Bihar Election: શું બિહારમાં 35 લાખથી વધુ મતદારો નકલી નીકળ્યા?, જાણો

Bihar Election: બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓને લઈ રાજકીય પક્ષો જુસ્સાભેર તૈયારીઓ કરી રહ્યા છે. બીજી તરફ ચૂંટણીપંચ મતદાર યાદી સુધારણા કરી રહી છે. જેનો દેશમાં ભારે વિરોધ થઈ રહ્યા છે. સરકાર અને ચૂંટણીપંચ પર મતદારો ખતમ કરવાનો આરોપ લાગી રહ્યો છે. ત્યાર આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર 18 જુલાઈના રોજ બિહાર પહોંચશે. જે દરમિયાન તેઓ રાજ્યને હજારો કરોડના અનેક પ્રોજેક્ટની ભેટ આપી આવતી ચૂંટણીમાં જીત હાંસલ કરવાના પ્રયાસ કરશે. તેઓ બિહારની ચૂંટણી જીતવા અત્યારથી જ ધમપછાડા કરી રહ્યા છે. છેલ્લા 4 મહિનામાં આ તેમની ચોથી મુલાકાત છે. આ મુલાકાત દરમિયાન તેઓ 24 વિધાનસભા બેઠકો પર પણ નજર રાખશે.

ઉલ્લખેયનીય છે તાજેતરમાં જ ગાંધીજીના પ્રપૌત્રનું જે જીલ્લામાં અપમાન થયું છે. તે જીલ્લા ચંપારણની મુલાકાત લેવાના છે. ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીને ચંપારણના એક ગામમાં યોજાયેલા કાર્યક્રમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેઓ ભાજપની નીતીઓનો વિરોધ કરે છે. ત્યારે હવે 18 જુલાઈએ આ જ જીલ્લાની મુલાકાત વડાપ્રધાન મોદી લેવાના છે. અહીં જાહેર સભા સંબોધી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે.

બિહારમાં મતદાન યાદી સુધારણા ઝૂંબેશ

બીજી તરફ બિહારમાં ચૂંટણી પંચની મતદાર યાદીના સુધારણા અને ચકાસણીની ઝુંબેશ અંતિમ તબક્કામાં છે. આ પ્રક્રિયા 24 જૂનથી શરૂ થઈ હતી અને હવે 11 દિવસ બાકી છે અને 7 કરોડ 90 લાખ મતદારોમાંથી 6 કરોડ 60 લાખ 67 હજાર 208 મતદારોએ તેમના મતગણતરી ફોર્મ સબમિટ કર્યા છે. આ આંકડો કુલ મતદારોના લગભગ 88 ટકા સુધી પહોંચે છે. અત્યાર સુધીની કવાયતમાં એવું માનવામાં આવે છે કે 35 લાખ 69 હજારથી વધુ મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવશે.

35,69,435 નામ મતદાર યાદીમાંથી દૂર કરાશે

અત્યાર સુધીમાં ચૂંટણી પંચની વેબસાઇટ પર 5 કરોડ 74 લાખથી વધુ ફોર્મ અપલોડ કરવામાં આવ્યા છે. ઘરે ઘરે જઈને બે રાઉન્ડના સર્વેક્ષણ પછી 1.59 ટકા (12,55,620) મતદારો મૃત્યુ પામ્યા હોવાનું બહાર આવ્યુ છે. જોકે, 2.2 ટકા (17,37,336) મતદારો સ્થાયી રૂપે અન્ય જગ્યાએ સ્થળાંતરિત થઈ ચુક્યા છે. આ સિવાય 0.73 ટકા (5,76,479) મતદારોના નામ એકથી વધુ જગ્યાએ નોંધાયેલા છે. આ આંકડાના આધારે કુલ 35,69,435 નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવશે. આ સંખ્યા છેલ્લી નથી અને આગામી દિવસોમાં આ સંખ્યામાં વધારો થઈ શકે છે, કારણ કે હજું પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે.

ચૂંટણી પંચ પાસેથી મળેલી માહિતી મુજબ, હવે ફક્ત 11.82% મતદારો બાકી છે જેમણે હજુ સુધી તેમના ભરેલા મત ગણતરી ફોર્મ સબમિટ કર્યા નથી. પંચનું કહેવું છે કે કોઈ પણ લાયક મતદાર બાકી ન રહે તે માટે કોઈ કસર છોડવામાં આવી રહી નથી. લગભગ 1 લાખ બીએલઓ ટૂંક સમયમાં ત્રીજા તબક્કામાં ડોર-ટુ-ડોર સર્વેનું કામ શરૂ કરશે. રાજકીય પક્ષોના 1 લાખ 50 હજાર બીએલએ પણ આ કાર્યમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે.

બિહારના તમામ 261 શહેરી સ્થાનિક સંસ્થાઓના 5683 વોર્ડમાં ખાસ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યની બહાર કામચલાઉ રીતે ગયેલા મતદારો માટે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે, જેથી તેઓ પણ સમયસર તેમના મતગણતરી ફોર્મ સબમિટ કરી શકે. મતદાર યાદીનો ડ્રાફ્ટ 1 ઓગસ્ટના રોજ પ્રકાશિત થવાનો છે.

ત્યારે જુઓ વધુ ચર્ચા આ વીડિયોમાં

આ પણ વાંચોઃ

Kheda: પુત્રની લાલચમાં ક્રૂર પિતાએ પુત્રીનો જીવ લીધો, કેનાલમાં ફેકી દીધી, પત્નીની હચમાચાવી નાખતી વાતો

Corruption Bridge: અમદાવાદ- રાજકોટ ધોરીમાર્ગ પર મીઠાપુર ગામે નવા રસ્તા પોપડા ઉખડ્યા | PART- 5

Bihar: મહાત્મા ગાંધીના પ્રપૌત્રનું અપમાન, તુષાર ગાંધીને કાર્યક્રમમાંથી બહાર કાઢ્યા

Chaitar Vasava: ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન કેમ ન મળ્યા?, આ રહ્યા કારણો?

Rath Yatra Eggs Thrown: કેનેડામાં નીકળેલી રથયાત્રામાં ઈંડા ફેકાયા, જગન્નાથ ભક્તોને નિશાન બનાવાયા

Bihar Election: ભાજપની ગંદી રાજનીતી! રાહુલ ગાંધીનો પેડ પર લગાવેલો ફોટો વાયરલ કર્યો, પછી ડિલિટ કર્યો

Bihar Election: બિહારી મતદારો પર લટકતી તલવાર, ભારતીય હોવાનું જાતે પુરવાર કરે, મતનો હક છીનવવાનું સડયંત્ર કોનું?

 

 

Related Posts

TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ
  • June 19, 2026

TMC Opposition Leader Dispute: પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક અભૂતપૂર્વ ઘટનાક્રમ સામે આવ્યો છે, જ્યાં સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે બે ફાડિયામાં વહેંચાઈ ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાય છે. કલકત્તા…

Continue reading
Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’
  • June 19, 2026

Rahul Gandhi: રાજસ્થાનના કોટામાં વિદ્યાર્થીઓને સંબોધતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારતની શિક્ષણ વ્યવસ્થા પર તીખા પ્રહાર કર્યા છે. કોટા, જે દેશમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનું સૌથી મોટું કેન્દ્ર માનવામાં આવે છે,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

  • June 19, 2026
  • 3 views
TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

  • June 19, 2026
  • 6 views
Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

  • June 19, 2026
  • 7 views
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 10 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 5 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 10 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?