vote chori in Gujarat: ગુજરાતમાં 62 લાખની વોટ ચોરી, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો ધડાકો

vote chori in Gujarat: રાહુલ ગાંધીએ વોટ ચોરીને લઈને ખુલાસો કરતા હવે દેશ ભરમાં વોટ ચોરીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપ અને ચૂંટણી પંચે મળીને જે ગોટાળ કર્યા હતા તેને રાહુલ ગાંધીએ ખુલ્લા પાડ્યા હતા ત્યારે હવે ગુજરાતમાં પણ કોંગ્રેસે ખોટા મતદારને લઈને મોટો ધડાકો કર્યો છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે, ભાજપ પ્રદેશ પ્રમુખના મત વિસ્તારમાંથી 30 હજાર મતદાર ખોટા નીકળ્યા છે. એટલે કે, 30 હજાર ખોટા મતદારોને કારણે પાટીલ જીત્યા છે.

30 હજાર ખોટા મતદારોએ પાટીલને જીતાડ્યા?

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નવસારી લોકસભા મતવિસ્તારની ચોર્યાસી વિધાનસભા બેઠકની મતદાર યાદીમાં 30,000 નકલી મતદારો હોવાનો સનસનાટી ભર્યો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે, જો સમગ્ર ગુજરાતની મતદાર યાદીની ચકાસણી કરવામાં આવે તો 62 લાખ ખોટા મતદારોની ચોરી ઝડપાઈ શકે છે. આ મુદ્દે તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજીને ચૂંટણી પંચની વેબસાઈટ પરથી મેળવેલા ડેટાને આધારે પુરાવા રજૂ કર્યા હતા.

ગુજરાતમાં 75,000થી વધુ નકલી મતદારોની શંકા

અમિત ચાવડાએ જણાવ્યું કે, ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રીના લોકસભા મતવિસ્તારમાંથી જ આ ગેરરીતિ પકડાઈ છે. તેમણે આક્ષેપ કર્યો કે, ભાજપના ધારાસભ્યની ચોર્યાસી બેઠકમાં આવી ચોરી થઈ રહી છે, જે લોકશાહીને નબળી પાડવાનું કાવતરું છે. તેમણે વધુમાં કહ્યું કે, જો 100 ટકા મતદાર યાદીની તપાસ કરવામાં આવે તો 75,000થી વધુ નકલી મતદારો ઝડપાઈ શકે છે. આ ઉપરાંત, મુખ્યમંત્રીના મતવિસ્તારની પણ તપાસ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.

વોટ ચોરીની પાંચ રીતો

ચાવડાએ જણાવ્યું કે, મતદાર યાદીમાં ગેરરીતિ પાંચ રીતે થાય છે:
1. સંપૂર્ણ ડુપ્લિકેટ મતદારો, જેમાં એક વ્યક્તિ બે વખત મત આપે છે.

2. નામમાં સ્પેલિંગની ભૂલ.

3. એક જ વ્યક્તિને અલગ-અલગ EPIC કાર્ડ નંબર આપવા.

4. ભાષા બદલી નાખવી.

5. સરનામું બદલી દેવું.

આ ગેરરીતિઓ લોકશાહીના મૂળ અધિકારોને છીનવે છે અને ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરે છે, એવો તેમનો આરોપ છે.

કોંગ્રેસ ભૂતિયા મતદારોનો કરશે પર્દાફાશ

અમિત ચાવડાએ ભારપૂર્વક જણાવ્યું કે, આ મુદ્દો ચૂંટણીની હાર-જીતનો નથી, પરંતુ લોકશાહી બચાવવાની લડાઈ છે. તેમણે કહ્યું, “ગુજરાતના 5.06 કરોડ મતદારોમાંથી 62 લાખ ખોટા મતદારો હોઈ શકે છે. આ ચોરીને ખુલ્લી પાડવી એ ગુજરાતીઓની જવાબદારી છે.”તેમણે ઉમેર્યું કે, ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ દરેક ઘરે પહોંચીને ભૂતિયા મતદારોનો પર્દાફાશ કરશે.

31 ઓગસ્ટે ‘વોટ અધિકાર જનસભા’

ગુજરાત કોંગ્રેસે 31 ઓગસ્ટે ‘વોટ અધિકાર જનસભા’નું આયોજન કર્યું છે, જેમાં રાજ્યના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાશે. આ જનસભાથી શરૂઆત કરીને ગુજરાતના દરેક ઘર સુધી પહોંચીને ખોટા મતદારોને ખુલ્લા પાડવાનું અભિયાન ચલાવવામાં આવશે. 2027ની વિધાનસભા ચૂંટણી સુધીમાં આ ગેરરીતિઓને સંપૂર્ણ રીતે ઉજાગર કરવાનો લક્ષ્યાંક છે.

પ્રાથમિક તપાસમાં 12.3% ખોટા મતદારો

કોંગ્રેસની પ્રાથમિક તપાસમાં 12.3% મતદારો શંકાસ્પદ જણાયા છે. અમિત ચાવડાએ જણાવ્યું કે, ચૂંટણી પંચની વેબસાઈટ પરથી મેળવેલા ડેટાના આધારે આ ખુલાસો થયો છે. તેમણે ચૂંટણી પંચ પર ભાજપના દબાણમાં એફિડેવિટ માગીને ચોરીને છુપાવવાનો આરોપ પણ લગાવ્યો. તેમણે કહ્યું, “અમે સડકથી લઈને સંસદ સુધી આ મુદ્દો ઉઠાવીશું અને ગુજરાતના નાગરિકોના મતાધિકારનું રક્ષણ કરીશું.”

રાહુલ ગાંધીએ કર્યો હતો ધડાકો

આ મુદ્દો સૌપ્રથમ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ 7 ઓગસ્ટે 22 પેજના પ્રેઝન્ટેશન દ્વારા ઉઠાવ્યો હતો. તેમના આ પ્રેઝન્ટેશન બાદ દેશભરમાં મતદાર યાદીમાં ગેરરીતિનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસે આ મુદ્દાને આગળ વધારતા રેકોર્ડબ્રેક જીતના દાવાઓ પાછળ વોટ ચોરીનું કાવતરું હોવાનો આક્ષેપ કર્યો છે.

અમિત ચાવડાની ગુજરાતના નાગરિકોને અપીલ

અમિત ચાવડાએ ગુજરાતના નાગરિકોને અપીલ કરી કે, આ માત્ર કોંગ્રેસની લડાઈ નથી, પરંતુ દરેક ભારતીયના મતાધિકારનું રક્ષણ કરવાની જવાબદારી છે. તેમણે રેકોર્ડબ્રેક જીતના દાવાઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, આવી ગેરરીતિઓના કારણે જ આવા પરિણામો આવે છે. કોંગ્રેસ આ મુદ્દે ચૂંટણી પંચ અને સરકાર સમક્ષ રજૂઆત કરશે અને લોકશાહીના રક્ષણ માટે લડત ચાલુ રાખશે.

આ પણ વાંચો:

Delhi: મોબાઈલના કારણે હત્યા,એવું શું થયું કે મિત્રએ જીવ લઈ લીધો?

Gujarat Traffic: ઓવરસ્પીડિંગથી મોતનો આંકડો વધુ, દંડ ઓછો કેમ?

UP: કોર્ટમાં જ વકીલોએ કર્યો જીવલેણ હુમલો, પોલીસકર્મીઓ જીવ બચાવવા ભાગ્યા

વિશ્વ નાજુક પરિસ્થિતિમાં, ક્યારે ભડકો થાય અને વિશ્વને ભરખી જાય તે કહેવું મુશ્કેલ: Jayanarayan Vyas

Himachal Pradesh Flood: હિમાચલના જંગલોની લૂંટ! નદીમાં તરતા લાકડાના ઢગલાએ ખોલી લાકડાના માફિયાની પોલ

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

  • June 20, 2026
  • 2 views
Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

  • June 20, 2026
  • 5 views
Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

  • June 20, 2026
  • 7 views
Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

  • June 20, 2026
  • 6 views
Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 9 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 7 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા