Potat Sorathiya Case: અનિરુદ્ધસિંહ જાડેજાને જવું પડશે જેલમાં, સુપ્રીમ કોર્ટે પણ આપ્યો ઝટકો

  • Gujarat
  • September 1, 2025
  • 0 Comments

Potat Sorathiya Case: અનિરુદ્ધસિંહ જાડેજાને લઈને મોટા સમાચારસામે આવ્યા છે. અનિરુદ્ધસિંહ જાડેજાને હવે જેલમાં જવાનો વારો આવ્યો છે. કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્યની હત્યા કેસમાં અનિરૂદ્ધસિંહ દ્વારા સજા માફી અંગેનો હુકમને લઈ સુપ્રિમ કોર્ટે ચૂકાદો આપ્યો છે. કોર્ટે આ મામલે અનિરુદ્ધસિંહ જાડેજાને મોટો ઝટકો આપ્યો છે.

અનિરુદ્ધસિંહ જાડેજાને જવું પડશે જેલમાં

ગોંડલના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની હત્યાના કેસમાં આરોપી અનિરૂદ્ધસિંહ જાડેજાની સજા માફીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે અનિરૂદ્ધસિંહની સજા માફી રદ કરીને તેમને ચાર સપ્તાહમાં સરેન્ડર કરવા આદેશ આપ્યો હતો. આ નિર્ણયની સામે અનિરૂદ્ધસિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં સજા માફીનો હુકમ કાયમ રાખવાની માંગ કરવામાં આવી છે. સોરઠીયા પરિવારે પણ સજા જાળવી રાખવાની હાઈકોર્ટના નિર્ણયને સમર્થન આપ્યું છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે આજે સુનાવણી થવાની શક્યતા છે.

 શું હવે પોપટ સોરઠીયા કેસ?

1988માં ગોંડલમાં ધ્વજવંદનના એક કાર્યક્રમ દરમિયાન પોપટ સોરઠીયાની પિસ્તોલથી ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે, પાછળથી તેમની સજા માફ કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ માફીને ગેરકાયદે ગણાવી, અનિરૂદ્ધસિંહને જેલ સત્તાવાળાઓ સમક્ષ હાજર થવા અને તેમનો પાસપોર્ટ જમા કરાવવા હુકમ કર્યો હતો. અનિરૂદ્ધસિંહે તેમના વકીલ મારફતે પાસપોર્ટ જમા કરાવ્યો છે.

અમિત ખૂંટ આપઘાત કેસમાં ફરાર

અનિરૂદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર અમિત ખૂંટના આપઘાત કેસમાં પણ આરોપી છે. આ કેસમાં બંને પિતા-પુત્ર છેલ્લા ચાર મહિનાથી ફરાર છે. પોલીસે તેમને પકડવા માટે ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ટીમો મોકલી છે, પરંતુ હજુ સુધી તેમને શોધવામાં સફળતા મળી નથી.

આ કેસ હાલ ગુજરાતની રાજકીય અને કાયદાકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે, અને સુપ્રીમ કોર્ટનો આગામી નિર્ણય આ મામલે નિર્ણાયક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો:

LPG Price Cut: ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો શું છે નવી કિંમત 

Rajkot: ગોપાલે કહ્યું- “ ભાજપ 5000 આપીને લોકોને સભામાં પ્રશ્નો પૂછવા મોકલે છે”, ઉદય કાનગડે કહ્યું- એ લોકો રીલ બનાવવામાં માસ્ટર…

Gir Somanath: સુત્રાપાડાની GHCL કંપનીમાં જ કર્મચારીએ ઝેરી દવા પી લીધી, અધિકારીઓનો ત્રાસ!

EVM હટાવી મતદાર કાર્ડ ફરજિયાત કરવા ટ્રમ્પની કવાયત, છેતરપીંડીનો અહેસાસ કેમ?

LPG Price Cut: ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો શું છે નવી કિંમત

Related Posts

Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
  • August 9, 2026

Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

  • August 11, 2026
  • 2 views
Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

  • August 11, 2026
  • 3 views
Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

  • August 11, 2026
  • 4 views
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

  • August 11, 2026
  • 5 views
NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

  • August 11, 2026
  • 5 views
Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

  • August 11, 2026
  • 4 views
UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?