Amreli: ચલાલા નગરપાલિકામાં રાજકીય ભૂકંપ, 5 મહિના પહેલા પાલિકા પ્રમુખ બનેલા નયનાબેન વાળાનું રાજીનામું

Amreli: અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકામાં રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. ભાજપના સંપૂર્ણ વર્ચસ્વવાળી ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળાએ 5 મહિના પહેલાં 5 માર્ચ, 2025ના રોજ પ્રમુખપદ સંભાળ્યું હતું, પરંતુ અચાનક તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામાએ સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.

5 મહિના પહેલા પાલિકા પ્રમુખ બનેલા નયનાબેન વાળાએ આપ્યું રાજીનામુ

નયનાબેને અમરેલી જિલ્લા કલેક્ટરને પોતાનું લેખિત રાજીનામું સોંપ્યું, જેમાં તેમણે કૌટુંબિક કારણોને લીધે ફરજ નિભાવવામાં અસમર્થતા દર્શાવી. જોકે, આ કારણને લઈને રાજકીય વર્તુળોમાં અનેક અટકળો શરૂ થઈ છે. ચલાલા નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો પર ભાજપનો કબજો છે, છતાં આ રાજીનામું આશ્ચર્યજનક મનાય છે.

ધારાસભ્ય જે.વી. કાકડિયાના હોમટાઉનમાં આંતરિક વિખવાદ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નગરપાલિકામાં આંતરિક વિખવાદ અને સભ્યો વચ્ચેના મતભેદો રાજીનામાનું મુખ્ય કારણ હોઈ શકે છે. આ ઉપરાંત, લોકોની સમસ્યાઓનું સમાધાન ન થતું હોવાની નારાજગી પણ એક કારણ હોવાનું ચર્ચાય છે. નોંધપાત્ર છે કે, ચલાલા ધારાસભ્ય જે.વી. કાકડિયાનું હોમ ટાઉન છે, અને આ રાજીનામાએ ભાજપના આંતરિક કલહની અટકળોને વેગ આપ્યો છે.

નયનાબેનના પતિએ સોશિયલ મીડિયા દ્વારા કરી જાહેરાત

નયનાબેનના પતિએ સોશિયલ મીડિયા દ્વારા આ રાજીનામાની જાહેરાત કરી, જેનાથી ચર્ચાઓ વધુ તીવ્ર બની. હવે ભાજપ દ્વારા નવા પ્રમુખની નિયુક્તિની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. આ ઘટનાએ ચલાલાના રાજકીય પટલ પર નવો વળાંક આણ્યો છે, અને આગળ શું થશે તેની રાહ સૌ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: 

Valsad: આશ્રમશાળાઓમાં ભ્રષ્ટાચાર, શિક્ષકો અને વિદ્યાર્થીઓનું શોષણ, યુવરાજસિંહે ખોલી આ નેતાની પોલ

INDIA Alliance Protest: વોટ ચોરી મુદ્દે 300 વિપક્ષી સાંસદોએ કરી કૂચ, પોલીસ સાથે થઈ ઝપાઝપી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત

Ahmedabad: તમારી દુકાન નીચે ધન છે, વિધિ કરવી પડશે, ભૂવીએ વેપારી પાસેથી 67 લાખ પડાવ્યા, જાણો

Jairam Ramesh News: કોંગ્રેસના આરોપો વચ્ચે ચૂંટણી પંચે જયરામ રમેશને પત્ર લખ્યો, વાતચીત માટે બોલાવ્યા

Ahmedabad Plane Crash: અમેરિકન વકીલે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી, બચી ગયેલા મુસાફરને પણ મળ્યા, જાણો તેમને શું કહ્યું?

KC Venugopal Air India flight: 5 સાંસદ સહિત 100થી વધુ મુસાફરને લઈ જતા વિમાન સર્જાઈ ખામી, કેસી વેણુગોપાલે શરે કર્યો ભયાનક અનુભવ

Kutch: ‘રામ રાખે તેને કોણ ચાખે’ 100 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલ બાળકનું ગામલોકો દ્વારા દિલધડક રેસ્ક્યું

Related Posts

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
  • June 26, 2026

Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

Continue reading
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
  • June 26, 2026

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

  • June 28, 2026
  • 4 views
UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

  • June 28, 2026
  • 6 views
Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

  • June 28, 2026
  • 10 views
Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

  • June 27, 2026
  • 6 views
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

  • June 27, 2026
  • 7 views
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

  • June 27, 2026
  • 9 views
Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા