Anand Child kidnapping: ‘મારાથી બાળકી સાથે ખોટું કામ થઈ ગયું, પછી મેં મારી નાખી’, આરોપીના ગોળ ગોળ જવાબ

  • Gujarat
  • September 2, 2025
  • 0 Comments

Anand Nawakhal Child kidnapping: આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ગામમાં શનિવારે સાંજે 4:10 વાગ્યે એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના બની. જેમાં સાડા પાંચ વર્ષની એક નાનકડી બાળકીનું અપહરણ થયું. આ ઘટનાએ ગામમાં ભય અને આક્રોશનું વાતાવરણ સર્જ્યું છે, અને પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં આરોપી તરીકે ગામના જ એક યુવાન અજય પઢિયારનું નામ સામે આવ્યું છે, જેના વિરોધાભાસી જવાબોએ પોલીસની તપાસને વધુ જટિલ બનાવી છે. જો કે બાળકીના મૃતદેહનો હજુ સુધી પત્તો ના લાગતાં ગ્રામજનો અને પરિવારમાં ભારે આક્રોશ છે.

બાળકી આરોપીને ‘કાકા’ કહેતી

શનિવારે સાંજે જ્યારે ગામમાં રામાપીરના નોરતાની ઉજવણીનો ઉત્સાહ હતો, તે સમયે આ ઘટના બની. બાળકી તેની માતા સાથે હતી, જે ગામના એક ધાબા પર વાસણ ધોવા ગયા હતા. બાળકી ધાબાની નીચેની સીડી પર રમી રહી હતી. આ દરમિયાન ગામનો જ એક યુવાન અજય પઢિયાર બાળકીને મકાઈ ખવડાવવાના બહાને બાઈક પર બેસાડીને લઈ ગયો. અજય બાળકીના કાકાનો મિત્ર હતો અને ઘણી વખત તેમના ઘરે આવતો-જતો હતો. બાળકી તેને ‘કાકા’ કહીને બોલાવતી હતી અને તેને ઓળખતી હોવાથી તેણે કોઈ બૂમરાણ કે વિરોધ કર્યો નહીં.

આરોપી બાળકીને ઉઠાવી ગયો

બાળકીની માતાને શરૂઆતમાં લાગ્યું કે તે ગામમાં ચાલી રહેલી રામાપીરની આરતીમાં ગઈ હશે, કારણ કે બાળકી નિયમિત આરતીમાં જતી હતી. જોકે, સાંજે 7 વાગ્યા સુધી બાળકી ઘરે પરત ન આવતાં પરિવારે ચિંતા વ્યક્ત કરી અને ગામમાં શોધખોળ શરૂ કરી. ગામના લોકો પણ આ શોધખોળમાં જોડાયા, પરંતુ રાત્રે 9 વાગ્યા સુધી બાળકીનો કોઈ પત્તો ન મળ્યો. આશ્ચર્યજનક રીતે, આરોપી અજય પણ આ શોધખોળમાં પરિવાર સાથે જોડાયો હતો, જેથી કોઈને તેના પર શંકા ન ગઈ.

પોલીસ તપાસ, આરોપીને ઘરેથી દબોચ્યો

રાત્રે 9 વાગ્યાની આસપાસ પરિવાર અને ગામલોકો આંકલાવ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને અપહરણની ફરિયાદ નોંધાવી. પોલીસે ગામમાં તપાસ હાથ ધરી. મોડી રાત્રે ગામમાં એક બેંકની બહારના CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી, જેમાં અજય બાળકીને બાઈક પર બેસાડીને લઈ જતો દેખાયો. આ ફૂટેજના આધારે પોલીસે વહેલી સવારે અજયને તેના ઘરેથી ઝડપી લીધો. નોંધનીય છે કે, આ ઘટનાના બીજા દિવસે રવિવારે અજયની પત્નીનું સીમંતનું હતું, જે આ ઘટનાને વધુ ગંભીર બનાવે છે.

આરોપી અજયના ગોળ-ગોળ જવાબ, બાળકીનો પગ લપસી ગયો

પોલીસ પૂછપરછ દરમિયાન અજયે એક પછી એક ગોળ-ગોળ જવાબો આપવાનું શરુ કર્યુ. જેનાથી તપાસ વધુ જટિલ બની. શરૂઆતમાં તેણે કહ્યું કે તે બાળકીને મીની નદીના કિનારે શ્રીફળ પધરાવવા લઈ ગયો હતો, જ્યાં બાળકીનો પગ લપસી ગયો અને તે નદીમાં પડી ગઈ. આ જવાબ પોલીસને સંતોષકારક ન લાગ્યો, કારણ કે તે ગોખેલો લાગતો હતો.

બીજો જવાબ: ભૂવાએ સલાહ આપી હતી

કડક પૂછપરછ પછી અજયે બીજો જવાબ આપ્યો કે તેને સંતાન નહોતું થતું, અને ઉમેટાના એક ભૂવાએ તેને બાળકીની બલિ આપવાની સલાહ આપી હતી. તેણે દાવો કર્યો કે આ સલાહને અનુસરીને તેણે બાળકીની હત્યા કરી અને લાશ નદીમાં ફેંકી દીધી. જોકે, પોલીસે ઉમેટાના ભૂવાની પૂછપરછ કરતાં તેણે આવી કોઈ સલાહ આપી ન હોવાનું અને અજયને ઓળખતો પણ ન હોવાનું જણાવ્યું.

ત્રીજો જવાબ: દુષ્કર્મ આચર્યું

વધુ કડક પૂછપરછમાં અજયે ત્રીજો દાવો કર્યો કે તેણે બાળકીને ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ કર્યું, અને પછી ખુલાસો થઈ જવાના ડરથી તેની હત્યા કરીને લાશ નદીમાં ફેંકી દીધી. આ દાવા પછી પણ પોલીસને સંપૂર્ણ વિશ્વાસ નથી, કારણ કે બાળકીની લાશ હજુ સુધી મળી નથી, અને આવી સ્થિતિમાં કોઈ નિષ્કર્ષ પર આવવું મુશ્કેલ છે.

પોલીસ અને SDRFનું સર્ચ ઓપરેશન

રવિવારે સવારે, આંકલાવ પોલીસ અને SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમે સિંધરોટ નદીના કિનારે અને આસપાસના ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારમાં વ્યાપક શોધખોળ હાથ ધરી. નદીમાં બોટ દ્વારા શોધખોળ કરવામાં આવી, પરંતુ નદીનો પ્રવાહ ઝડપી હોવાથી શરૂઆતમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પાણીનું વહેણ ઓછું થતાં બોટ ફરીથી શોધખોળ માટે રવાના થઈ, જેમાં સાતથી આઠ જેટલા લોકો સામેલ હતા. બીજી તરફ, પોલીસની એક ટીમે આરોપી અજયને સાથે રાખીને ઝાડી-ઝાંખરાવાળા જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું. આ ઓપરેશન દરમિયાન, ભાસ્કરની ટીમ પણ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે જંગલ વિસ્તારમાં ફરી રહી હતી, જેથી ઘટનાની સચોટ માહિતી મળી શકે.

ગામલોકો સાથે પોલીસની બોલાચાલી

બાળકી ગુમ થયા બાદ ગામલોકોએ આંકલાવ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો, જે દરમિયાન પોલીસ અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી થઈ હતી. પોલીસે કહ્યું હતુ કે આ પોલીસ સ્ટેશન છે નગરપાલિકા નથી. તે ઘૂસી જશો. આગળ વધ્યા તો ગુનો દાખલ થશે.  પોલીસના વર્તનથી ગામલોકોમાં રોષ ફેલાયો. આ ઘટનાએ ગામમાં તણાવનું વાતાવરણ સર્જ્યું છે, અને ગ્રામજનો બાળકીની સલામતી માટે ચિંતિત છે.

હાલની સ્થિતિ અને તપાસ

હાલમાં, બાળકીની લાશ મળી નથી, અને આરોપી અજયના ગોળગોળ જવાબોને કારણે પોલીસ તપાસને વધુ ગહન બનાવી રહી છે. અજયની પૂછપરછ ચાલુ છે, અને પોલીસ તેના દાવાઓની સત્યતા ચકાસવા માટે વધુ પુરાવાઓ શોધી રહી છે. નદીના કિનારે અને જંગલ વિસ્તારમાં શોધખોળ યથાવત છે, અને SDRFની ટીમ પણ સતત કામગીરી કરી રહી છે.

આ ઘટનાએ નવાખલ ગામમાં શોક અને ભયનું વાતાવરણ સર્જ્યું છે. ગામલોકો બાળકીની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે, અને પોલીસની કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે. આ ઘટનાને લઈને વધુ માહિતી મળે તેની રાહ જોવાઈ રહી છે.

આ ઘટના સમાજ માટે એક ગંભીર ચેતવણી છે. બાળકોની સલામતી માટે માતા-પિતા અને સમાજે વધુ સજાગ રહેવાની જરૂર છે. આવી ઘટનાઓ રોકવા માટે જાગૃતિ, સાવચેતી અને સમુદાયની એકતા અત્યંત જરૂરી છે. પોલીસ અને સ્થાનિક વહીવટે પણ આવી ઘટનાઓ પર તાત્કાલિક અને સંવેદનશીલ રીતે કાર્યવાહી કરવાની જરૂર છે, જેથી ગામલોકોનો વિશ્વાસ જળવાઈ રહે.

આ પણ વાંચો:

 

Anand: કોંગ્રેસ નેતા ઇકબાલ મલેકની હત્યાનો ભેદ ઉકેલાયો, છેડતીની ઘટના હત્યાનું મૂળ, 2 આરોપીઓ કોણ છે?

Anand: ભુવાના કહેવાથી કાકાના મિત્રએ 5 વર્ષની બાળકીની બલિ ચડાવી, જાણો તેને કેમ કર્યું આવું?

Anand News: મારા એક નહીં આખા નવાખલ ગામની જીત, દિવ્યાંગ સરપંચ બનતા શું બોલ્યા! |

છૂટાછેડા પછી ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર ચહલ અંગે કર્યો ચોકાવનારો ખૂલાસો, જુઓ શું કહ્યું? | Dhanashree | Yuzvendra Chahal

Modi China Visit: ‘મોદીનું ગરમ સિંદૂર પાણી થઈ ગયું’, જિનપિંગને ના પૂછ્યું પાકિસ્તાનને કેમ મદદ કરી

PM Modi: ચીનને લાલ આંખ બતાવવાનું કહેતાં મોદી આજે શું બોલ્યા?

Vadodara: શરીર સંબંધ બાંધે નહીં તો તારો નગ્ન વીડિયો ગ્રુપમાં મૂકી દઈશ: યુવતીને એક શખ્સે આપી ધમકી

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 3 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 5 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 10 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 8 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 9 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 10 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ