Ahemedabad: લો બોલો સરકારી કચેરી માટે જગ્યા નહીં, કર્મચારીઓ રઝળતા થયા, લાભાર્થીઓની હાલત કફોડી

Ahemedabad: અમદાવાદ શહેરમાં સરકારી તંત્રની બેદરકારીએ એક અનોખી સમસ્યા ઊભી કરી છે. આંબાવાડીના પોલીટેકનીક કેમ્પસમાં આવેલી જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરીનું બિલ્ડીંગ જોખમી જાહેર થતાં 18 જુલાઈએ ખાલી કરાવાયું, પરંતુ માર્ગ અને મકાન વિભાગ પાસે આ કચેરીને ફાળવવા માટે વૈકલ્પિક જગ્યા નથી. પરિણામે, કચેરીનું સરનામું ગાયબ થઈ ગયું, અને કર્મચારીઓ તેમજ અધિકારીઓ રઝળતા થયા છે.

લાભાર્થીઓની હાલત કફોડી

આ કચેરી વિધવા પેન્શન, વ્હાલી દીકરી યોજના, ઘરેલુ હિંસા સહાય જેવી 18 યોજનાઓનું સંચાલન કરે છે. દરરોજ આશરે 100 લાભાર્થીઓ આવે છે, પરંતુ કચેરીની જગ્યા ન હોવાથી તેમના કામો અટવાયા છે. ગોમતીપુરના રામપાલ પ્રજાપતિ જેવા લાભાર્થીઓએ જણાવ્યું કે, “છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ વખત ધક્કો ખાધો. ફોર્મ ભર્યાને ત્રણ મહિના થયા, પણ કચેરીમાં તાળું જ હોય છે.”

બિલ્ડીંગોની જર્જરિત હાલત

પોલીટેકનીકના બેરેક નં. 1થી 5માં આવેલી કચેરીઓની ઇમારતો 1957માં બનેલી છે, જે અત્યંત જર્જરિત થઈ ગઈ છે. 2022થી નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીએ સર્વે કરી, આ બિલ્ડીંગોને જોખમી જાહેર કરીને ખાલી કરવાની નોટિસો જારી કરી. બેરેકની બહાર લાલ અક્ષરોમાં “ભયજનક મકાનમાં પ્રવેશ ન કરવો”ની ચેતવણી પણ લખાઈ. આ નોટિસોના પગલે નાયબ પશુપાલન નિયામક, સબ રજિસ્ટ્રાર અને માહિતી ખાતાની કચેરીઓ ખસેડાઈ, જેમાં માહિતી ખાતાને વસ્ત્રાપુરના જિલ્લા પુસ્તકાલયમાં જગ્યા ફાળવાઈ.

કચેરીની માગણી, પરંતુ જગ્યા નહીં

જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી જીગરભાઈ જસાણીએ જણાવ્યું કે, “સપ્ટેમ્બર 2024માં જગ્યા ફાળવવા પત્ર લખ્યો, પરંતુ હજુ સુધી કોઈ જગ્યા મળી નથી. કાગળો જૂની કચેરીમાં છે, પણ સ્ટાફ અલગ-અલગ જગ્યાએ બેસે છે, જેથી કામ થઈ શકતું નથી.” કચેરીએ ગિરધરનગર બહુમાળી ભવન કે સીઆઈડી ક્રાઈમની ખાલી જગ્યા ફાળવવા વિનંતી કરી, પરંતુ હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.

અન્ય કચેરીઓની સ્થિતિ

નોંધણી વિભાગ: સબ રજિસ્ટ્રાર વિજયભાઈ ચૌધરીએ જણાવ્યું કે, 80 લાખના ખર્ચે રિનોવેશન કરાયું, પણ નવી જગ્યા ન મળવાથી કચેરી ચાલુ છે. બોપલમાં નવી ઓફિસ બનવાની છે.

મદદનીશ બાગાયત નિયામક: 14 લાખના ખર્ચે રિનોવેશન થયું, પણ વસ્ત્રાપુર ક્વાર્ટર્સની જગ્યા અનુકૂળ નથી.

પોલીટેકનીક સબ પોસ્ટ ઓફિસ : 5,000થી વધુ ખાતાં સાથે ચાલુ છે, પણ નવી જગ્યા શોધાઈ રહી છે.

દાણીલીમડા વિધાનસભા ઓફિસ: ચૂંટણી કામો ઓનલાઈન થતાં ઓછા લોકો આવે છે. કલેક્ટર કચેરીમાં જગ્યા ફાળવાઈ, ટૂંક સમયમાં ખસેડાશે.

નાયબ કાર્યપાલક ઇજનેરનું નિવેદન

નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીએ જણાવ્યું કે, “2022થી તબક્કાવાર નોટિસો આપીએ છીએ. બિલ્ડીંગો જર્જરિત છે, જેથી જોખમ ટાળવા ખાલી કરાવાય છે. અમારી પાસે વૈકલ્પિક જગ્યા નથી, પણ વસ્ત્રાપુરમાં જગ્યા માટે દરખાસ્ત મોકલી છે.” નોટિસમાં સ્પષ્ટ છે કે, બિલ્ડીંગોના સ્લેબ, બીમ અને કોલમમાં તિરાડો છે, અને કોઈ અઘટિત ઘટનાની જવાબદારી કચેરીઓની રહેશે.

માર્ગ અને મકાન વિભાગની નિષ્ફળતાના કારણે કામગીરી અટકી

આમ માર્ગ અને મકાન વિભાગની જગ્યા ફાળવણીની નિષ્ફળતાએ મહિલા અને બાળ વિકાસ કચેરી સહિત અન્ય કચેરીઓની કામગીરીને અટકાવી છે. લાભાર્થીઓની મુશ્કેલીઓ અને કર્મચારીઓની અસુવિધાને ઉકેલવા તાત્કાલિક પગલાંની જરૂર છે, જેથી સરકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચી શકે.

આ પણ વાંચો:

Ahemedabad: લો બોલો સરકારી કચેરીઓ માટે જગ્યા નહીં, કર્મચારીઓ રઝળતા થયા, લાભાર્થીઓની હાલત કફોડી

Delhi: ટ્રાન્સજેન્ડર ગર્લફ્રેન્ડની ગળું કાપી ખતમ કરી નાખી, કારણ જાણી હચમચી જશો!

Vadodara: પોલીસની કરતૂતનો વીડિયો વાયરલ, પકડાયેલા દારુને બારોબાર બુટલેગરોને ભરી આપ્યો

UP: ભોગનીપુરમાં ગંગા કે યમુના નદી વહે છે તેનાથી મંત્રી સંજય નિષાદ અજાણ, કહ્યું ‘ગંગા મૈયા પગ ધોવા આવે છે’

Amreli:ખાંભાની યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર આરોપીઓ ઝડપાયા, ચીટર ગેંગને લઈને પોલીસનો ખુલાસો

Ahmedabad: અમદાવાદના બોપલમાં ફાયરિંગનો બનાવ, મૃતકના ખિસ્સામાથી મળી સુસાઈડ નોટ, શું છે સમગ્ર મામલો?

  • Related Posts

    GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ
    • August 14, 2026

    GPSC Interview Pending: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની ભરતી પ્રક્રિયા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. વિવિધ ભરતી પ્રક્રિયાઓમાં હજારો ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લાંબા સમયથી બાકી હોવાનું સામે આવતાં ઉમેદવારોમાં ભારે…

    Continue reading
    Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
    • August 9, 2026

    Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Tamil Nadu Politics: તમિલનાડુમાં સૌથી વધુ મંદિરો છતાં ધાર્મિક રાજકારણ કેમ સૌથી ઓછું?

    • August 16, 2026
    • 2 views
    Tamil Nadu Politics: તમિલનાડુમાં સૌથી વધુ મંદિરો છતાં ધાર્મિક રાજકારણ કેમ સૌથી ઓછું?

    BCI Manan Kumar Mishra: NALASAR વિવાદમાં BCI અધ્યક્ષે માંગી માફી, વિદ્યાર્થીઓના વિરોધ બાદ મનન કુમાર મિશ્રા બેકફૂટ પર

    • August 16, 2026
    • 3 views
    BCI Manan Kumar Mishra: NALASAR વિવાદમાં BCI અધ્યક્ષે માંગી માફી, વિદ્યાર્થીઓના વિરોધ બાદ મનન કુમાર મિશ્રા બેકફૂટ પર

    Rahul Gandhi Savarkar Case: સાવરકર કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની મોટી રાહત, UP સરકારની મોટી કાનૂની ખામી સામે આવી

    • August 16, 2026
    • 6 views
    Rahul Gandhi Savarkar Case: સાવરકર કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની મોટી રાહત, UP સરકારની મોટી કાનૂની ખામી સામે આવી

    PM Modi Dimagi Naxal: ‘દિમાગી નક્સલ’ શબ્દ પર રાજકીય ઘમાસાણ, વિપક્ષનો આરોપ- અસંમતિને દબાવવા સરકાર નવા લેબલનો ઉપયોગ કરે છે

    • August 16, 2026
    • 9 views
    PM Modi Dimagi Naxal: ‘દિમાગી નક્સલ’ શબ્દ પર રાજકીય ઘમાસાણ, વિપક્ષનો આરોપ- અસંમતિને દબાવવા સરકાર નવા લેબલનો ઉપયોગ કરે છે

    Jharkhand Student Protest: ‘આ કેવી આઝાદી?’ હોસ્પિટલમાંથી બહાર નીકળતા વિદ્યાર્થી નેતા રોકાયા, તિરંગા માર્ચ પહેલાં પોલીસ સાથે ઘર્ષણ

    • August 16, 2026
    • 6 views
    Jharkhand Student Protest: ‘આ કેવી આઝાદી?’ હોસ્પિટલમાંથી બહાર નીકળતા વિદ્યાર્થી નેતા રોકાયા, તિરંગા માર્ચ પહેલાં પોલીસ સાથે ઘર્ષણ

    AIADMK Crisis: AIADMK માં ફરી બળવો, EPS સામે વરિષ્ઠ નેતાઓની નારાજગી ખુલ્લી પડી

    • August 16, 2026
    • 7 views
    AIADMK Crisis: AIADMK માં ફરી બળવો, EPS સામે વરિષ્ઠ નેતાઓની નારાજગી ખુલ્લી પડી