Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

  • India
  • June 24, 2026
  • 0 Comments

Forest Land Diversion Report: કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલયે છેલ્લા ત્રણ વર્ષમાં જે આંકડા જાહેર કર્યા છે, તે સાંભળીને કોઈપણ સંવેદનશીલ વ્યક્તિ હચમચી જાય. જુલાઈ ૨૦૨૩ થી મે ૨૦૨૬ ના ગાળામાં, જ્યારે આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તનની ગંભીર સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે, ત્યારે ભારતમાં વિકાસના નામે ૨૮ લાખથી વધુ વૃક્ષોને કાપવાની મંજૂરી આપવામાં આવી છે. ‘ડાઉન ટુ અર્થ’ ના સનસનાટીભર્યા વિશ્લેષણે સરકારના વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી છે. ૨૮૮ જેટલા વન ડાયવર્ઝન પ્રસ્તાવોમાંથી ૨૪૨ ને મંજૂરી આપવી – એટલે કે ૮૦ ટકાથી વધુ મંજૂરીનો દર – એ સાબિત કરે છે કે સરકાર માટે જંગલનું સંરક્ષણ હવે માત્ર કાગળ પરની ઔપચારિકતા બની ગઈ છે. ૨૨,૦૦૦ હેક્ટરથી વધુ વન જમીન ખનન, હાઈડ્રોપાવર અને ટ્રાન્સમિશન લાઈનોના નામે જે રીતે ડાયવર્ટ કરવામાં આવી છે, તે આવનારી પેઢીઓ માટે એક ગંભીર સંકટ નોતરે છે.

માઈનિંગ અને હાઈડ્રોપાવરના હાથે જંગલની તબાહી

આ ૨૮ લાખ વૃક્ષોના નિકંદન પાછળ મુખ્યત્વે ત્રણ સેક્ટરો જવાબદાર છે: માઈનિંગ, હાઈડ્રોપાવર અને ટ્રાન્સમિશન લાઈનો. આ ત્રણ પ્રોજેક્ટ્સ મળીને કુલ વૃક્ષોના નિકંદનમાં ૯૦ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. ખાસ કરીને માઈનિંગ પરિયોજનાઓ હેઠળ ૧૩.૫ લાખ વૃક્ષો કાપવાની મંજૂરી અપાઈ, જે દર્શાવે છે કે કોર્પોરેટ ગ્રીડ અને ખનિજોની લાલસા જંગલો કરતાં વધુ મહત્વની છે. હાઈડ્રોપાવરના નામે ૯.૩ લાખ અને રિહેબિલિટેશનના નામે ૨.૩ લાખ વૃક્ષોનું બલિદાન લેવાયું છે. શું ખરેખર વિકાસ માટે આટલા મોટા પાયે પ્રકૃતિનો વિનાશ અનિવાર્ય છે? જ્યારે આપણે હરિત ભારતની વાતો કરીએ છીએ, ત્યારે આવી મંજૂરીઓ આપતી વખતે પર્યાવરણ મંત્રાલયની કલમ શા માટે થરથરતી નથી? નાના-નાના ૧૦ હેક્ટરના ટુકડા હોય કે ૧૦૦૦ હેક્ટરથી મોટા વિસ્તાર, દરેક મંજૂરી સાથે હજારો જીવોના આશ્રયસ્થાન છીનવાઈ રહ્યા છે.

લોકવિરોધ છતાં વિનાશનું મશીન ચાલુ

છત્તીસગઢમાં વૃક્ષો કાપવાની મંજૂરીનો આંકડો અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી વધુ છે. સરગુજા ડિવિઝનમાં ‘કેતે એક્સ્ટેન્શન ઓપનકાસ્ટ કોલ માઈનિંગ’ પ્રોજેક્ટ માટે ૪ લાખથી વધુ વૃક્ષો કાપવાની સરકારી મંજૂરીએ સ્થાનિક આદિવાસી સમુદાયોના રોષને તેજ કર્યો છે. અહીંના લોકોએ પોતાની જમીન અને જંગલના અધિકારો માટે આંદોલનો કર્યા, વિરોધ પ્રદર્શનો કર્યા, છતાં તંત્રના કાન પર જું પણ ન સરકી. જ્યારે સત્તા અને મૂડીવાદ હાથ મિલાવે છે, ત્યારે જંગલના અધિકારો ધરાવતા આદિવાસીઓની અવાજ દબાવી દેવામાં આવે છે. આ પ્રોજેક્ટ માત્ર વૃક્ષો નથી કાપી રહ્યો, પણ તે આદિવાસીઓની સાંસ્કૃતિક ઓળખ અને તેમના અસ્તિત્વના મૂળ પર ઘા કરી રહ્યો છે. સરકારે આ વિસ્તારમાં વૃક્ષો કાપવાની પરવાનગી આપીને વિકાસનો કયો માપદંડ સાબિત કર્યો છે?

આંકડાની માયાજાળ 

સરકારની ફાઈલોમાં કેટલીકવાર વૃક્ષો કાપવાની વાત છુપાવી દેવામાં આવે છે અથવા અસ્પષ્ટ રાખવામાં આવે છે. ઓડિશાની સિજીમાલી બોક્સાઈટ માઈનિંગ પ્રોજેક્ટ તેનું ઉત્તમ ઉદાહરણ છે. વેદાંતા ગ્રુપ દ્વારા પ્રસ્તાવિત આ પ્રોજેક્ટમાં ૧૭૦૦ હેક્ટર જમીન ડાયવર્ટ થવાની છે, પરંતુ સત્તાવાર મિનિટ્સમાં વૃક્ષોની સચોટ સંખ્યાનો ઉલ્લેખ નથી. સરકાર દાવો કરે છે કે પર્યાવરણ પર અસર ‘ખૂબ ઓછી’ થશે, પણ તે જ દસ્તાવેજોમાં ફરી સ્વીકારવામાં આવ્યું છે કે વૃક્ષો કાપવાથી જમીનનું ધોવાણ વધશે, વન્યજીવોના આવાસ છીનવાશે અને જળ-સ્ત્રોતોમાં કાંપ જમા થશે. આ વિરોધાભાસ શું સૂચવે છે? એ જ કે પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે તર્ક અને વિજ્ઞાનનો નહીં, પણ માત્ર ‘ફાઈલ ક્લિયર’ કરવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. વૃક્ષોની ગણતરી ન કરવી કે પર્યાવરણીય અસરને ઓછી આંકવી એ જંગલોને નષ્ટ કરવાની એક નવી તરકીબ છે.

પર્યાવરણ મંત્રાલય કે વિનાશનું મંત્રાલય?

૨૦૧૯ માં પણ ડાઉન ટુ અર્થે અહેવાલ આપ્યો હતો કે ૨૦૧૬ થી ૨૦૧૯ વચ્ચે ૬૯.૪ લાખ વૃક્ષો કાપવાની મંજૂરી અપાઈ હતી. આ ગતિએ જોતા, ભારતનાં જંગલો ક્યાં સુધી ટકી શકશે? વિકાસનો અર્થ શું માત્ર વૃક્ષો કાપવા અને કોંક્રિટના જંગલો ઉભા કરવા એવો જ છે? ભારત સરકારના મંત્રાલયો જ્યારે વિકાસની આંધળી દોડમાં સામેલ હોય, ત્યારે પર્યાવરણના રક્ષણની અપેક્ષા રાખવી એ દીવાસ્વપ્ન સમાન છે. આ આંકડાઓ એ વાસ્તવિકતા છે જે સંસદમાં પણ કદાચ અધૂરી કે ફેરવી-તોડીને રજૂ કરવામાં આવે છે. દર વર્ષે હજારો વૃક્ષો કાપીને, આપણે વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ વધારી રહ્યા છીએ અને પછી આ જ સરકાર કાર્બન ઉત્સર્જન ઘટાડવાની મોટી મોટી આંતરરાષ્ટ્રીય જાહેરાતો કરે છે.

જંગલ બચાવવાની લડાઈ હવે જન આંદોલન બનવી જોઈએ

૨૮ લાખ વૃક્ષો એટલે માત્ર એક આંકડો નથી, પણ ૨૮ લાખ જીવતા જાગતા ઓક્સિજનના સ્ત્રોત છે, હજારો પશુ-પક્ષીઓના ઘર છે અને લાખો આદિવાસીઓની આજીવિકા છે. જો આપણે જંગલ બચાવવા માટે અત્યારે જાગૃત નહીં થઈએ, તો આવનારી પેઢીઓને આપણે શું આપીશું? માત્ર સૂકા નદી-નાળા અને ગરમ થતી પૃથ્વી! સરકારની આ મંજૂરીઓ સામે હવે સામાન્ય નાગરિકો, પર્યાવરણવાદીઓ અને કાયદાકીય નિષ્ણાતોએ વધુ સક્રિય થવાની જરૂર છે. શું લોકશાહીમાં નાગરિકોના અવાજ કરતાં કંપનીઓનો નફો વધુ મહત્વનો બની ગયો છે? આ એક અત્યંત શરમજનક સ્થિતિ છે. વૃક્ષો કાપવાની આ પરવાનગીઓને અટકાવવા માટે હવે દેશવ્યાપી લોક આંદોલનની જરૂર છે, કારણ કે જો જંગલો નહીં રહે, તો માનવજાત પણ સુરક્ષિત નહીં રહે.

આ પણ વાંચો: 

Haryana IDFC First Bank Scam: હરિયાણામાં ૬૪૫ કરોડનું કૌભાંડ, IAS પંકજ અગ્રવાલની ધરપકડ, જ્યારે દેશના સર્વોચ્ચ અધિકારીઓ જ બની જાય લૂંટારા! – thegujaratreport.com

Student Suicide Crisis Gujarat: ગુજરાતમાં વિદ્યાર્થી આત્મહત્યાના ચોંકાવનારા આંકડા, ચાર વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું, કોંગ્રેસે સરકારને ઘેરી – thegujaratreport.com

Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને – thegujaratreport.com

Related Posts

Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ
  • August 10, 2026

Tamil Nadu Delimitation: લોકસભાની બેઠકોના સંભવિત પરિસીમન (Delimitation) મુદ્દે દેશની રાજનીતિમાં ફરી ચર્ચા તેજ બની છે. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નવી…

Continue reading
JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી
  • August 10, 2026

JNU News: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં પૂર્વ વિદ્યાર્થી અને સંશોધક ઉમર ખાલિદની પુસ્તક ‘Fractured Communities’ પર યોજાનારી જાહેર ચર્ચા કાર્યક્રમને લઈને વિવાદ ઊભો થયો છે. યુનિવર્સિટીએ કાર્યક્રમ યોજાવાના માત્ર એક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

  • August 10, 2026
  • 3 views
Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

  • August 10, 2026
  • 5 views
JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

  • August 10, 2026
  • 5 views
Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

  • August 10, 2026
  • 7 views
Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?

  • August 10, 2026
  • 7 views
Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?

Andhra Pradesh FDI: FDIના આંકડાઓ પર રાજકારણ, આંધ્રમાં TDP અને YSRCP આમને-સામને

  • August 10, 2026
  • 10 views
Andhra Pradesh FDI: FDIના આંકડાઓ પર રાજકારણ, આંધ્રમાં TDP અને YSRCP આમને-સામને