Gujarat politics: ચૈતર વસાવાની ધરપકડ રાજકીય ચાલ, શું ભાજપ AAPનો ઉપયોગ કરી કોંગ્રેસને ખતમ કરવા માંગે છે?

Gujarat politics: ગુજરાતમાં હાલ ભરુચ જિલ્લાનું રાજકારણ ખુબ ગરમાયું છે. અને આપ ધારાસભય ચૈતર વસાવા હાલ તેના હીરો તરીકે જોવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા તેમની અટકાયત કરતા આપ નેતાઓ અને આદિવાસી લોકો તેમના સમર્થનમાં આવ્યા છે ત્યારે આ બધામાં અંદરનું શું રાજકારણ છે અંદરો અંદર શું ચાલી રહ્યું છે તે વિશે નર્મદાના સ્થાનિક પત્રકાર ઉમેશે સમજાવ્યું છે.

ચૈતર વસાવાની ધરપકડ પાછળનું રાજકારણ

સ્થાનિક પત્રકારે જણાવ્યું કે, આ માત્ર એક ઘટના નથી પરંતુ ત્રણ ઘટના છે. પહેલા નર્મદા જિલ્લાના દેડીયાપાડામાં આદિજાતિ વિકાસ કચેરી (ATVT)ની સંકલન બેઠકમાં ચૈતર વસાવા જાય છે. ત્યારે તેઓ જુએ છે કે, આ બેઠકમાં જે ચૂંટાયેલા પ્રતિનિધીઓ નથી તે પણ હાજર છે. આ ઘટના બાદ ચૈતર વસાવા સવાલ ઉઠાવે છે અને પછી બબાલ થાય છે. બીજી ઘટનામાં પોલીસે જે પ્રમાણે કાર્યવાહી કરી તે છે ત્રીજા ઘટના તે છે કે, આ બધાની વચ્ચે આપ પાર્ટીએ આ ઘટનાને સ્ટેટ લેવનો મુદ્દો બનાવી દીધો અને હાઈવોલ્ટેજ ટ્રામા બનાવ્યો. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ શરુ થયો અને તેમના સમર્થકો ઉમટ્યા અને પોલીસ સાથે તેમનું ઘર્ષણ પણ થયું હોવાનું સામે આવ્યું. ત્યારે બીજી તરફ ભાજપ આ મુદ્દાને આદિવાસીનો મુદ્દો બનાવવાની કોશિશ કરી રહી છે.

 ભૂપેન્દ્ર પટેલની સરકાર પર ગરીબોની રોજી-રોટી છીનવી લેવાનો આક્ષેપ 

ગુજરાતમાં 2500 કરોડ રૂપિયાના ગરીબી નિવારણ કૌભાંડના આરોપે રાજ્યનું રાજકારણ ગરમાયું છે. ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આ કૌભાંડનો આરોપ મૂક્યો છે, જેમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર પર ગરીબોની રોજી-રોટી છીનવી લેવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા શરૂ કરવામાં આવેલી “વિજય સંદેશ યાત્રા” ભાજપ માટે માથાનો દુખાવો બની રહી છે, કારણ કે આ યાત્રાએ રાજ્યના આદિવાસી મતદારોમાં AAPની પકડ મજબૂત કરી છે.

લોકસભા ચૂંટણી 2024: ચૈતર વસાવાની જીત અને ભાજપની ઘટતી લીડ

2024ની લોકસભા ચૂંટણીમાં AAPના નેતા ચૈતર વસાવાએ ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડી હતી. ભલે તેઓ જીત્યા ન હતા, પરંતુ 5 લાખ મતો મેળવીને ભાજપની લીડને નોંધપાત્ર રીતે ઘટાડી દીધી હતી. 2019ની ચૂંટણીમાં ભાજપે ભરૂચમાં 3.34 લાખ મતોની સરસાઈ મેળવી હતી, જે 2024માં ઘટીને માત્ર 85,000 મતોની રહી. ચૈતર વસાવાએ પોતાની રાજકીય તાકાત અને AAPના આધારે આ બેઠક પર ભાજપને કડક ટક્કર આપી, જેના કારણે ગુજરાતના આદિવાસી મતદારોમાં તેમની લોકપ્રિયતા વધી છે.

આદિવાસી મતદારો અને રાજકીય રમત

ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં લગભગ 80 લાખ મતદારો છે, જે દેશની ચૂંટણીઓમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ભાજપ આ મતદારોની વચ્ચે પોતાની પકડ જાળવી રાખવા માગે છે, પરંતુ AAP અને ચૈતર વસાવાની લોકપ્રિયતાએ તેમની ચિંતા વધારી છે. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ભાજપ આદિવાસી મતદારોના મતોને AAP તરફ ધકેલવાનો પ્રયાસ કરી રહી છે, જેથી કોંગ્રેસનું પરંપરાગત મતબેંક નબળું પડે.

ચૈતર વસાવા પર ગુનાઓનો આરોપ: રાજકીય ષડયંત્ર?

ચૈતર વસાવા સામે ગુજરાત પોલીસ દ્વારા અનેક ગુનાઓ નોંધવામાં આવ્યા છે, જેને AAP રાજકીય ષડયંત્ર ગણાવે છે. આ ઘટનાઓને કોંગ્રેસના 22 પૂર્વ ધારાસભ્યોની જેમ ભાજપમાં ખેંચવાની ચાલ તરીકે જોવામાં આવી રહી છે, જેઓએ ભાજપમાં જોડાયા હતા. AAPનો દાવો છે કે ગુજરાત પોલીસ ભાજપના ઈશારે કામ કરી રહી છે, અને ચૈતર વસાવાને બદનામ કરવા તેમની સામે ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે.

અમિત શાહની ચાલબાજી અને ભૂપેન્દ્ર પટેલની નિષ્ફળતા?

આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ગૃહમંત્રી અમિત શાહની રણનીતિ હેઠળ ભાજપ આદિવાસી મતદારોને AAP તરફ ધકેલી કોંગ્રેસને નબળી પાડવાનો પ્રયાસ કરી રહી છે. આ રણનીતિનો હેતુ ગુજરાતમાં કોંગ્રેસના પરંપરાગત મતબેંકને ખતમ કરવાનો હોવાનું મનાય છે. આ ઉપરાંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પર પોલીસને બેલગામ સત્તા આપવાનો આરોપ છે, જેના કારણે રાજકીય દબાણનો ઉપયોગ કરીને વિરોધી નેતાઓને નિશાન બનાવવામાં આવે છે. આ બધું ભાજપની છબીને નુકસાન પહોંચાડી શકે છે, જેને AAP “પોતાના પગ પર કુહાડી મારવી” તરીકે ગણાવે છે.

 શું ભાજપની ચાલ સફળ થશે?  

ગુજરાતનું રાજકારણ 2500 કરોડના કથિત કૌભાંડ અને ચૈતર વસાવાના મુદ્દે ગરમાયેલું છે. AAPની વિજય સંદેશ યાત્રા અને આદિવાસી મતદારોમાં વધતી લોકપ્રિયતાએ ભાજપને ચિંતામાં મૂકી દીધી છે. ચૈતર વસાવા સામેના ગુનાઓ અને પોલીસની કથિત રાજકીય ભૂમિકા પરના આરોપોએ રાજ્યની રાજનીતિમાં નવો વિવાદ જન્માવ્યો છે.  ત્યારે આદિવાસી મતો AAP તરફ ધકેલી કોંગ્રેસને નબળી કરવાનો ભાજપનો પ્લાન કેટલો સફળ થશે. આગામી દિવસોમાં આ મુદ્દો રાજ્યના રાજકારણને કઈ દિશામાં લઈ જશે, તે જોવું રહ્યું.

આ પણ વાંચો:

 
 
 
 
 

  • Related Posts

    Gujarat Protest History: પૂર્વ મુંખ્યપ્રધાન મોદીના 13 વર્ષમાં 19 આંદલનો કચડી નંખ્યા
    • July 30, 2026

    Gujarat Protest History: ગુજરાતમાં વર્ષો દરમિયાન થયેલા વિવિધ આંદોલનો અને તેના પર સરકારના પ્રતિસાદને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. દિલ્હીમાં થયેલા તાજેતરના વિદ્યાર્થી આંદોલનોના સંદર્ભમાં ગુજરાતના અનેક ઐતિહાસિક આંદોલનોનો…

    Continue reading
    GIDC Stamp Duty: ઉદ્યોપતિઓએ ઔદ્યોગિક વસાહતોમાં સ્ટેમ્પ ડ્યુટી માફી માંગી, ગુજરાતના દરેક સામાન્ય લોકોએ અગાઉના મકાન સોદા ઉપર નાણા આપી દીધા 
    • July 29, 2026

    GIDC Stamp Duty: ઉદ્યોપતિઓએ ઔદ્યોગિક વસાહતોમાં સ્ટેમ્પ ડ્યુટી માફી માંગી, ગુજરાતના દરેક સામાન્ય લોકોએ અગાઉના મકાન સોદા ઉપર નાણા આપી દીધા  દિલીપ પટેલ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) એસ્ટેટમાં પ્લોટના જુના…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

    • August 2, 2026
    • 3 views
    Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    • August 1, 2026
    • 5 views
    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    • August 1, 2026
    • 6 views
    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

    • August 1, 2026
    • 7 views
    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

    Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

    • August 1, 2026
    • 7 views
    Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

    Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

    • August 1, 2026
    • 10 views
    Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત