ટી રાજા સિંહે આ નિર્ણય લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટી ​​રાજા સિંહ આ નિર્ણયથી નારાજ છે.

ટી રાજા સિંહ કોણ છે?

ટી રાજા સિંહ(T. Raja Singh)નેને ટાઈગર રાજા સિંહ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ અત્યાર સુધી તેલંગાણાના ગોશામહલ વિધાનસભા મતવિસ્તારથી ભાજપના ધારાસભ્ય હતા. તેમનો જન્મ 15 એપ્રિલ 1977 ના રોજ હૈદરાબાદના ધુલેપેટ ગામમાં લોધી સમુદાયના પરિવારમાં થયો હતો. તેઓ તેમના કટ્ટર હિન્દુત્વના વિચારો માટે જાણીતા છે અને તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે.

ટી રાજા સિંહે 2009 માં તેલુગુ દેશમ પાર્ટી (TDP) થી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. આ સમય દરમિયાન તેઓ ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય તરીકે ચૂંટાયા હતા પરંતુ 2014 માં તેઓ ભાજપમાં જોડાયા હતા. આ પછી તેઓ 2014, 2018 અને 2023 માં ગોશામહલ વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. તેઓ એક માત્ર ભાજપ ધારાસબ્ય હતા કે જેમણે 2018 માં, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS, હવે BRS)વર્ચસ્વ હોવા છતાં જીત્યા હતા.

ભાજપે 2018 માં સસ્પેન્ડ કર્યા પછી પાછા પક્ષમાં લીધા

ઓગસ્ટ 2022 માં, ભાજપે ટી રાજા સિંહને પયગંબર મુહમ્મદ પરની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ સસ્પેન્ડ કર્યા હતા. આ સમય દરમિયાન તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. જો કે ઓક્ટોબર 2023 માં તેમનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું હતું અને તેમને 2023 ની તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે ગોશામહલથી ટિકિટ આપવામાં આવી હતી.

30 જૂન 2025ના રોજ, ફરી એકવાર ટી રાજા સિંહ અને ભાજપ વચ્ચે મતભેદ થયા અને તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું. હવે જોવાનું એ છે કે ભાજપ તેમને ફરીથી મનાવી શકે છે કે ટી ​​રાજા કોઈ નવી પાર્ટીમાં જોડાય છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે શું ટી રાજા સિંહ પોતાની નવી પાર્ટી બનાવશે? આ બધા પ્રશ્નોના જવાબ ભવિષ્યમાં જ મળશે.

આ પણ વાંચો:

 

Related Posts

Hisar Farmer Protest: સ્વાતંત્ર્ય દિવસે ખેડૂતો પર લાઠીઓ કેમ? હિસારમાં CM સૈનીના કાર્યક્રમ પહેલાં પોલીસ-ખેડૂત અથડામણ
  • August 15, 2026

Hisar Farmer Protest: હરિયાણાના હિસારમાં સ્વાતંત્ર્ય દિવસની સવાર તણાવપૂર્ણ રહી હતી. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીના ધ્વજારોહણ કાર્યક્રમનો વિરોધ કરવા એકત્ર થયેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. ઘટનામાં અનેક…

Continue reading
CAG રિપોર્ટનો મોટો ખુલાસો, Green India Mission પોતાના લક્ષ્યથી 97.57% પાછળ
  • August 15, 2026

Green India Mission: ભારત સરકારના મહત્વાકાંક્ષી ગ્રીન ઇન્ડિયા મિશનના અમલીકરણ અંગે નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG)ના ઓડિટમાં ગંભીર ખામીઓ સામે આવી છે. ગુરુવાર, 13 ઓગસ્ટે સંસદમાં રજૂ કરવામાં આવેલી CAGની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Hisar Farmer Protest: સ્વાતંત્ર્ય દિવસે ખેડૂતો પર લાઠીઓ કેમ? હિસારમાં CM સૈનીના કાર્યક્રમ પહેલાં પોલીસ-ખેડૂત અથડામણ

  • August 15, 2026
  • 3 views
Hisar Farmer Protest: સ્વાતંત્ર્ય દિવસે ખેડૂતો પર લાઠીઓ કેમ? હિસારમાં CM સૈનીના કાર્યક્રમ પહેલાં પોલીસ-ખેડૂત અથડામણ

CAG રિપોર્ટનો મોટો ખુલાસો, Green India Mission પોતાના લક્ષ્યથી 97.57% પાછળ

  • August 15, 2026
  • 4 views
CAG રિપોર્ટનો મોટો ખુલાસો, Green India Mission પોતાના લક્ષ્યથી 97.57% પાછળ

UP Election 2027: UP માં મહિલા મતદારો માટે મોટો દાવ! ₹50,000ની કેશ સહાય યોજના પર વિચારણા, અખિલેશ યાદવનો મોટો આરોપ

  • August 15, 2026
  • 7 views
UP Election 2027: UP માં મહિલા મતદારો માટે મોટો દાવ! ₹50,000ની કેશ સહાય યોજના પર વિચારણા, અખિલેશ યાદવનો મોટો આરોપ

Nagaland Vande Mataram controversy: નાગાલેન્ડમાં ‘વંદે માતરમ્’ના ફરજિયાત ગાયન સામે વિરોધ, ચર્ચ બાદ વિદ્યાર્થી સંગઠનો પણ મેદાનમાં

  • August 15, 2026
  • 9 views
Nagaland Vande Mataram controversy: નાગાલેન્ડમાં ‘વંદે માતરમ્’ના ફરજિયાત ગાયન સામે વિરોધ, ચર્ચ બાદ વિદ્યાર્થી સંગઠનો પણ મેદાનમાં

Narendra Modi Speech: 75 મિનિટના ભાષણમાં મોદીનો ‘દિમાગી નક્સલ’થી રિફોર્મ એક્સપ્રેસ સુધીનો સંદેશ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

  • August 15, 2026
  • 8 views
Narendra Modi Speech: 75 મિનિટના ભાષણમાં મોદીનો ‘દિમાગી નક્સલ’થી રિફોર્મ એક્સપ્રેસ સુધીનો સંદેશ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

Assam flood causes: અસમના વિનાશક પૂર પાછળ આબોહવા પરિવર્તન નહીં, માનવસર્જિત કારણો જવાબદાર – WWA રિપોર્ટ

  • August 15, 2026
  • 10 views
Assam flood causes: અસમના વિનાશક પૂર પાછળ આબોહવા પરિવર્તન નહીં, માનવસર્જિત કારણો જવાબદાર – WWA રિપોર્ટ