Corruption Bridge: દ્વારકાના સુદર્શન સેતુમાં ભ્રષ્ટાચારના આરોપો: 5 મહિનામાં જ ગાબડાં અને રેલિંગમાં કાટ

Corruption Bridge: ભગવાન દ્વારકાધીશના પવિત્ર ધામમાં આવેલો ઓખા અને બેટ દ્વારકાને જોડતો દેશનો સૌથી લાંબો કેબલ-સ્ટેય્ડ બ્રિજ, ‘સુદર્શન સેતુ’, ભ્રષ્ટાચારના ગંભીર આરોપોના ઘેરામાં આવ્યો છે. 25 ફેબ્રુઆરી 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરાયેલો આ પુલ, જેની બાંધણી પર અંદાજે 978.93 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો, ઉદ્ઘાટનના 5 મહિનામાં જ બાંધકામની ગુણવત્તા અને પારદર્શિતા અંગે સવાલો ઉભા કર્યા હતા.

પુલની બાંધણીમાં ગાબડાં અને કાટ

સુદર્શન સેતુના ઉદ્ઘાટનના 150 દિવસની અંદર જ માર્ગ પર ત્રણ સ્થળે સળિયા દેખાવા લાગ્યા હતા. બાજુની દીવાલનું પ્લાસ્ટર ઊખડી ગયું હતુ. અને રેલિંગમાં કાટ લાગી ગયો હતો. આરોપ હતો કે પુલની પાર્કિંગની દીવાલ પ્રથમ ચોમાસામાં ધરાશાયી થઈ ગઈ હતી, જે બાંધકામની નબળી ગુણવત્તાનો સંકેત આપ્યા હતા. આવી સ્થિતિએ સ્થાનિક લોકો અને રાજકીય નેતાઓમાં રોષ ફેલાવ્યો છે, જેમણે આ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો.

અમિત ચાવડાના ભ્રષ્ટાચારના આરોપો

ગત વર્ષે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સુદર્શન સેતુના બાંધકામમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે પુલના નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રી નબળી ગુણવત્તાની હતી, જેના કારણે માત્ર પાંચ મહિનામાં જ ગાબડાં પડ્યાં અને રેલિંગમાં કાટ લાગી ગયો. ચાવડાએ વધુમાં જણાવ્યું હતુ કે ભ્રષ્ટાચારને ઢાંકવા માટે થીગડાં મારવામાં આવ્યાં છે, પરંતુ પ્રથમ ચોમાસામાં જ પુલની ખામીઓ સામે આવી ગઈ.

પર્યાવરણીય અને કાનૂની ઉલ્લંઘનના આરોપો

સુદર્શન સેતુનું બાંધકામ પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તારમાં કરવામાં આવ્યું છે, જેના માટે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) અને એન્વાયર્નમેન્ટલ ઓથોરિટીની મંજૂરી જરૂરી હતી. જોકે, આરોપ છે કે આવી કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી. વધુમાં, જમીનના બિનખેતી ઉપયોગ માટે પણ કોઈ પરવાનગી લેવામાં આવી ન હોવાનો દાવો કરવામાં આવે છે. આ ઉપરાંત, બાંધકામ દરમિયાન વપરાયેલ તેલનું નિકાલ રજિસ્ટર્ડ રિસાયકલર્સને બદલે સ્થાનિક વેપારીઓને આપવામાં આવ્યું હોવાનો આરોપ છે, જે પર્યાવરણીય નિયમોનું ઉલ્લંઘન દર્શાવે છે.

બાંધકામની વિગતો અને કોન્ટ્રાક્ટરની છાપ

સુદર્શન સેતુનું બાંધકામ SP સિંગલા કન્સ્ટ્રક્શન્સ દ્વારા કરવામાં આવ્યું હતું, જેની કામગીરીની ગુણવત્તા અને પ્રતિષ્ઠા અંગે સવાલો ઉભા થયા છે. આ પ્રોજેક્ટમાં 15,000 ટન સ્ટીલ, 19,000 ટીએમટી (થર્મો-મિકેનિકલી ટ્રીટેડ) સળિયા, અને 43,000 ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પુલનું નિર્માણ 6 વર્ષથી વધુ સમય લાગ્યો, પરંતુ ટૂંકા ગાળામાં જ તેની ગુણવત્તા પર પ્રશ્નો ઉભા થયા હતા.

પર્યાવરણીય જોખમો

બેટ દ્વારકાના સમુદ્રી વિસ્તારમાં જમીનનું ધોવાણ એક ગંભીર સમસ્યા છે, જેના કારણે પુલની સ્થિરતા જોખમમાં મુકાઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે પર્યાવરણીય મંજૂરી વિના બાંધકામને કારણે આ વિસ્તારનું ઇકોસિસ્ટમ નુકસાન પામી શકે છે, જે લાંબા ગાળે પુલની ટકાઉપણુંને અસર કરી શકે છે.

જુઓ આ મુદ્દે વીડિયો

 

આ પણ વાંચોઃ

Rath Yatra Eggs Thrown: કેનેડામાં નીકળેલી રથયાત્રામાં ઈંડા ફેકાયા, જગન્નાથ ભક્તોને નિશાન બનાવાયા

  AC કારમાં બહુ બેઠા હશો પણ તમે ઍર કૂલરવાળી કારમાં બેઠા છો? | Air cooler car

Sabarkantha: ભાવફેર અને સરકારના હસ્તક્ષેપ મુદ્દે દૂધ ઉત્પાદકોનો આક્રોશ, પોલીસકર્મીઓને માથામાં ઈજાઓ

સાબરકાંઠા-મહેસાણાની સીમા પર સાબરમતી નદી પરનો બ્રિજ ખખડધજ, વાહનચાલકો હેરાન પરેશાન બન્યા | sabarkantha

Omar Abdullah: મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ દીવાલ કૂદી ફાતિહા વાંચી, નજરકેદ રાખવાના આરોપ

Sabarkantha: પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ટોળાને વિખરેવા ટીયરગેસના શેલ છોડ્યા, કર્યો લાઠીચાર્જ

UP Crime: રીલ અને રુમાલે દંપતિનું જીવન બરાબાદ કરી નાખ્યું, રાધાએ પરિવારોને રડતાં મૂકી દુનિયા છોડી દીધી, જાણો શું થયું?

UP Crime: શિવ વર્મા કપાળ પર તિલક લગાવી કાસિબ પઠાણ બન્યો, હિન્દુ છોકરી પર 2 વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો, જાણો સમગ્ર ઘટના

Radhika Yadav Murder: પૂર્વ આયોજિત, કાવતરુ, 3 દિવસથી પિતાએ ઘડ્યો હતો હત્યાનો પ્લાન, સહેલીના મોટા ખૂલાસા

Botad: ભયંકર દુર્ઘટના, BAPS હરિભક્તોની કાર તણાઈ, 2નાં મોત, 1 લાપતા, 4 બચ્યા

Nadiad: છાનીમાની ફોન બંધ કરી દે, લાતાતીસ, દિવ્યાંગ વિદ્યાર્થી પર કંડક્ટરની શરમજનક દાદાગીરી

 

 

Related Posts

India Gen Z Protest: શિક્ષણથી લઈને ભ્રષ્ટાચાર સુધી SAM PITRODA એ સરકારની નીતિઓ પર વ્યક્ત કરી ચિંતા
  • August 10, 2026

India Gen Z Protest: દેશમાં વિદ્યાર્થીઓના આંદોલન, શિક્ષણ વ્યવસ્થા, રોજગાર, લોકશાહી અને યુવાનોની ભૂમિકાને લઈને વરિષ્ઠ ટેક્નોલોજી નિષ્ણાત અને કોંગ્રેસ સાથે સંકળાયેલા નેતા SAM PITRODA એ એક વિસ્તૃત ચર્ચામાં પોતાના વિચારો…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

  • August 10, 2026
  • 3 views
Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

  • August 10, 2026
  • 5 views
JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

  • August 10, 2026
  • 5 views
Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

  • August 10, 2026
  • 7 views
Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?

  • August 10, 2026
  • 7 views
Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?

Andhra Pradesh FDI: FDIના આંકડાઓ પર રાજકારણ, આંધ્રમાં TDP અને YSRCP આમને-સામને

  • August 10, 2026
  • 10 views
Andhra Pradesh FDI: FDIના આંકડાઓ પર રાજકારણ, આંધ્રમાં TDP અને YSRCP આમને-સામને