
Kanti Amrutiya audio viral: ગુજરાતના રાજકીય રંગમંચ પર હાલમાં નવો ડ્રામા શરૂ થયો છે, જેનું કેન્દ્ર છે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા બન્યા છે. તેમની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં તેઓ રાજીનામું આપવાની વાતને નકારતા હોવાનું સાંભળવા મળે છે અને ગાંધીનગર જવાનું માત્ર “વટ” બતાવવા માટે હોવાનું જણાવે છે. આ ઘટનાએ રાજ્યની રાજનીતિમાં નવો વિવાદ જન્માવ્યો છે, જેમાં વિરોધ પક્ષોને પણ આક્રમણનો મોકો મળ્યો છે.
શું છે આખો ઘટનાક્રમ?
15 જુલાઈ 2025ના રોજ, કાંતિ અમૃતિયા 70થી 100 ગાડીઓના કાફલા સાથે ગાંધીનગર વિધાનસભા પહોંચ્યા હતા. તેમનો ઉદ્દેશ્ય ગોપાલ ઈટાલિયા, આમ આદમી પાર્ટીના નેતા, સાથેની ચેલેન્જનો જવાબ આપવાનો હતો. ગોપાલ ઈટાલિયાએ અમૃતિયાને રાજીનામું આપવાની ચેલેન્જ આપી હતી, જેના જવાબમાં અમૃતિયાએ ગાંધીનગર જઈને શક્તિ પ્રદર્શન કર્યું. જોકે, તેઓ 12:30 વાગ્યા સુધી ઈટાલિયાની રાહ જોયા બાદ રાજીનામું આપ્યા વિના જ પરત ફર્યા. આ ઘટનાએ રાજ્યના રાજકીય વર્તુળોમાં હાઈવોલ્ટેજ ડ્રામાની સ્થિતિ સર્જી હતી.
‘આપણે ખાલી વટ માટે જવાનું છે. રાજીનામું સાચે જ નથી આપવાનું’
રાજીનામું દેવાનું નથી ખાલી વટ માટે ગાંધીનગર જાય છીએ એવો ઓડિયો આવ્યો બોલો🤣
સાંભળો👇 pic.twitter.com/saH6xKUXOC— 𝐁𝐫𝐢𝐣𝐞𝐬𝐡 𝐅𝐚𝐥𝐝𝐮 (@BrijeshFaldu1) July 14, 2025
જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ક્લિપમાં કાંતિ અમૃતિયા રાજુભાઈ નામની વ્યક્તિ સાથે વાતચીત કરતા સંભળાય છે. ઓડિયોમાં અમૃતિયા કહે છે, “આપણે ખાલી વટ માટે જવાનું છે. રાજીનામું સાચે જ નથી આપવાનું. તમારે જેટલા થાય એટલા લોકો લઈ આવવાના છે.” આ ઉપરાંત, તેઓ 12 કરોડના રોડના કામના એગ્રીમેન્ટની પણ ચર્ચા કરે છે. આ ઓડિયો ક્લિપે એવા સવાલો ઉભા કર્યા છે કે શું આ રાજીનામાની ચેલેન્જ માત્ર રાજકીય શક્તિ પ્રદર્શનનો ભાગ હતી?, જો કે ધ ગુજરાત રિપોર્ટ આ ઓડિયો ક્લિપની પુષ્ટી કરતું નથી.
ઓડિયો ક્લિપની અસર
આ વાયરલ ઓડિયો ક્લિપે ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચાવી દીધો છે. વિરોધ પક્ષો, ખાસ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી,એ આ ઘટનાને હથિયાર બનાવીને કાંતિ અમૃતિયા અને ભાજપ પર આક્રમણ શરૂ કર્યું છે. કોંગ્રેસે આ મુદ્દે અમૃતિયાને ચેલેન્જ આપી છે, જ્યારે સોશિયલ મીડિયા પર લોકો આ ઘટનાને “નાટક” અને “શો બાજી” તરીકે ગણાવી રહ્યા છે. એક એક્સ પોસ્ટમાં જણાવાયું છે, “કાંતિ અમૃતિયાનું નાટક પૂરું થયું – રાજીનામું આપવાના નથી એ તો ગઈ કાલે જ કહી દીધું હતું.
રાજકીય પડકારો
કાંતિ અમૃતિયા સ્થાનિક સ્તરે અન્ય પડકારોનો પણ સામનો કરી રહ્યા છે. મોરબીમાં રોડના રિપેરના કામને લઈને થયેલા વિરોધ બા ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે જો મહાનગરપાલિકા આ કામ નહીં કરે તો તેઓ પોતાના ખર્ચે રસ્તો રિપેર કરાવશે. આ નિવેદનને કારણે અમૃતિયાને નીચા દેખાડવાનો પ્રયાસ થયો હોવાનું મનાય છે. જવાબમાં, અમૃતિયાના સમર્થકોએ એક વીડિયો વાયરલ કર્યો હતો, જેમાં તેઓએ પોતાની સફળતાઓ ગણાવી હતી.
આ પણ વાંચોઃ
Bihar Election: મોદી 4 મહિનામાં બિહારની ચોથીવાર મુલાકાત લેશે, 35 લાખથી વધુ મતદારો હટાવશે!
રમેશ ભગોરાનું 150 કરોડનું કૌભાંડ, નિવૃત્તિ સમયે ઝડપી બીલો ચૂકવ્યા | Ramesh Bhagora









