AAP Gujarat: AAP નું સદસ્યતા અભિયાન, પૂર્વ વન મંત્રી સહિત ભાજપના આગેવાનો AAP માં જોડાયા

AAP Gujarat: આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ખૂબ જ તેજીથી આગળ વધી રહી છે. ગતરોજ અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાત જોડો સદસ્યતા અભિયાનની જાહેરાત પણ કરી અને હવે આગામી સમયમાં વધુમાં વધુ લોકોને આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવશે. આ સાથે ગતરોજ પૂર્વ વન મંત્રી મોતિસિંહ વસાવાના ગામના અને એમના કુટુંબના વ્યક્તિઓ માજી સરપંચ ઘેમલસિંહ વસાવા સહીત આગેવાનો રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અરવિંદ કેજરીવાલ, ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવા એ ખેસ પહેરાવીને ઘેમલસિંહ વસાવા સહિત ઘણા આગેવાનોનું AAPમાં સ્વાગત કર્યું હતું.

AAP નું સદસ્યતા અભિયાન સફળ થવા તરફ

મહત્વનું છે કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે 2027 માં ગુજરાત જીતવા માટે એક મેગા પ્લાન બનાવ્યો છે. આ દરમિયાન, બુધવારે, તેમણે અમદાવાદથી ગુજરાત જોડો સભ્યપદ અભિયાનની શરૂઆત કરી, તેમણે ગુજરાતના યુવાનોને 9512040404 પર મિસ્ડ કોલ આપીને “AAP” માં જોડાવા અને પ્રામાણિકતા, વિકાસ અને પરિવર્તનની આ ઐતિહાસિક યાત્રાનો ભાગ બનવા અને ગુજરાતની બાગડોર સંભાળવા અપીલ કરી હતી.

ગુજરાતમાં આવેલા કેજરીવાલનો હુંકાર

વિસાવદર બેઠક જીત્યા બાદ આમ આદમી પાર્ટીમાં નવો ઉત્સાહ જાગ્યો છે. તેમજ લોકોને પણ ક્યાંકને ક્યાંક આપ પાર્ટીને પસંદ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યુ છે. આ મામલે ગુજરાતમાં આવેલા અરવિંદ કેજરીવાલે ગઈ કાલે કહ્યું હતુ કે, વિસાવદરનો વિજય ફક્ત એક બેઠકનો નથી, પરંતુ પ્રામાણિકતાનો વિજય છે. હવે આ પરિવર્તન આખા ગુજરાતમાં ગુંજશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ ફક્ત ભાજપ માટે કામ કરે છે, ફક્ત આમ આદમી પાર્ટી દેશ અને ગુજરાતની જનતાની સેવા કરે છે. 30 વર્ષથી ગુજરાતમાં કોઈ વિકલ્પ ન હોવાને કારણે, ભાજપ ઘમંડી બની ગયો હતો કે લોકો ક્યાં જશે, તેઓ ફક્ત તેમને જ મત આપશે, પરંતુ હવે “આપ” ગુજરાતમાં એક મજબૂત વિકલ્પ બની ગઈ છે. “આપ” 2027 માં સરકાર બનાવશે. લોકોનું શાસન આવશે અને ભ્રષ્ટાચારીઓનું શાસન જશે.

આ પણ વાંચો:
 
 
 
 
 
 

  • Related Posts

    Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
    • July 31, 2026

    Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

    Continue reading
    AAP Gujarat local body election: ચૈતર વસાવાની ગેરહાજરી છતાં આદિવાસી વિસ્તારમાં AAP નો દબદબો, પેટાચૂંટણીમાં મોટી જીત
    • July 30, 2026

    AAP Gujarat local body election: ગુજરાતમાં યોજાયેલી વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓના પરિણામો જાહેર થતાં આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી (AAP)એ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ચૈતર વસાવાની ગેરહાજરી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    • August 1, 2026
    • 5 views
    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    • August 1, 2026
    • 6 views
    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

    • August 1, 2026
    • 7 views
    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

    Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

    • August 1, 2026
    • 7 views
    Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

    Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

    • August 1, 2026
    • 9 views
    Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

    PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

    • August 1, 2026
    • 7 views
    PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી