Amreli: ચલાલા નગરપાલિકામાં રાજકીય ભૂકંપ, 5 મહિના પહેલા પાલિકા પ્રમુખ બનેલા નયનાબેન વાળાનું રાજીનામું

Amreli: અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકામાં રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. ભાજપના સંપૂર્ણ વર્ચસ્વવાળી ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળાએ 5 મહિના પહેલાં 5 માર્ચ, 2025ના રોજ પ્રમુખપદ સંભાળ્યું હતું, પરંતુ અચાનક તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામાએ સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.

5 મહિના પહેલા પાલિકા પ્રમુખ બનેલા નયનાબેન વાળાએ આપ્યું રાજીનામુ

નયનાબેને અમરેલી જિલ્લા કલેક્ટરને પોતાનું લેખિત રાજીનામું સોંપ્યું, જેમાં તેમણે કૌટુંબિક કારણોને લીધે ફરજ નિભાવવામાં અસમર્થતા દર્શાવી. જોકે, આ કારણને લઈને રાજકીય વર્તુળોમાં અનેક અટકળો શરૂ થઈ છે. ચલાલા નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો પર ભાજપનો કબજો છે, છતાં આ રાજીનામું આશ્ચર્યજનક મનાય છે.

ધારાસભ્ય જે.વી. કાકડિયાના હોમટાઉનમાં આંતરિક વિખવાદ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નગરપાલિકામાં આંતરિક વિખવાદ અને સભ્યો વચ્ચેના મતભેદો રાજીનામાનું મુખ્ય કારણ હોઈ શકે છે. આ ઉપરાંત, લોકોની સમસ્યાઓનું સમાધાન ન થતું હોવાની નારાજગી પણ એક કારણ હોવાનું ચર્ચાય છે. નોંધપાત્ર છે કે, ચલાલા ધારાસભ્ય જે.વી. કાકડિયાનું હોમ ટાઉન છે, અને આ રાજીનામાએ ભાજપના આંતરિક કલહની અટકળોને વેગ આપ્યો છે.

નયનાબેનના પતિએ સોશિયલ મીડિયા દ્વારા કરી જાહેરાત

નયનાબેનના પતિએ સોશિયલ મીડિયા દ્વારા આ રાજીનામાની જાહેરાત કરી, જેનાથી ચર્ચાઓ વધુ તીવ્ર બની. હવે ભાજપ દ્વારા નવા પ્રમુખની નિયુક્તિની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. આ ઘટનાએ ચલાલાના રાજકીય પટલ પર નવો વળાંક આણ્યો છે, અને આગળ શું થશે તેની રાહ સૌ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: 

Valsad: આશ્રમશાળાઓમાં ભ્રષ્ટાચાર, શિક્ષકો અને વિદ્યાર્થીઓનું શોષણ, યુવરાજસિંહે ખોલી આ નેતાની પોલ

INDIA Alliance Protest: વોટ ચોરી મુદ્દે 300 વિપક્ષી સાંસદોએ કરી કૂચ, પોલીસ સાથે થઈ ઝપાઝપી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત

Ahmedabad: તમારી દુકાન નીચે ધન છે, વિધિ કરવી પડશે, ભૂવીએ વેપારી પાસેથી 67 લાખ પડાવ્યા, જાણો

Jairam Ramesh News: કોંગ્રેસના આરોપો વચ્ચે ચૂંટણી પંચે જયરામ રમેશને પત્ર લખ્યો, વાતચીત માટે બોલાવ્યા

Ahmedabad Plane Crash: અમેરિકન વકીલે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી, બચી ગયેલા મુસાફરને પણ મળ્યા, જાણો તેમને શું કહ્યું?

KC Venugopal Air India flight: 5 સાંસદ સહિત 100થી વધુ મુસાફરને લઈ જતા વિમાન સર્જાઈ ખામી, કેસી વેણુગોપાલે શરે કર્યો ભયાનક અનુભવ

Kutch: ‘રામ રાખે તેને કોણ ચાખે’ 100 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલ બાળકનું ગામલોકો દ્વારા દિલધડક રેસ્ક્યું

Related Posts

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર
  • May 11, 2026

Chhotaudepur Sihada water Crisis: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલું સિહાદા ગામ અત્યારે આકરા ઉનાળાની સાથે પાણીની અત્યંત વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આશરે ૭૦૦૦ની વસ્તી ધરાવતા આ ગામમાં પીવાના…

Continue reading
Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા
  • May 10, 2026

Gujarat Tribal Politics: ગુજરાતની ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ્યાં મોટા રાજકીય પક્ષો અને મંત્રીઓની ફોજ ઉતારવામાં આવી હતી, ત્યાં આદિવાસી નેતા ચૈતર વસાવા એક પ્રભાવક ચહેરા તરીકે ઉભરી આવ્યા છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી

  • May 11, 2026
  • 3 views
Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી

Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

  • May 11, 2026
  • 3 views
Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

  • May 11, 2026
  • 4 views
INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

  • May 11, 2026
  • 9 views
Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 11 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 10 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં