નેપાળમાં પૂર્વ PMની પત્નીને જીવતી સળગાવી, ઓલીએ PM પદેથી રાજીનામું આપ્યું છતાં પ્રદર્શનો ઉગ્ર | Nepal Violence

  • World
  • September 9, 2025
  • 0 Comments

Nepal Violence: નેપાળમાં લાંબા સમથી ચાલતાં ભ્રષ્ટાચાર, સરમુખત્યાર સામે લોકોએ ઉગ્ર વિરોધ કર્યો છે. આ વચ્ચે  એક હચમચાવી નાખતાં સમાચાર આવ્યા છે. પ્રદર્શનકારીઓના ટોળાએ દેશના પૂર્વ વડા પ્રધાન ઝાલનાથ ખનાલના ઘર પર હુમલો કર્યો અને તેને આગ લગાવી દીધી. આ ઘટનામાં ખનાલના પત્ની રાજ્યલક્ષ્મી ચિત્રકરને પણ નિશાન બનાવ્યા હતા. તેઓ ખરાબ રીતે દાઝી ગયા હતા અને તેમનું મૃત્યુ થયું છે. આ ઘટના દલ્લુ સ્થિત તેમના નિવાસસ્થાને બની હતી, જ્યાં વિરોધીઓએ તેમને ઘરની અંદર ઘેરી લીધા હતા અને આગ લગાવી દીધી હતી. ઘણા નેતાઓને દોડાવી દોડાવીને માર મારવામાં આવ્યો છે.

સારવાર દરમિયાન મોત

પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને ગંભીર હાલતમાં કીર્તિપુર બર્ન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. આ ઘટનાથી મૃતકોની સંખ્યામાં વધારો થયો છે. સોમવારથી શરૂ થયેલ જનરલ-જી વિરોધ હવે વધુ હિંસક બન્યો છે. અધિકારીઓએ હજુ સુધી આ હુમલા અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.

સેના દ્વારા ખાનલને બચાવી લેવામાં આવ્યા

સીપીએન (યુનિફાઇડ સોશિયાલિસ્ટ) ના નેતા નરેશ શાહીના જણાવ્યા અનુસાર પ્રદર્શનકારીઓએ ઘરની અંદર આગ લગાવી દીધી હતી જેના કારણે તેણી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેમના જણાવ્યા મુજબ જ્યારે પ્રદર્શનકારીઓએ ઘરને આગ લગાવી ત્યારે તે તેના પુત્ર નિર્ભિક ખાનલ સાથે ઘરે હતી. આગમાં લપેટાયા બાદ તેણે છાવણીમાં આવેલી નેપાળ આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. શાહીના જણાવ્યા મુજબ તે આઈસીયુમાં સારવાર આપવામાં આવી હતી પરંતુ તે ખરાબ રીતે દાઝી ગઈ હતી. આ કારણે, તેને કીર્તિપુર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જો કે મોત થઈ ગયુ. જ્યારે ઘરમાં આગ લાગે તે પહેલાં જ નેપાળ આર્મી દ્વારા પૂર્વ PM ઝાલનાથ ખાનલને બચાવી લેવામાં આવ્યા હતા.

ઝાલાનાથ ખાનાલ નેપાળના 35મા વડા પ્રધાન રહ્યા છે અને ફેબ્રુઆરી 2011 થી ઓગસ્ટ 2011 સુધી આ પદ સંભાળ્યું હતું. તેઓ નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને CPNના બંધારણ સભા સંસદીય પક્ષના નેતા તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.

નેપાળમાં ભારે હિંસા કેમ?

નેપાળમાં થઈ રહેલી હિંસા માત્ર સોશિયલ મિડિયા પરનો પ્રતિબંધ એકલો નથી. નેપાળમાં લાંબા સમયથી લોકો ભ્રષ્ટાચાર, બેરોજગારી અને સરકારની તાનાશાહી સહન કરી રહ્યા હતા. ત્યારે હવે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. આ રોષ ત્યારે વધુ ઉગ્ર બન્યો જ્યારે કેટલાંક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ (જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ) પર 3 સપ્ટેમ્બર, 2025થી લાદવામાં આવ્યો. આ પ્રતિબંધ નેપાળ સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને સ્થાનિક કચેરી સ્થાપવા અને ટેક્સપેયર તરીકે નોંધણી કરાવવાના નવા કાયદાનું પાલન ન કરવાને કારણે લગાવ્યો હતો. આ નિર્ણયનો Gen-Z યુવાનોએ ઉગ્ર વિરોધ કર્યો, જેને તેઓએ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો ગણાવ્યો.

ઉપરાંત યુવાનોએ સરકાર પર ભ્રષ્ટાચાર, ખરાબ પ્રશાસન અને સત્તાના દુરુપયોગના આરોપો લગાવ્યા, જેના કારણે વિરોધ વધુ તીવ્ર બન્યો. ગૃહમંત્રી રમેશ લેખક, કૃષિ મંત્રી રામનાથ અધિકારી અને આરોગ્ય મંત્રી પ્રદીપ પૌડેલે રાજીનામું આપ્યું, અને વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ પણ 9 સપ્ટેમ્બર, 2025ના રોજ રાજીનામું આપ્યું. વિરોધની તીવ્રતાને જોતાં સરકારે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવ્યો અને તપાસ માટે સમિતિની રચના કરવાની જાહેરાત કરી.

રાજાશાહીની માંગ

બીજી તરફ, માર્ચ 2025માં રાજાશાહીની માંગ સાથે રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (RPP) દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનોમાં પણ હિંસા થઈ, જેમાં 2 લોકોના મોત થયા અને 105 લોકોની ધરપકડ કરવામાં આવી. આ પ્રદર્શનોમાં રાજાશાહી સમર્થકોએ ભ્રષ્ટાચાર અને ખરાબ શાસનનો વિરોધ કરતાં સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા.

  • Related Posts

    S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે
    • May 8, 2026

    S Jaishankar: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં સુરીનામની મુલાકાતે છે, જ્યાં તેમણે બદલાતી વૈશ્વિક વ્યવસ્થા અને મોટા દેશોની સ્વાર્થી નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. પારામારીબોમાં ભારતીય સમુદાય અને…

    Continue reading
    Iran US Conflict: ઈરાન દબાણ સામે નહીં ઝૂકે, પરંતુ વાતચીત માટે તૈયાર, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનનું મોટું નિવેદન
    • May 6, 2026

    Iran US Conflict: ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાને હાલમાં જ ઈરાકના નિયુક્ત વડાપ્રધાન અલી અલ-ઝૈદી સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન દેશનું વલણ સ્પષ્ટ કર્યું છે. પેજેશકિયાને ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાન આંતરરાષ્ટ્રીય…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના

    • May 8, 2026
    • 4 views
    West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના

    Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ

    • May 8, 2026
    • 6 views
    Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ

    Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ

    • May 8, 2026
    • 8 views
    Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ

    Mundra fishermen Adani protest: અત્યાચારનું બીજુ નામ અદાણી: મુંદરામાં 4 વખત માછીમારોને સ્થળાંતર

    • May 8, 2026
    • 9 views
    Mundra fishermen Adani protest: અત્યાચારનું બીજુ નામ અદાણી: મુંદરામાં 4 વખત માછીમારોને સ્થળાંતર

    Bhavnagar SBI Loan Scam: ભાવનગર SBI લોન કૌભાંડમાં મોટો ખુલાસો, નિલમબાગ બ્રાન્ચના ચીફ મેનેજરની ધરપકડથી બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ

    • May 8, 2026
    • 10 views
    Bhavnagar SBI Loan Scam: ભાવનગર SBI લોન કૌભાંડમાં મોટો ખુલાસો, નિલમબાગ બ્રાન્ચના ચીફ મેનેજરની ધરપકડથી બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ

    S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે

    • May 8, 2026
    • 6 views
    S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે