Botad: ભયંકર દુર્ઘટના, BAPS હરિભક્તોની કાર તણાઈ, 2નાં મોત, 1 લાપતા, 4 બચ્યા

Botad, BAPS devotees death: ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી જ ભારે વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અવિરત વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વરસાદે બનાસકાંઠા, બોટાદ, ભાવનગર, અમરેલી, અને રાજકોટ જેવા જિલ્લાઓમાં જનજીવનને માઠી અસર પહોંચાડી છે. ત્યારે હવે બોટાદમાંથી દુઃખદ સમાચાર મળી રહ્યા છે. ગોધાવટા ગામ નજીક એક કાર કોઝવે પરથી પસાર થતી પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ, જેના કારણે બે હરિભક્તોના મોત થયાં અને એક વ્યક્તિ લાપતા થઈ.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના 13 જુલાઈ, 2025ની રાત્રે બોટાદ જિલ્લાના ગોધાવટા-ગુંદા વચ્ચેના કોઝવે પર બની. BAPS સ્વામિનારાયણ સંસ્થાના 7 હરિભક્તો અને સંતોને લઈ જતી એક આર્ટિગા કાર બોચાસણથી સાળંગપુર તરફ જઈ રહી હતી. ભારે વરસાદને કારણે કોઝવે પર પાણીનો પ્રવાહ અત્યંત તેજ હતો. આ દરમિયાન, ચાલકે કાર પરનો કાબૂ ગુમાવતાં કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ છે.

કારમાં સવાર 7 લોકોમાંથી 4 લોકોને સ્થાનિક રેસ્ક્યુ ટીમ અને બરવાળા ફાયર બ્રિગેડની મદદથી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા. જોકે, બે વ્યક્તિઓ, કૃષ્ણકાંત પંડ્યા અને 10 વર્ષના પ્રબુદ્ધ કાસીયાનું દુખદ મૃત્યુ થયું. આ ઉપરાંત, એક સ્વામી, શાંત ચરીત સ્વામી, હજુ પણ લાપતા છે, અને તેમની શોધખોળ માટે સઘન કામગીરી ચાલી રહી છે.

બે મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રેસ્ક્યુ ટીમ, બરવાળા મામલતદાર, પોલીસ, અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમ પણ વડોદરાથી બોલાવવામાં આવી અને તેઓએ બચાવ કામગીરીમાં જોડાઈ. રાત્રે 7:30 થી 11:30 સુધી ચાલેલી આ કામગીરીમાં ચાર લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા, જ્યારે બે મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા. લાપતા સ્વામીની શોધખોળ હાલ પણ ચાલુ છે, અને NDRF તેમજ સ્થાનિક વહીવટી તંત્ર સતત પ્રયાસો કરી રહ્યું છે.

BAPS માં શોકનું મોજું

આ દુર્ઘટનાએ BAPS સ્વામિનારાયણ સંપ્રદાય અને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફેલાવ્યું છે. મૃતકોના પરિવારજનો અને સમુદાયના સભ્યોમાં ગમગીનીનો માહોલ છવાયો છે. BAPS સંસ્થાએ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને લાપતા સ્વામીની શોધખોળ માટે પ્રાર્થના કરી રહી છે.

ભારે વરસાદની અસર

આ ઘટના ગુજરાતમાં ચાલી રહેલા ભારે વરસાદની વ્યાપક અસરનો એક ભાગ છે. બોટાદ જિલ્લામાં ખંભાડા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેના કારણે પાણીનું સ્તર વધ્યું અને ગઢડા રોડ સહિત અનેક રસ્તાઓ બંધ થયા. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદે તબાહી મચાવી છે, જેમાં 18 લોકોનાં મોત અને અનેક લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. રાજ્ય સરકારે NDRF અને SDRFની ટીમોને તમામ જિલ્લાઓમાં તૈનાત કરી છે, અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરોને જીવન અને સંપત્તિનું નુકસાન ઘટાડવા માટે સૂચનાઓ આપી છે.

ચેતવણી બોર્ડનો અભાવ

બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ઘટનાની ગંભીર તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, સ્થાનિક લોકો દ્વારા આગામી દિવસોમાં કોઝવે પર ચેતવણી બોર્ડ લગાવવાની માંગ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય. ગ્રામજનોએ જણાવ્યું કે આવા કોઝવે પર ભારે વરસાદ દરમિયાન પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હોય છે, અને ચેતવણી બોર્ડની અછતને કારણે અજાણ્યા વાહનચાલકોને જોખમનો અંદાજ આવતો નથી.

આ પણ વાંચોઃ

Madhya Pradesh: લોકોએ રસ્તા પર રોપણી કરી નાખી, જાણો કારણ

Sneha Debnath Missing: દિલ્હીમાં ત્રિપુરાની 19 વર્ષિય યુવતી ગુમ, CCTV સામે મોટા પ્રશ્નો,  ક્યાં ગઈ સ્નેહા?

Corruption bridge: અકસ્માતોનું જોખમ વધારતા હોટલ, પેટ્રોલ પંપના લાયસન્સ રદ કરવા કયા MLA માંગ કરી હતી? | PART- 3

Corruption bridge: ગુજરાતમાં ટ્રાફિક વોલ્યુમ્સ મેળવવા માટે 2005માં સર્વે કરાયો હતો, જાણો શું સ્થિતિ હતી? | PART- 1

Corruption bridge: ભાજપના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે હુડકો પાસેથી લોન લઈને બે માર્ગમાંથી ચાર માર્ગીય રસ્તો બનાવ્યો હતો | PART- 2

Radhika Yadav Murder: પૂર્વ આયોજિત, કાવતરુ, 3 દિવસથી પિતાએ ઘડ્યો હતો હત્યાનો પ્લાન, સહેલીના મોટા ખૂલાસા

Nadiad: છાનીમાની ફોન બંધ કરી દે, લાતાતીસ, દિવ્યાંગ વિદ્યાર્થી પર કંડક્ટરની શરમજનક દાદાગીરી

 

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rahul Gandhi Indore: ઇન્દોરમાં રાહુલ ગાંધીનો મોટો દાવો, ‘દેશની સિસ્ટમ 6 લોકો ચલાવી રહ્યા છે’

  • September 20, 2026
  • 5 views
Rahul Gandhi Indore: ઇન્દોરમાં રાહુલ ગાંધીનો મોટો દાવો, ‘દેશની સિસ્ટમ 6 લોકો ચલાવી રહ્યા છે’

DUSU Election 2026 માં ABVPનો દબદબો યથાવત, 4માંથી 3 સીટો જીતી, NSUIનું ખાતું પણ ન ખુલ્યું

  • September 20, 2026
  • 6 views
DUSU Election 2026 માં ABVPનો દબદબો યથાવત, 4માંથી 3 સીટો જીતી, NSUIનું ખાતું પણ ન ખુલ્યું

Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ

  • September 20, 2026
  • 6 views
Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ

West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

  • September 19, 2026
  • 6 views
West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

  • September 19, 2026
  • 8 views
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

  • September 19, 2026
  • 9 views
West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી