પાકિસ્તાની સેનાએ રાતના અંધારામાં કર્યો અફઘાનિસ્તાન પર હુમલો

  • World
  • January 3, 2025
  • 0 Comments

પાકિસ્તાની સેનાએ ફરી એકવાર રાતના અંધારામાં અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો, જેનાથી બંને દેશો વચ્ચેનો તણાવ વધી રહ્યો છે. રાત્રે આશરે દોઢ વાગ્યે પાકિસ્તાની સેના દ્વારા ડૂરંડ લાઇન પાસે ખોશ્ત પ્રાંતના અલી શેર જિલ્લામાં હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની સેનાએ તાલિબાનના ઠેકાણાઓ પર રોકેટથી હુમલો કર્યો હતો. જેનો તાલિબાની સેનાએ પણ ભારે હથિયારો સાથે વળતો જવાબ આપ્યો હતો. બંને સેનાઓ વચ્ચે સવારે 5 વાગ્યાથી આ ઘર્ષણ શરુ થયું હતું. આ હુમલાના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો સુરક્ષિત વિસ્તારમાં જતા રહ્યા હતા. જોકે, હજુ સુધી બંને સેનામાંથી કોઈએ પણ જાનહાનિની જાણકારી આપી નથી.

આ પહેલાં પણ પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનના ચાર વિસ્તારમાં હવાઈ હુમલા કર્યા હતા, જેમાં આશરે 50 લોકોના મોત થયા હતા. પાકિસ્તાનનો દાવો હતો કે, મોતને ભેટલા લોકો ટીટીપી(તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન)ના આતંકવાદી હતા. આ આતંકવાદીઓ પાકિસ્તાન પર મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા. જેના જવાબમાં તાલિબાની સેનાએ પણ પાકિસ્તાની પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો હતો. જેમાં તાલિબાનનો દાવો છે કે, તેઓએ 18 પાકિસ્તાની સૈનિકોને ઠાર કરી દીધા અને અનેક પોલીસ સ્ટેશન કબ્જે કર્યા છે.

ટીટીપીએ પાકિસ્તાની પોલીસ સ્ટેશન પર કબ્જો કરવાના વીડિયોને શેર કર્યો હતો. વળી, પાકિસ્તાની સેનાએ તેના પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, તેઓએ રાજકીય કારણોસર પોલીસ સ્ટેશન ખાલી કર્યા હતા. પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે હુમલા અને જવાબી કાર્યવાહીથી બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ છે. તાલિબાને પણ સ્પષ્ટ કરી દીધું કે, તે ડૂરંડ લાઇનને સીમા રેખાના રૂપે માન્યતા નથી આપતું, જેને અંગ્રેજોએ બનાવી હતી.

આ પણ વાંચો-ભોપાલ ગેસ દુર્ઘટના: 40 વર્ષ પછી પણ જઇ રહ્યા છે જીવ!! કેમ 2 લોકોએ કર્યો આત્મદાહ?

  • Related Posts

    Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા
    • June 27, 2026

    Indian Visa Challenges: વિદેશી વિઝા મેળવવા એ હવે ભારતીય પ્રવાસીઓ માટે માત્ર કાગળની પ્રક્રિયા નથી, પરંતુ એક માનસિક આઘાત સમાન બની ગઈ છે. જ્યારે આપણે વિદેશ યાત્રાનું સપનું જોઈએ છીએ,…

    Continue reading
    Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી
    • June 27, 2026

    Air India Flight 182: કેનેડાની ધરતી પરથી ચાલતા આતંકવાદી નેટવર્ક અને ત્યાની સરકારોની વોટબેંકની રાજનીતિ વચ્ચે એક મોટો વળાંક આવ્યો છે. કેનેડાની જાસૂસી સંસ્થા કેનેડિયન સિક્યુરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ (CSIS) એ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

    • June 27, 2026
    • 3 views
    Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

    Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

    • June 27, 2026
    • 5 views
    Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

    Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

    • June 27, 2026
    • 6 views
    Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

    Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

    • June 27, 2026
    • 9 views
    Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

    Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

    • June 27, 2026
    • 10 views
    Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

    Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી

    • June 27, 2026
    • 10 views
    Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી