Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

  • India
  • August 5, 2025
  • 0 Comments

Uttarpradesh: ઉત્તરપ્રદેશના ગોંડામાં 200 રુપિયા ઉધારના વિવાદમાં યુવકની હત્યા કરવામાં આવી છે. 22 વર્ષીય હ્રદયલાલે તેમના જ ગામના રામ અર્જુન નામને 700 રુપિયા ઉછીના આપ્યા હતા. 1 ઓગષ્ટના રોજ, જયારે તેને રુપિયા પાછા માંગતા, તેમની વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. આ વિવાદ હિંસક બનતાં અનુજ તેના ભાઈ ,પુત્ર અને ભત્રીજા સાથે મળીને હ્રદયલાલ પર હુમલો કરી તેને માર મારીને તેની હત્યા કરી નાખી હતી.

રુ. 200 માટે યુવકની હત્યા

ગોંડા જિલ્લાના લક્ષ્મણપુર જાટ ગામના કડિયાકામ કરનાર મૃતક હૃદય લાલે તે જ ગામના રામ અનુજને 700 રૂપિયા ઉછીના આપ્યા હતા.1 ઓગસ્ટના રોજ, જ્યારે લાલે 200  રૂપિયા પાછા માંગ્યા, ત્યારે તેમની વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી આ મામલો એટલો હિંસક બન્યો કે અનુજ, તેના ભાઈ રામ કિશોર, પુત્ર જગદીશ અને ભત્રીજા પંકજ અને ચંદને તેના પર લાકડીઓથી હુમલો કર્યો. જેથી લાલને ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેથી તેને સારવાર માટે લખનૌ લઈ જવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન લાલનું સોમવારે મૃત્યુ થયું.

એક મહિના પહેલા જ થયા હતા લગ્ન 

ચાર સ્થાનિક પોલીસ સ્ટેશનોમાંથી તૈનાત પોલીસે દરમિયાન કામગીરી કરી, હળવો બળપ્રયોગ કરીને નાકાબંધી ખોલી અને મૃતદેહને ગામમાં લઈ જવામાં આવે તેની ખાતરી કરી.સાંજે જ્યારે મૃતદેહ લખનૌથી એમ્બ્યુલન્સમાં પાછો લાવવામાં આવી રહ્યો હતો, ત્યારે પરિવારે ચાલુ એમ્બ્યુલન્સમાંથી મૃતદેહને બહાર ફેંકી દીધો અને બાલપુર ખાતે મૃતદેહને રસ્તા પર મૂકીને ગોંડા -લખનૌ હાઇવે બ્લોક કરવાનો પ્રયાસ કર્યો.મૃતક હ્રદયલાલની ઉમંર 22 વર્ષ હતી. અને તેના લગ્ન એક મહિના પહેલા જ થયા હતા.

પરિવારની માંગ

આ ઘટના બાદ પરિવારે અંતિમ સંસ્કાર કરવાની ના પાડી અને આરોપીઓ પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાથે જ કહ્યુ કે ગુનેગારોના ઘરોને ‘બુલડોઝર’થી પાડી નાખવામાં આવે. નહીં તો ન્યાય ના મળે ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરવામાં નઈ આવે.

પોલીસની કાર્યવાહી

કોતવાલી દેહાત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સંજય કુમાર સિંહે જણાવ્યું હતું કે પોલીસની દેખરેખમાં સોમવારે મોડી રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે બીએનએસની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. લખનૌના પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ શાંતિ જાળવવા માટે ગામમાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો:

Junagadh: માણાવદર રિવરફ્રન્ટનો મામલો ગરમાયો, અરવિંદ લાડાણીની ગોપાલ ઇટાલિયાને ‘મોરેમોરા’ આવી જવાની ચેલેન્જ!

Morbi: AAP ની સભામાં લાફાવાળી, ઈસુદાન ગઢવીને સવાલ પૂછનાર યુવકને પડ્યો લાફો

Banaskantha: આદિવાસી સમાજના વિરોધમાં ધારાસભ્ય પણ જોડાયા, કાંતિ ખરાડી કલેક્ટર કચેરીના પગથીયે બેસી ગયા

‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court

  • Related Posts

    Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ
    • December 16, 2025

    Delhi AQI: દિલ્હીમાં કેટલાય સમયથી AQI સતત 400થી 450ને પાર રહ્યું છે જે હવે નીચે જતું નથી અને કેટલાય સમયથી સ્થાનિક તબીબો બાળકો અને વૃધ્ધો માટે દિલ્હી રહેવા લાયક નહિ…

    Continue reading
    Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા
    • December 16, 2025

    Shashi Tharoor on MNREGA: તિરુવનંતપુરમના કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) ના નામ બદલવા પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે આ વિવાદને દુર્ભાગ્યપૂર્ણ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ

    • December 16, 2025
    • 6 views
    Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ

    Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

    • December 16, 2025
    • 4 views
    Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

    Mexico Plane Crash: મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

    • December 16, 2025
    • 7 views
    Mexico Plane Crash:  મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

    Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો લીધો!’

    • December 16, 2025
    • 16 views
    Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની  હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો  લીધો!’

    Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

    • December 16, 2025
    • 14 views
    Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં  દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

    BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

    • December 15, 2025
    • 10 views
    BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!