Bhavnagar: મહુવામાં ડબલ મર્ડરની ઘટના, જમાઈએ જ સાસુ-સસરાનું કાસળ કાઢી નાખ્યું ?

Bhavnagar: રાજ્યમાં ક્રાઈમની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે, ગુનેગારોને જાણે કે કાયદાનો ડર જ રહ્યો નથી તેવું લાગી રહ્યુ છે. નાની નાની વાતે હત્યા જેવી ગંભીર ઘટનાઓને અંજામ આપવામા આવી રહ્યો છે ત્યારે આજે ભાવનગરમાં ફરી એવી એક ઘટના સામે આવી છે જેના કારણે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો થઈ રહ્યા છે. ભાવનગર જિલ્લાનાં મહુવા શહેરમાં ડબલ મર્ડરની ઘટના બની છે. શહેરના ખારઝાપા વિસ્તારમાં રહેતા પતિ-પત્નીની ધાતકી હત્યા કરતા ચકચાર મચી ગઈ છે.

મહુવામાં ડબલ મર્ડર કેસની ઘટના

મળતી માહિતી મુજબ મહુવા શહેરના ખારઝાપા વિસ્તારમાં આવેલી દેવી ભવન શાળા નજીક રહેતા રમેશભાઈ વીરાભાઈ ડોળાશીયા (ઉંમર 45 વર્ષ) અને તેમની પત્ની ભારતીબેન રમેશભાઈ ડોળાશીયા (ઉંમર 40 વર્ષ)ની હત્યા કરી દેવામાં આવી છે. જેમાં ગુનેગારે તેઓના ઘરમા જ ઘૂસીને કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે.

આરોપીને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી

પતિ-પત્નિની હત્યા થતા મહુવા ટાઉન પી.આઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મહુવા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે અને આરોપીને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી હતી.

સગા જમાઈએ જ સાસુ સસરાની હત્યા કરી?

કહેવામાં આવી રહ્યું છે કે, આ હત્યા બીજા કોઈએ નહીં પરંતુ સગા જમાઈએ જ કરી છે. કારણ કે, મૃતક પતિ – પત્નીના 3 સંતાનો છે. ત્યારે 3 સંતાનો હોવા છતાં પત્નીએ અન્ય યુવક સાથે બીજા લગ્ન કર્યા હોવા બાબતે જમાઈ તેના સાસુ-સસરા સાથે અનેક વખત ઝઘડો કરતો હતો. ત્યારે રોષે ભરાયેલા જમાઈએ ગઈકાલે સાંજના સમયે સાસુ-સસરાના ઘરમાં ઘુસીને તીક્ષ્ણ હથિયાર વડે રહેંશી નાખ્યા હોવાનું કહેવાય છે. જો કે, સાચી માહિતી તો તપાસ બાદ જ સામે આવશે.

અહેવાલ: નીતિન ગોહેલ

આ પણ વાંચો:
 
 
 
 
 
 

  • Related Posts

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
    • August 2, 2026

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

    Continue reading
    Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
    • July 31, 2026

    Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

    • August 2, 2026
    • 3 views
    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

    • August 2, 2026
    • 5 views
    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

    Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

    • August 2, 2026
    • 10 views
    Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    • August 1, 2026
    • 6 views
    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    • August 1, 2026
    • 8 views
    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

    • August 1, 2026
    • 9 views
    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ