Bhavnagar: મહુવામાં ડબલ મર્ડરની ઘટના, જમાઈએ જ સાસુ-સસરાનું કાસળ કાઢી નાખ્યું ?

Bhavnagar: રાજ્યમાં ક્રાઈમની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે, ગુનેગારોને જાણે કે કાયદાનો ડર જ રહ્યો નથી તેવું લાગી રહ્યુ છે. નાની નાની વાતે હત્યા જેવી ગંભીર ઘટનાઓને અંજામ આપવામા આવી રહ્યો છે ત્યારે આજે ભાવનગરમાં ફરી એવી એક ઘટના સામે આવી છે જેના કારણે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો થઈ રહ્યા છે. ભાવનગર જિલ્લાનાં મહુવા શહેરમાં ડબલ મર્ડરની ઘટના બની છે. શહેરના ખારઝાપા વિસ્તારમાં રહેતા પતિ-પત્નીની ધાતકી હત્યા કરતા ચકચાર મચી ગઈ છે.

મહુવામાં ડબલ મર્ડર કેસની ઘટના

મળતી માહિતી મુજબ મહુવા શહેરના ખારઝાપા વિસ્તારમાં આવેલી દેવી ભવન શાળા નજીક રહેતા રમેશભાઈ વીરાભાઈ ડોળાશીયા (ઉંમર 45 વર્ષ) અને તેમની પત્ની ભારતીબેન રમેશભાઈ ડોળાશીયા (ઉંમર 40 વર્ષ)ની હત્યા કરી દેવામાં આવી છે. જેમાં ગુનેગારે તેઓના ઘરમા જ ઘૂસીને કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે.

આરોપીને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી

પતિ-પત્નિની હત્યા થતા મહુવા ટાઉન પી.આઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મહુવા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે અને આરોપીને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી હતી.

સગા જમાઈએ જ સાસુ સસરાની હત્યા કરી?

કહેવામાં આવી રહ્યું છે કે, આ હત્યા બીજા કોઈએ નહીં પરંતુ સગા જમાઈએ જ કરી છે. કારણ કે, મૃતક પતિ – પત્નીના 3 સંતાનો છે. ત્યારે 3 સંતાનો હોવા છતાં પત્નીએ અન્ય યુવક સાથે બીજા લગ્ન કર્યા હોવા બાબતે જમાઈ તેના સાસુ-સસરા સાથે અનેક વખત ઝઘડો કરતો હતો. ત્યારે રોષે ભરાયેલા જમાઈએ ગઈકાલે સાંજના સમયે સાસુ-સસરાના ઘરમાં ઘુસીને તીક્ષ્ણ હથિયાર વડે રહેંશી નાખ્યા હોવાનું કહેવાય છે. જો કે, સાચી માહિતી તો તપાસ બાદ જ સામે આવશે.

અહેવાલ: નીતિન ગોહેલ

આ પણ વાંચો:
 
 
 
 
 
 

  • Related Posts

    Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ
    • March 23, 2026

    Bhavnagar News: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની કરેલી પહેલ બાદ હવે ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં ગુનેગારોના ઘરો તોડવાનું અભિયાન ચલાવ્યું છે જેમાં અત્યારસુધીમાં અલગ…

    Continue reading
    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
    • March 19, 2026

    Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

    • March 23, 2026
    • 6 views
    UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

    SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

    • March 23, 2026
    • 8 views
    SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

    Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

    • March 23, 2026
    • 10 views
    Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

    Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

    • March 23, 2026
    • 11 views
    Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

    Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

    • March 23, 2026
    • 15 views
    Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

    War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા

    • March 22, 2026
    • 9 views
    War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા