Anand: ભુવાના કહેવાથી કાકાના મિત્રએ 5 વર્ષની બાળકીની બલિ ચડાવી, જાણો તેને કેમ કર્યું આવું?

  • Gujarat
  • September 1, 2025
  • 0 Comments

Anand: એક તરફ વિશ્વના વિકસિત દેશો વિજ્ઞાન અને સંશોધનની મદદથી પ્રગતિના શિખરો સર કરી રહ્યા છે, ત્યારે ભારત હજુ પણ અંધશ્રદ્ધાના ગાઢ અંધકારમાં ડૂબેલો દેખાય છે. હજુ પણ ઘણી જગ્યાએ અંધવિશ્વાસની આગમાં નિર્દોષ જીવોની આહુતિ આપવામા આવી રહી છે. ત્યારે અંધશ્રદ્ધાની આવી જ એક હચમચાવનારી ઘટના આણંદમાંથી સામે આવી છે જેમાં 5 વર્ષની માસૂમ બાળકી અંધશ્રદ્ધાનો ભોગ બની છે. સંતાનપ્રાપ્તિના નામે એક 5 વર્ષની નિર્દોષ બાળકીની બલિ ચડાવી દેવાઈ છે.

આણંદમાં 5 વર્ષની બાળકીની બલિ

મળતી માહિતી મુજબ નવાખલ ગામમાં રહેતી 5 વર્ષની બાળકી તુલસી સોલંકી ગઈકાલે સાંજે ઘરેથી મંદિરે રમવા જવાનું કહીને નીકળી હતી. રાત થવા છતાં જ્યારે તે ઘરે પાછી ન ફરી, ત્યારે પરિવારે ચિંતામાં ડૂબીને પોલીસને જાણ કરી. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને આ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો થયો. તુલસીના કાકાના મિત્ર અજય પઢિયારે તાંત્રિક વિધિ માટે બાળકીનું અપહરણ કરી, તેની હત્યા કરી અને લાશને સિંઘરોટ નદીમાં ફેંકી દીધી હતી.

કાકાના મિત્રએ ભુવાની વાતોમાં આવીને બાળકીની હત્યા કરી

પોલીસની પૂછપરછમાં અજય પઢિયારે કબૂલ્યું કે, તે સંતાનપ્રાપ્તિ માટે એક ભુવા પાસે ગયો હતો. ભુવાએ તેને તાંત્રિક વિધિ માટે એક બાળકીની બલિ આપવાની સલાહ આપી હતી. આ સલાહને અનુસરીને અજયે તુલસીને બાઈક પર ઉમેટા લઈ ગયો, જ્યાં તેણે નિર્દોષ બાળકીની હત્યા કરી અને લાશને નદીમાં ફેંકી દીધી. આ ઘટનાએ નવાખલ ગામ સહિત આખા વિસ્તારમાં આઘાત અને આક્રોશ ફેલાવ્યો છે.

પોલીસે શું કાર્યવાહી કરી ?

આરોપીની કબૂલાત બાદ પોલીસે NDRFની ટીમની મદદથી સિંઘરોટ નદીમાં તુલસીની લાશ શોધવાની કામગીરી શરૂ કરી છે. પોલીસે અજય પઢિયારને અટકાયતમાં લઈ, તેની સામે કડક કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરી છે. આ ઉપરાંત, તાંત્રિક વિધિમાં સામેલ અન્ય શકમંદોની પણ તપાસ ચાલી રહી છે.

સમાજ માટે ચેતવણી

આ ઘટના એક નિર્દોષ બાળકીની નિર્મમ હત્યા ઉપરાંત, સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિઓના નામે થતી છેતરપિંડીને ઉઘાડી પાડે છે. ખજાનો મેળવવા, ધંધામાં સફળતા કે સંતાનપ્રાપ્તિ જેવા લોભામણા વાયદાઓથી લોકોને ગેરમાર્ગે દોરીને આવા ગુનાઓને અંજામ આપવામાં આવે છે. આવી ઘટનાઓ રોકવા માટે સમાજમાં જાગૃતિ ફેલાવવી અને કડક કાયદાકીય પગલાં લેવા અનિવાર્ય બન્યા છે.

 અંધશ્રદ્ધા વિરોધી કાયદો લાવ્યા બાદ પણ કોઈ ફરક નહીં

નોંધનીય છે કે, અંધશ્રદ્ધાને કારણે બનતા ગુનાઓને અટકાવવા માટે ગુજરાત સરકારે અંધશ્રદ્ધા વિરોધી બિલ લાવ્યા છે તેમ છતા આ પ્રકારની ઘટનાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી.

આપણે અંધશ્રદ્ધાઓથી ક્યારે મુક્ત થઈશું?

આ ઘટનાએ માનવતાને શરમસાર કરી છે અને સમાજને એક ગંભીર પ્રશ્ન ઉભો કર્યો છે કે, આપણે આવી અંધશ્રદ્ધાઓથી ક્યારે મુક્ત થઈશું?

આ પણ વાંચો:

LPG Price Cut: ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો શું છે નવી કિંમત 

Rajkot: ગોપાલે કહ્યું- “ ભાજપ 5000 આપીને લોકોને સભામાં પ્રશ્નો પૂછવા મોકલે છે”, ઉદય કાનગડે કહ્યું- એ લોકો રીલ બનાવવામાં માસ્ટર…

Gir Somanath: સુત્રાપાડાની GHCL કંપનીમાં જ કર્મચારીએ ઝેરી દવા પી લીધી, અધિકારીઓનો ત્રાસ!

EVM હટાવી મતદાર કાર્ડ ફરજિયાત કરવા ટ્રમ્પની કવાયત, છેતરપીંડીનો અહેસાસ કેમ?

LPG Price Cut: ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો શું છે નવી કિંમત

Related Posts

Gujarat Farmer Protest: 5 લાખ ખેડૂતોની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેમ છેતરપિંડી કરી?
  • August 5, 2026

Gujarat Farmer Protest: ગુજરાત સરકાર દ્વારા 4 જુલાઈ, 2026ના રોજ વીજ ટ્રાન્સમિશન ટાવર અને હાઈ વોલ્ટેજ લાઈનો માટે જમીન વળતર અંગે જાહેર કરાયેલા નવા પરિપત્ર સામે ખેડૂતોના સંગઠનોમાં ભારે અસંતોષ…

Continue reading
Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
  • August 4, 2026

Morbi Farmers Protest: મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન પર વીજ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Farmer Protest: 5 લાખ ખેડૂતોની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેમ છેતરપિંડી કરી?

  • August 5, 2026
  • 4 views
Gujarat Farmer Protest: 5 લાખ ખેડૂતોની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેમ છેતરપિંડી કરી?

Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

  • August 4, 2026
  • 6 views
Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

  • August 4, 2026
  • 5 views
Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

  • August 4, 2026
  • 7 views
Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

  • August 4, 2026
  • 13 views
Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

  • August 4, 2026
  • 7 views
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ