
BJP Gujarat: હાલમાં મનરેગા કૌભાંડનો મુદ્દો ખુબ ચર્ચામાં છે. મનરેગા કૌભાંડનો રેલો દાહોદથી લઈને ભરુચ સુધી પહોંચ્યો છે. આ કૌભાંડમાં ન માત્ર ભાજપ પરંતુ કોંગ્રેસ નેતાઓની પણ સંડોવણી સામે આવી છે. ત્યારે બધા એક બીજા પર આક્ષેપ કરી રહ્યા છે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે આ કૌભાંડમાં મોટી માછલીઓ નથી પકડાઈ રહી તેવામાં મનરેગા કૌભાંડ મામલે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ રાજ્યપાલને મળ્યું હતું.
કોંગ્રેસ બચુ ખાબડને પદ પરથી હટાવવા કરી રજૂઆત
કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે ભ્રષ્ટાચાર, મનરેગા કૌભાંડ, ખાડા સહિત મુદ્દે રાજયપાલને રજૂઆત કરી હતી. જે બાદ અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે, સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે.ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર છે. અમિત ચાવડાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ગામથી ગાંધીનગર સુધી મેળાપીપણું ચાલે છે. બચુ ખાબડને કેમ હટાવવામાં નથી આવતા તેવા સવાલ કર્યા છે. અમિત ચાવડાએ કહ્યું કે, કૌભાંડીનો કોઈ પક્ષ નથી હોતો તે જે પણ પાર્ટીમાં હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ.
ઉપરના લેવલ સુધી કેવો કેવો ભ્રષ્ટાચાર ચાલે છે?
આ મામલે પત્રકાર હેમાંશું ભાયાણીએ જણાવ્યું કે, અમિત ચાવડાની વાત સાચી છે ભ્રષ્ટાચારનો કોઈ પક્ષ નથી હોતો અને તેમણે રજૂઆત કરી તે પણ ખુબ સાચી છે પરંતુ તેના પર એકશન કેમ લેવાશે. જો એકશન લેવાય તો તેનું મુળ ક્યાંયનું ક્યાય નિકળે. આ સાથે તેમણે ગુજરાતમાં ભ્રષ્ટાચારની સ્થિતિ વેશે પણ જણાવ્યું હતું. શું ગુજરાતના ભ્રષ્ટ અધિકારીઓને રક્ષણ મળી રહ્યું છે? કેમ કોઈ અધિકારી સામે કાર્યવાહી નથી થઈ? ઉપરના લેવલ સુધી કેવા કેવા ભ્રષ્ટાચાર ચાલે છે તે વિશે પણ હેમાશું ભાયાણીએ જણાવ્યું હતું, જાણવા માટે જુઓ વીડિયો…








