UP Murder: પતિના મોત પછી મહિલાને પાડોશી સાથે પ્રેમ કરવો ભારે પડ્યો, પુત્રીની સામે જ છરી મારી મોતને ઘાટ ઉતારી

  • India
  • July 15, 2025
  • 0 Comments

UP Murder: ઉત્તર પ્રદેશના જૌનપુરથી એક ખળભાટ મચાવતો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વિધવા માતાની નાખવામાં આવી છે. વિધવા મહિલાના પ્રેમી રુસ્તમ પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આરોપ છે કે આરોપી પ્રેમીએ મહિલા સાથે બળજબરીથી લગ્ન કરવા માંગતો હતો. જ્યારે મહિલા લગ્ન કરવા સંમત ન થઈ તો તેની પુત્રી સામે તેની હત્યા કરી નાખવામાં આવી.

શકીમુન નિશા અને રુસ્તમ વચ્ચે પ્રેમસંબંધ

આ સમગ્ર મામલો કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના બલોચ ટોલાથી પ્રકાશમાં આવ્યો છે. મૃતક મહિલાનું નામ શકીમુન નિશા છે. શકીમુન નિશાના પતિ શહાબુદ્દીનનું 4 વર્ષ પહેલા અવસાન થયું હતું. ત્યારબાદ મહિલાએ તેના પાડોશમાં રહેતા રૂસ્તમ સાથે પ્રેમસંબંધ બાંધ્યો હતો. રૂસ્તમ ત્યાં ભાડાના મકાનમાં રહેતો હતો. પોલીસનું કહેવું છે કે નિશા અને રૂસ્તમ પતિ-પત્નીની જેમ સાથે રહેતા હતા. જોકે લગ્ન કર્યા ન હતા.

પુત્રીની સામે જ માતાની હત્યા

પ્રાપ્ત માહિતી અનુસાર ગત સોમવારે મોડી રાત્રે પુત્રી રેશ્માની સામે જ માતા શકીમુન નિશાને આરોપી રુસ્તમે પેટમાં છરી મારીને તેની હત્યા કરી દીધી. મૃતકની પુત્રીએ જણાવ્યું કે, તેની માતા ઘરની અંદર ખુરશી પર બેઠી હતી. અચાનક રુસ્તમ ઘરે આવ્યો અને તેની માતા પર હુમલો કર્યો. હુમલો કર્યા પછી રુસ્તમ ઘટનાસ્થળેથી ભાગી ગયો. ગંભીર રીતે ઈજા પામેલી મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.

પ્રેમી રૂસ્તમ બળજબરીથી લગ્ન કરવા માંગતો હતો

મૃતકની દીકરાનું કહેવું છે કે રુસ્તમ તેની માતા સાથે બળજબરીથી લગ્ન કરવા માંગતો હતો. અચાનક તેણે તેની માતા પર હુમલો કર્યો. નજીકમાં લોકો પણ હાજર હતા. પરંતુ કોઈએ તેને બચાવી ન હતી.

પોલીસે આ કહ્યું?

આ સમગ્ર કેસ અંગે સીઓ સિટી દેવેશ સિંહે જણાવ્યું હતું કે, મૃતક મહિલા આરોપી રૂસ્તમ સાથે પતિ-પત્નીની જેમ રહેતી હતી. પરસ્પર વિવાદનો મામલો હતો, જેના કારણે હત્યા કરવામાં આવી છે. મૃતકના પુત્રની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. પોલીસે ગુનાના સ્થળથી થોડે દૂર હત્યાનું હથિયાર પણ જપ્ત કર્યું છે.

મહિલાના પુત્ર-પુત્રીએ શું કહ્યું?

પુત્રી રેશ્માએ જણાવ્યું કે રુસ્તમ આઝમગઢનો રહેવાસી હતો. તે બાજુના ઘરમાં ભાડે રહેતો હતો. તે ગુંડા જેવો માણસ હતો, તેથી તેની પત્ની અને બાળકો તેને છોડીને ચાલ્યા ગયા હતા. મૃતકના પુત્ર જાવેદે મીડિયાને જણાવ્યું કે રુસ્તમ તેની માતા સાથે બળજબરીથી લગ્ન કરવા માંગતો હતો. જ્યારે માતાએ ના પાડી ત્યારે તેણે તેની માતાના પેટમાં ચાર વાર છરી મારી. પડોશના લોકો પણ નજીકમાં ઉભા હતા પરંતુ કોઈએ તેને બચાવી ન હતી.

 

આ પણ વાંચોઃ

UP Crime: શિવ વર્મા કપાળ પર તિલક લગાવી કાસિબ પઠાણ બન્યો, હિન્દુ છોકરી પર 2 વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો, જાણો સમગ્ર ઘટના

UP Crime: રીલ અને રુમાલે દંપતિનું જીવન બરાબાદ કરી નાખ્યું, રાધાએ પરિવારોને રડતાં મૂકી દુનિયા છોડી દીધી, જાણો શું થયું?

Bihar Election: મોદી 4 મહિનામાં બિહારની ચોથીવાર મુલાકાત લેશે, 35 લાખથી વધુ મતદારો હટાવશે!

રમેશ ભગોરાનું 150 કરોડનું કૌભાંડ, નિવૃત્તિ સમયે ઝડપી બીલો ચૂકવ્યા | Ramesh Bhagora

Bihar: મહાત્મા ગાંધીના પ્રપૌત્રનું અપમાન, તુષાર ગાંધીને કાર્યક્રમમાંથી બહાર કાઢ્યા

Rath Yatra Eggs Thrown: કેનેડામાં નીકળેલી રથયાત્રામાં ઈંડા ફેકાયા, જગન્નાથ ભક્તોને નિશાન બનાવાયા

Sabarkantha: ભાવફેર અને સરકારના હસ્તક્ષેપ મુદ્દે દૂધ ઉત્પાદકોનો આક્રોશ, પોલીસકર્મીઓને માથામાં ઈજાઓ

 

 

Related Posts

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
  • September 16, 2026

Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 2 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 3 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 8 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 7 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 10 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત