Ahmedabad: ગણેશ સ્થાપના સમયે મોટી દુર્ઘટના, કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થતા 10 ભોંયરામાં દટાયા

Ahmedabad: અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં મોડી રાત્રે ગણેશ સ્થાપના સમયે એક મોટી દુર્ઘટના બની છે જેમાં બુધવારે સાંજે પંચમુખી હનુમાન ગ્રુપ દ્વારા ખૂબ મોટા પાયે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સીતારામ ચોક પાસે એક કોમ્પ્લેક્સનો સ્લેબની છત અચાનક તૂટી પડી. આ ઘટનામાં ત્રણ બાળકો અને મહિલાઓ સહિત 10થી વધુ લોકો ભોંયરામાં કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો.

ગણેશ સ્થાપના સમયે મોટી દુર્ઘટના

આ દુર્ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ કાટમાળ નીચે દટાયેલા લોકોને ઝડપથી બહાર કાઢ્યા અને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

ફાયર વિભાગે કર્યું રેસ્ક્યું 

આ ઘટના સમયે ઘરમાં રહેતા લોકો રાબેતા મુજબ પોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક છત તૂટી પડી હતી આ અકસ્માત એટલો અચાનક થયો કે કોઈને સ્વસ્થ થવાનો મોકો મળ્યો નહીં. સ્થાનિક લોકોએ અવાજ સાંભળ્યો અને તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી જેથી ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા 

આ મામલે ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે માહિતી મળતા જ અમારી ટીમ થોડીવારમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાટમાળ દૂર કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું હાલમાં તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. અને દરેકની હાલત સ્થિર હોવાનું કહેવામાં આવી રહયું છે.

છત પહેલાથી જ હતી જર્જરિત

આ મામલે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, છતની હાલત પહેલાથી જ જર્જરિત હતી અને વરસાદને કારણે દિવાલો નબળી પડી ગઈ હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

 પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી 

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને  ઘટનાની તપાસ કરી રહી છે અને વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. વિસ્તારના લોકોમાં ગભરાટનો માહોલ છે.

  • Related Posts

    Banni Cheetah Project Gujarat: બન્નીના રણમાં ચિત્તાનું આગમન થશે, કરોડોનો ખર્ચ, પણ શું સુરક્ષા અને સફળતાની ગેરંટી છે?
    • May 2, 2026

    Banni Cheetah Project Gujarat: ગુજરાતના કચ્છમાં આવેલા એશિયાના સૌથી મોટા ઘાસના મેદાન ‘બન્ની’માં ટૂંક સમયમાં ચિત્તાઓનો અવાજ સંભળાશે તેવા અહેવાલો મળી રહ્યા છે. વન વિભાગ દ્વારા ચોમાસા બાદ ચિત્તાઓને લાવવાની…

    Continue reading
    Kutch Police ISIS Arrest: કચ્છના ભુજમાં ISIS વિચારધારા સોશિયલ મીડિયા પર ફેલાવનાર શખ્સની SOG અને પોલીસ દ્વારા ધરપકડ
    • May 2, 2026

    Kutch Police ISIS Arrest: ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા સંવેદનશીલ કચ્છ જિલ્લામાં ફરી એકવાર રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓનો પર્દાફાશ થયો છે. ભુજ તાલુકાના લોડાઈ ગામમાં એક શખ્સ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રતિબંધિત આતંકવાદી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Banni Cheetah Project Gujarat: બન્નીના રણમાં ચિત્તાનું આગમન થશે, કરોડોનો ખર્ચ, પણ શું સુરક્ષા અને સફળતાની ગેરંટી છે?

    • May 2, 2026
    • 1 views
    Banni Cheetah Project Gujarat: બન્નીના રણમાં ચિત્તાનું આગમન થશે, કરોડોનો ખર્ચ, પણ શું સુરક્ષા અને સફળતાની ગેરંટી છે?

    All India Chemists Strike: ઓનલાઇન દવાઓના વેચાણ સામે 20મીએ દેશવ્યાપી કેમિસ્ટ્સ બંધ, 12 લાખથી વધુ મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ

    • May 2, 2026
    • 3 views
    All India Chemists Strike: ઓનલાઇન દવાઓના વેચાણ સામે 20મીએ દેશવ્યાપી કેમિસ્ટ્સ બંધ, 12 લાખથી વધુ મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ

    Kutch Police ISIS Arrest: કચ્છના ભુજમાં ISIS વિચારધારા સોશિયલ મીડિયા પર ફેલાવનાર શખ્સની SOG અને પોલીસ દ્વારા ધરપકડ

    • May 2, 2026
    • 8 views
    Kutch Police ISIS Arrest: કચ્છના ભુજમાં ISIS વિચારધારા સોશિયલ મીડિયા પર ફેલાવનાર શખ્સની SOG અને પોલીસ દ્વારા ધરપકડ

    MSU Modi Tattva RSS Sociology Course: MSUમાં ‘મોદીતત્ત્વ’ અને RSSની વિચારધારા ભણાવવાના નિર્ણયથી શિક્ષણ જગતમાં નવી ચર્ચા શરૂ

    • May 2, 2026
    • 11 views
    MSU Modi Tattva RSS Sociology Course: MSUમાં ‘મોદીતત્ત્વ’ અને RSSની વિચારધારા ભણાવવાના નિર્ણયથી શિક્ષણ જગતમાં નવી ચર્ચા શરૂ

    Indian Americans leaving USA: ટ્રમ્પની નીતિઓથી નારાજ 40 ટકા ભારતીય મૂળના લોકો અમેરિકા છોડવા તૈયાર, IAAS સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

    • May 2, 2026
    • 11 views
    Indian Americans leaving USA: ટ્રમ્પની નીતિઓથી નારાજ 40 ટકા ભારતીય મૂળના લોકો અમેરિકા છોડવા તૈયાર, IAAS સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

    Jagdish Vishwakarma Controversy: ગેનીબેન અંગે જગદીશ વિશ્વકર્માના નિવેદનથી રાજકારણ ગરમાયું, કોંગ્રેસ સાથે સંતો પણ વિરોધમાં ઉતર્યા

    • May 2, 2026
    • 16 views
    Jagdish Vishwakarma Controversy: ગેનીબેન અંગે જગદીશ વિશ્વકર્માના નિવેદનથી રાજકારણ ગરમાયું, કોંગ્રેસ સાથે સંતો પણ વિરોધમાં ઉતર્યા