Release 600 Workers in Gandhidham: કંપનીએ 600 કામદારોને તગેડી મૂક્યા, અચોક્કસ મુદત સુધી ઉપવાસ આંદોલનનું એલાન

Release 600 Workers in Gandhidham: કચ્છના ગાંધીધામમાં જીંદાલ કંપનીના કામદારો ન્યાયની માંગ સાથે અનિશ્ચિત ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. આ આંદોલનનું નેતૃત્વ સમાઘોઘાના પૂર્વ સરપંચ વિજયસિંહ જાડેજા અને કુશળ-અકુશળ અસંગઠિત કામદાર સંગઠનના જનરલ સેક્રેટરી વેલજીભાઈ જાટ કરી રહ્યા છે. સ્થાનિક સમુદાય અને અન્ય સંગઠનો પણ આ આંદોલનમાં જોડાઈ રહ્યા છે.

કંપનીએ 600 કામદારોને તગેડી મૂક્યા

કામદારોનો આક્ષેપ છે કે, જીંદાલ કંપની દ્વારા તેમના હક્કોનું હનન થઈ રહ્યું છે, અને યોગ્ય વેતન, કામની સ્થિતિ તથા અન્ય મૂળભૂત અધિકારોની માંગણીઓ પૂરી નથી થઈ. આંદોલન ન્યાય મળે ત્યાં સુધી ચાલુ રહેશે તેવો સંકલ્પ કામદારોએ કર્યો છે.

કામદારો અચોક્કસ મુદત સુધી ઉપવાસ આંદોલન પર

આ મામલે વિજયસિંહ જાડેજા (પુર્વ સરપંચ શ્રી સમાઘોઘા)એ જણાવ્યું કે, જીંદાલ કંમ્પની દ્વારા જ્યાં સુધી યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી અચોક્કસ મુદત સુધી ઉપવાસ આંદોલન કરી કામદારોને ન્યાય માટે લડત કરવામાં આવશે.તેમજ વેલજીભાઈ જાટે જણાવ્યું કે, રાજકીય બિનરાજકીય ક્ષેત્ર ના હોદેદારો અને આગેવાનો પણ સાથે રહી સમર્થન આપી રહ્યા છે.

કામદારોનો હુંકાર 

આ આંદોલનથી કંપનીના કામકાજ પર પણ અસર થઈ શકે છે, પરંતુ કામદારોનું કહેવું છે કે, તેઓ અન્યાય સામે ઝૂકશે નહીં. સ્થાનિક વહીવટીતંત્ર અને કંપનીના સંચાલકોને આ મુદ્દે વાતચીત માટે આગળ આવવા આહ્વાન કરવામાં આવ્યું છે.

કંપનીનો કઠોર નિર્ણય  

આ ઘટના દેશભરના અસંગઠિત કામદારોના અધિકારોના પ્રશ્નને ફરી એકવાર ચર્ચામાં લાવી છે. કામદારોને રાખીને મનફાવે ત્યારે કાઢી મુકવાનો કઠોર નિર્ણય કામદારો માટે મોટી મુસીબત બની જાય છે. કંપનીના માલિકો પોતાના કર્મચારીઓ વિશે કેમ નથી વિચારતા? તેઓ મજૂરૂ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે અચાનક તેમને છુટા કરી દેવાતા હવે તેઓ શું કરે? તે સવાલ ઉભો થયો છે.

કામદારો માટે શું છે નિયમો? 

મહત્વનું છે કે, ઔદ્યોગિક વિવાદ અધિનિયમ, 1947 અને અન્ય શ્રમ કાયદાઓ શ્રમિકોને નોકરીમાંથી અચાનક છૂટા થવા સામે રક્ષણ આપવા માટે ઘડવામાં આવ્યા છે. જેમાં નિયમ મુજબ શ્રમિકોને નોકરીમાંથી છૂટા કરવા માટે નોટિસ, વળતર, જેવી શરતોનું પાલન કરવું ફરજિયાત છે. આ શ્રમિકોને નાણાકીય અને કાનૂની રક્ષણ આપે છે. જો કંપની આ નિયમોનું ઉલ્લંઘન કરે, તો શ્રમિક લેબર કોર્ટ અથવા ઔદ્યોગિક ટ્રિબ્યુનલમાં ફરિયાદ કરી શકે છે.

આમ કાયદો હોવા છતા કંપનીના માલિકો મનમાની કરે છે અને કેટલીક પ્રાઈવેટ કંપનીઓ, ખાસ કરીને નાના એકમો, નોટિસ કે વળતર આપ્યા વિના શ્રમિકોને છૂટા કરે છે. આ ખાસ કરીને કોન્ટ્રાક્ટ શ્રમિકો અથવા દૈનિક વેતનના કામદારો સાથે થાય છે. કેટલીક કંપનીઓ કાયદાને ટાળવા માટે કોન્ટ્રાક્ટરો દ્વારા શ્રમિકોને રાખે છે, જેનાથી તેમની સીધી જવાબદારી ઘટે છે. અસંગઠિત ક્ષેત્રમાં કામદારોને નોકરીના કરાર અથવા નિમણૂક પત્ર આપવામાં આવતા નથી, જેનાથી તેમના માટે કાનૂની લડાઈ લડવી મુશ્કેલ બને છે.

આગામી દિવસોમાં આંદોલનનું સ્વરૂપ વધુ તીવ્ર બને તેવી શક્યતા

ત્યારે સમાઘોઘા જીંદાલ કંમ્પની દ્વારા કોઇ પણ જાણ કર્યા વગર 600 કામદારોને છૂટા કરીને કામદારો સામે અન્યાય કર્યો છે ત્યારે કામદારોએ પણ આ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે ત્યારે આગામી દિવસોમાં આંદોલનનું સ્વરૂપ વધુ તીવ્ર થઈ શકે છે, જેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો:

Delhi: મોબાઈલના કારણે હત્યા,એવું શું થયું કે મિત્રએ જીવ લઈ લીધો?

Gujarat Traffic: ઓવરસ્પીડિંગથી મોતનો આંકડો વધુ, દંડ ઓછો કેમ?

UP: કોર્ટમાં જ વકીલોએ કર્યો જીવલેણ હુમલો, પોલીસકર્મીઓ જીવ બચાવવા ભાગ્યા

વિશ્વ નાજુક પરિસ્થિતિમાં, ક્યારે ભડકો થાય અને વિશ્વને ભરખી જાય તે કહેવું મુશ્કેલ: Jayanarayan Vyas

Himachal Pradesh Flood: હિમાચલના જંગલોની લૂંટ! નદીમાં તરતા લાકડાના ઢગલાએ ખોલી લાકડાના માફિયાની પોલ

Related Posts

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
  • June 26, 2026

Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

Continue reading
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
  • June 26, 2026

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

  • June 28, 2026
  • 2 views
Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

  • June 28, 2026
  • 5 views
Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

  • June 27, 2026
  • 6 views
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

  • June 27, 2026
  • 7 views
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

  • June 27, 2026
  • 9 views
Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

  • June 27, 2026
  • 12 views
Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ