AAP Gujarat: AAP નું સદસ્યતા અભિયાન, પૂર્વ વન મંત્રી સહિત ભાજપના આગેવાનો AAP માં જોડાયા

AAP Gujarat: આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ખૂબ જ તેજીથી આગળ વધી રહી છે. ગતરોજ અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાત જોડો સદસ્યતા અભિયાનની જાહેરાત પણ કરી અને હવે આગામી સમયમાં વધુમાં વધુ લોકોને આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવશે. આ સાથે ગતરોજ પૂર્વ વન મંત્રી મોતિસિંહ વસાવાના ગામના અને એમના કુટુંબના વ્યક્તિઓ માજી સરપંચ ઘેમલસિંહ વસાવા સહીત આગેવાનો રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અરવિંદ કેજરીવાલ, ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવા એ ખેસ પહેરાવીને ઘેમલસિંહ વસાવા સહિત ઘણા આગેવાનોનું AAPમાં સ્વાગત કર્યું હતું.

AAP નું સદસ્યતા અભિયાન સફળ થવા તરફ

મહત્વનું છે કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે 2027 માં ગુજરાત જીતવા માટે એક મેગા પ્લાન બનાવ્યો છે. આ દરમિયાન, બુધવારે, તેમણે અમદાવાદથી ગુજરાત જોડો સભ્યપદ અભિયાનની શરૂઆત કરી, તેમણે ગુજરાતના યુવાનોને 9512040404 પર મિસ્ડ કોલ આપીને “AAP” માં જોડાવા અને પ્રામાણિકતા, વિકાસ અને પરિવર્તનની આ ઐતિહાસિક યાત્રાનો ભાગ બનવા અને ગુજરાતની બાગડોર સંભાળવા અપીલ કરી હતી.

ગુજરાતમાં આવેલા કેજરીવાલનો હુંકાર

વિસાવદર બેઠક જીત્યા બાદ આમ આદમી પાર્ટીમાં નવો ઉત્સાહ જાગ્યો છે. તેમજ લોકોને પણ ક્યાંકને ક્યાંક આપ પાર્ટીને પસંદ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યુ છે. આ મામલે ગુજરાતમાં આવેલા અરવિંદ કેજરીવાલે ગઈ કાલે કહ્યું હતુ કે, વિસાવદરનો વિજય ફક્ત એક બેઠકનો નથી, પરંતુ પ્રામાણિકતાનો વિજય છે. હવે આ પરિવર્તન આખા ગુજરાતમાં ગુંજશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ ફક્ત ભાજપ માટે કામ કરે છે, ફક્ત આમ આદમી પાર્ટી દેશ અને ગુજરાતની જનતાની સેવા કરે છે. 30 વર્ષથી ગુજરાતમાં કોઈ વિકલ્પ ન હોવાને કારણે, ભાજપ ઘમંડી બની ગયો હતો કે લોકો ક્યાં જશે, તેઓ ફક્ત તેમને જ મત આપશે, પરંતુ હવે “આપ” ગુજરાતમાં એક મજબૂત વિકલ્પ બની ગઈ છે. “આપ” 2027 માં સરકાર બનાવશે. લોકોનું શાસન આવશે અને ભ્રષ્ટાચારીઓનું શાસન જશે.

આ પણ વાંચો:
 
 
 
 
 
 

  • Related Posts

    Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા
    • August 5, 2025

    Gambhira Bridge Collapse:  વડોદરા અને આણંદ જીલ્લાને જોડતાં ગંભીરા બ્રિજ પર બનેલી દુર્ઘટનાને 1 મહિનો થવા આવશે. ગત મહિને આ પુલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો, જેમાં 20 લોકોના…

    Continue reading
    Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ
    • August 5, 2025

    Vadodara: વડોદરા ફાયર બ્રિગેડ વિભાગમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિઓની ફરિયાદો ઉઠતાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક તપાસના આદેશ આપ્યા હતા.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

    • August 5, 2025
    • 8 views
    Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

    Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

    • August 5, 2025
    • 22 views
    Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

    Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

    • August 5, 2025
    • 25 views
    Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

    Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

    • August 5, 2025
    • 13 views
    Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

    Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

    • August 5, 2025
    • 30 views
    Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

    Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

    • August 5, 2025
    • 30 views
    Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?