Sabarkantha: ભાવફેર અને સરકારના હસ્તક્ષેપ મુદ્દે દૂધ ઉત્પાદકોનો આક્રોશ, પોલીસકર્મીઓને માથામાં ઈજાઓ

  • દૂધ ઉત્પાદકોએ ડેરી બહાર આવી સૂત્રોચ્ચાર કરી દેકારો મચાવતાં વાતાવરણ તંગ
  • સહકારી સંસ્થાઓમાં સરકારનો હસ્તક્ષેપ મૃત્યુ ઘંટ વગાડશે?
  • આંદોલન રાજકીય પ્રેરિત હોવાની ચર્ચા
  • બાયડના અપક્ષ ધારાસભ્ય સમર્થન આપવા આવ્યા

Sabarkantha Sabar Dairy News: સાબરકાંઠા-અરવલ્લીના દૂધ ઉત્પાદકો દર વર્ષે સાબરડેરી દ્વારા જૂન અથવા જુલાઈ મહિનામાં ભાવફેર(વધારો) ચૂકવવામાં આવે છે ત્યારે આ વર્ષે કેટલાક કારણોસર દૂધ ઉત્પાદકોને અગાઉ કરતાં ઓછો ભાવફેર ચૂકવાયો હોવાનું માનીને બંને જિલ્લાના દૂધ ઉત્પાદકોમાં કેટલાક રાજકીય લોકોએ બળતામાં ઘી હોમવાનો પ્રયાસ કરીને દૂધ ઉત્પાદકોને સાબર ડેરીના નિયામક મંડળના વિરોધમાં ખોટી ઉશ્કેરણી કરીને આંદોલન કરવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા.

જેના ભાગરૂપે આજે સોમવારે બંને જિલ્લાના અસંખ્ય દૂધ ઉત્પાદકોએ સાબર ડેરી સામે આવીને સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ તંગ બનાવી દીધુ હતું. દરમ્યાન કોઈકે કાંકરીચાળો કરીને બંદોબસ્ત માટે રખાયેલા વોટર બાઉઝર પર પથ્થર માર્યો હતો, ત્યારબાદ અન્ય લોકોએ પણ પથ્થરમારો શરૂ કરતાં ત્રણથી પોલીસકર્મીને માથામાં ઈજા થઈ હતી ત્યારબાદ પોલીસે પણ ટોળાને વિખેરવા માટે તરતજ પ૦થી વધુ ટીયર ગેસના સેલ છોડયા હતા. જેથી સાબરડેરીની બહાર એકઠુ થયેલું ટોળું વિખેરાવા માંડયું હતું. એટલુ જ નહીં પણ નેશનલ હાઈવેના ઓવરબ્રિજ નીચે પણ કેટલાક દૂધ ઉત્પાદકોએ સૂત્રોચ્ચાર કરી વાહનોને અવર જવર કરવામાં અડચણ ઉભી કરી હતી. દરમ્યાન પરિસ્થિતનો તાગ મેળવી પોલીસ ટોળાને ભગાડવા માટે લાઠીચાર્જ કર્યો હતો.

આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સાબર ડેરીના નિયામક મંડળએ બંને જિલ્લાના દૂધ ઉત્પાદકોને ભાવફેરની રકમ ગત તા.11 જુલાઈના રોજ સ્થાનિક મંડળીઓ મારફતે દૂધ ઉત્પાદકોને ચૂકવાઈ હતી પરંતુ અનેક દૂધ ઉત્પાદકોની આશા અને અપેક્ષા મુજબ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ચૂકવાયેલા ભાવફેરની રકમ ઓછી હોવાની લાગણી પ્રવર્તી હતી.

ત્યારબાદ ગામે ગામ આ મામલે દૂધ ઉત્પાદકોમાં અસંતોષ વ્યાપ્યો હતો. તો બીજી તરફ દૂધ ઉત્પાદકોને ઉશ્કેરવા માટે કેટલાક રાજકીય નેતાઓ કે જેઓ સહકારી સંસ્થાઓમાં પદ મેળવવા માટે અથવા તો પોતાનો અંગત સ્વાર્થ સિધ્ધ થાય તે માટે બે દિવસ અગાઉ સોશ્યલ મીડીયાના માધ્યમથી બંને જિલ્લાના દૂધ ઉત્પાદકોને સાબરડેરી વિરૂધ્ધ આંદોલન કરવા માટે ઉશ્કેરણી કરી હતી.

જેના ભાગરૂપે સોમવારે સવારે 10 વાગ્યાથી અનેક દૂધ ઉત્પાદકો આંદોલનમાં જોડાવવાના આશયથી સાબરડેરી બહાર આવી ગયા હતા. જોકે પરિસ્થિતીને પારખી લઈને ડેરીના સત્તાવાળાઓ દ્વારા અગાઉથી જ પોલીસ બંદોબસ્તની માંગણી કરીને કુમુક બોલાવી દીધી હતી. જયાં ડેરીમાં પ્રવેશવાના દરવાજા પર બેરીકેટ સહિત પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દરમ્યાન લગભગ બપોરના સુમારે દૂધ ઉત્પાદકોએ સૂત્રોચ્ચાર કરીને ડેરીમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો.

જેથી બંદોબસ્તમાં હાજર પોલીસે તેમને સમજાવીને બહાર કાઢવા માટે પ્રયાસ કર્યો હતો. દરમ્યાન બહાર ઉભેલ ટોળામાંથી કોઈકે કાંકરીચાળો કરીને સલામતીના ભાગરૂપે રખાયેલ વોટર બાઉઝર પર પથ્થર ફેંકતાં વાહનનો કાચ તૂટી ગયો હતો. ત્યારબાદ અન્ય લોકોએ પથ્થરમારો કરતાં વાતાવરણ ગરમાયું હતું. જેમાં ત્રણથી વધુ પોલીસકર્મી ઈજા થઈ હતી. ત્યારબાદ પોલીસે પણ પરિસ્થિતીને પારખી જઈને ટીયર ગેસના સાત વધુ સેલ છોડતાં ડેરીના બહાર ઉભેલું ટોળુ વિખેરાઈ ગયું હતું.

તો બીજી તરફ બંને જિલ્લાના કેટલાક સમજુ નાગરિકોનું કહેવું છે કે જયારથી પક્ષ દ્વારા સહકારી ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરી વહીવટમાં દખલગીરી કરવાનું ચાલુ કર્યું છે ત્યારથી એકલા દૂધ ઉત્પાદકો નહીં પણ સમજુ નાગરિકો સરકારના આ હસ્તક્ષેપથી નારાજ છે. કેટલાકનું કહેવું છે કે જો સરકારનો હસ્તક્ષેપ વધુ ચાલુ રહેશે તો સહકારી સંસ્થાઓનો મૃત્યુ ઘંટ વાગે તો તેવી શકયતાને નકારી શકાય નહી. આજ કાલ સહકારી સંસ્થાઓના ચુંટાયેલા ડીરેકટરો સ્વતંત્ર રીતે વહીવટ કરી શકતા નથી અને નિર્ણય લેતાં પહેલા સરકારની પરવાનગી લેવી પડે છે તેવું એક સહકારી અગ્રણીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.

દૂધ ઉત્પાદકો શું માંગે છે ?

બંને જિલ્લાના દૂધ ઉત્પાદકોનું કહેવું છે કે અમને વધારે નહીં પણ ગત વર્ષે ચુકવવામાં આવેલ ભાવફેરની રકમ મળવી જોઈએ, ઓછી નહીં.

સાબરડેરીના એમડી શું કહે છે ?

સાબરડેરીના એમડી સુભાષ પટેલે રવિવારે સોશ્યલ મીડીયાના માધ્યમથી દૂધ ઉત્પાદકોને એવો સંદેશો આપ્યો હતો કે જો કોઈપણ દૂધ ઉત્પાદકને ભાવફેરના મુદ્દે વધુ જાણકારી જોઈતી હોય તો રૂબરૂ આવીને મેળવી શકશે.

ટોળામાં દેખાયેલા સ્વાર્થી લોકોને ઓળખો

સોમવારે થયેલા આંદોલનમાં કેટલાક સ્વાર્થી લોકોએ અગાઉ પણ દૂધ ઉત્પાદકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. તથા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અગાઉ દૂધ ઉત્પાદકોના સમર્થનમાં ટેકો જાહેર કર્યો હતો અને તેઓ સોમવારે સાબરડેરી આવ્યા હતા.

સાબરડેરીનો ગેટ તૂટ્યો

સોમવારે દેખાવો કરવા આવેલ દૂધ ઉત્પાદકો પૈકી કેટલાક દૂધ ઉત્પાદકોએ ઉશ્કેરાઈને સાબરડેરીના મુખ્ય દરવાજે જોરદાર ધસારો કરતાં લોખંડના ગેટને નુકશાન થયું હતું. ત્યારબાદ વાતાવરણ પણ ઉશ્કેરાટ ભર્યું બની ગયું હતું.

સાબરડેરીની સાધારણ સભા કયારે યોજાશે

ડેરીના એમડીએ સોશ્યલ મીડીયામાં જણાવ્યું હતું કે સાબરડેરીની સાધારણ સભા આગામી સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં યોજવાની જોગવાઈ છે હજુ સુધી સાધારણ સભા યોજાઈ નથી જયારે પણ યોજાશે ત્યારે ઓડીટ રીપોર્ટના આધારે ડેરીનું નિયામક મંડળ અંતિમ નિર્ણય કરશે.

કેટલો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

સાબરડેરી આગળ સોમવારે દૂધ ઉત્પાદકો આંદોલન કરવાના હોવાથી કાયદો અને સલામતી જોખમાય નહીં તે આશયથી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વહેલી સવારથી જ એક ડીવાયએસપી, ચાર પીઆઈ, આઠ પીએસઆઈ, ૮૦ પોલીસ કર્મીઓ તથા વોટર બાઉઝર ઉપલબ્ધ કરી દેવાયું હતું.

સમગ્ર આંદોલન પૂર્વ યોજીત હોવાની આશંકા

સાબરડેરી આગળ એકત્ર થયેલા દૂધ ઉત્પાદકોએ જાણે કે અગાઉથી કોઈકના આડકતરા ઈશારાને લઈને સાબરડેરીના મુખ્ય ગેટ પર લગાવાયેલ બેરીકેટને બળજબરીથી હટાવી અંદર ઘુસવાનો જે પ્રયાસ કર્યો હતો તેથી અન્ય લોકોને કે જેઓ સ્થળ પર હાજર ન હતા તેમનો એવો અભિપ્રયા હતો કે સમગ્ર ઘટના પૂર્વ યોજીત હોઈ શકે છે.

એસપી વિજય પટેલે શું કહ્યું?

સાબરડેરીની બહાર બનેલી ઘટના અંગે ફરજ પરના એસપી વિજય પટેલે જણાવ્યું હતું કે સાબરડેરીએ અગાઉથી પોલીસ તંત્રને જાણ કરી હોવાથી સોમવારે સવારથી જ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જયાં અચાનક કેટલાકે પથ્થરમારો કરતાં ત્રણથી વધુ પોલીસકર્મીઓને ઈજા થતાં તેમને સારવાર માટે ખસેડાયા છે. તથા પોલીસે ર૦થી વધુ લોકોને ઓળખી કાઢયા છે જયાં જરૂર પડે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

સર્વિસ રોડ પરના ઓવરબ્રિજ નીચેથી ટોળાને ભગાડી દેવાયું

સાબરડેરી પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પરના ઓવરબ્રિજ નીચે અને સાબરડેરી તરફ જવાના રોડ પર બંને બાજુ કેટલાક લોકોએ ટોળા સ્વરૂપે ભેગા થઈને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરતાં પોલીસે ટીયર ગેસના સેલ છોડી તેમને ભગાડી દેવામાં આવ્યા હતા.

 

આ પણ વાંચોઃ

સાબરકાંઠા-મહેસાણાની સીમા પર સાબરમતી નદી પરનો બ્રિજ ખખડધજ, વાહનચાલકો હેરાન પરેશાન બન્યા | sabarkantha

Omar Abdullah: મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ દીવાલ કૂદી ફાતિહા વાંચી, નજરકેદ રાખવાના આરોપ

Sabarkantha: પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ટોળાને વિખરેવા ટીયરગેસના શેલ છોડ્યા, કર્યો લાઠીચાર્જ

UP Crime: રીલ અને રુમાલે દંપતિનું જીવન બરાબાદ કરી નાખ્યું, રાધાએ પરિવારોને રડતાં મૂકી દુનિયા છોડી દીધી, જાણો શું થયું?

UP Crime: શિવ વર્મા કપાળ પર તિલક લગાવી કાસિબ પઠાણ બન્યો, હિન્દુ છોકરી પર 2 વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો, જાણો સમગ્ર ઘટના

Radhika Yadav Murder: પૂર્વ આયોજિત, કાવતરુ, 3 દિવસથી પિતાએ ઘડ્યો હતો હત્યાનો પ્લાન, સહેલીના મોટા ખૂલાસા

Botad: ભયંકર દુર્ઘટના, BAPS હરિભક્તોની કાર તણાઈ, 2નાં મોત, 1 લાપતા, 4 બચ્યા

Nadiad: છાનીમાની ફોન બંધ કરી દે, લાતાતીસ, દિવ્યાંગ વિદ્યાર્થી પર કંડક્ટરની શરમજનક દાદાગીરી

 

 

Related Posts

Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા
  • May 10, 2026

Gujarat Tribal Politics: ગુજરાતની ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ્યાં મોટા રાજકીય પક્ષો અને મંત્રીઓની ફોજ ઉતારવામાં આવી હતી, ત્યાં આદિવાસી નેતા ચૈતર વસાવા એક પ્રભાવક ચહેરા તરીકે ઉભરી આવ્યા છે.…

Continue reading
Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!
  • May 9, 2026

Sabarmati Jail Sewage Water Farming: અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ગુજરાતની સૌથી મોટી જેલ છે, જ્યાં અંદાજે 4000 જેટલા કેદીઓ વસવાટ કરે છે. આ જેલ માત્ર ગુનેગારોને રાખવાનું સ્થળ નથી, પણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

  • May 11, 2026
  • 2 views
Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

  • May 11, 2026
  • 3 views
INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

  • May 11, 2026
  • 8 views
Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 10 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 9 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

  • May 10, 2026
  • 12 views
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી