PM Modi: મોદી હવે શિવભક્ત બન્યા, કહ્યું બધુ ઝેર પી જાઉં છું

  • India
  • September 14, 2025
  • 0 Comments

PM Modi:  આજે ભારત-પાકિસ્તાનની મેચ છે. બીજી તરફ આસામમાં પહોંચેલા મોદીએ ઓપરેશન સિંદૂરને સફળ ગણાવ્યું છે. જો કે લોકો મોદી અને ક્રિકેટ મેચની ભારે ટીકા કરી રહ્યા છે. 26 ભારતીયોના જીવ લેનાર પાકિસ્તાની આતંકીઓ હજુ સુધી પકડાયા નથી. છતાં દુશ્મન દેશ પાકિસ્તાન સાથે આજે ભારત મેચ રમાવા જઈ રહ્યું છે. બીજી તરફ મોદી ઓપરેશન સિંદૂરની સફળતાંના ગાણા ગાઈ રહ્યા છે. જે દેશ માટે દુર્ભાગ્યની વાત છે. 26 મૃતકોના પરિવારજનો મોદી અને ક્રિકેટ મેચની ભારે ટીકા કરી રહ્યા છે.

મોદી આસામની બે દિવસની મુલાકાતે છે. મોદીએ દરાંગ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, જીએનએમ સ્કૂલ અને બીએસસી નર્સિંગ કોલેજનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. જ્યાં તેમણે હું ભગવાન શિવનો ભક્ત છું,  હું બધું ઝેર પી જાઉં છું. જો કે મોદીએ આવુ કરવું અશક્ય છે. કોઈ શીવભક્ત બને તો થોડી ઝેર પીવે. પણ લોકોને અવળા માર્ગે દોરવા માટે મોદી કંઈ પણ બોલે છે. કારણ કે માણસ જાતને ઝેર પીવું આત્મઘાતી પગલું છે. જેમાં મોત પણ થઈ શકે છે.

મોદી પોતાના અને માતાના સતત અપમાનની ચાંદર ઓઢીને ફરી રહ્યા છે. જ્યા જાય ત્યા અપમાનને આગળ ધરે છે. મોદીએ કોઈની પત્નનીને 50 કરોડની ગર્લફ્રેન્ડ, સોનિયા ગાંધીને કોંગ્રેસની વિધવા કહેલું અપમાન કરેલું યાદ આવતું નથી.

‘140 કરોડ દેશવાસીઓ મારા રિમોટ કંટ્રોલ’

મોદીએ લોકોને પોતાના તરફ ખેંચવા કહ્યું મારા માટે મારા લોકો જ ભગવાન છે. જો મારા ભગવાન પાસે ગયા પછી મારા આત્માનો અવાજ નીકળશે નહીં, તો બીજે ક્યાંથી નીકળશે, તેઓ મારા માલિક છે, તેઓ પૂજાને લાયક છે, 140 કરોડ દેશવાસીઓ મારા રિમોટ કંટ્રોલ છે.

ઓતંકીઓેને શોધી ના શકનાર મોદીએ દોષનો ટોપલો કોંગ્રેસ પર ઢોળ્યો

26 નાગરિકોના જીવ લેનાર આતંકીઓને મોદી સરકાર હજુ શોધી શકી નથી. ત્યારે પોતાના ભાષણ દરમિયાન કોંગ્રેસ પર આરોપ લગાવતાં કહ્યુંકોંગ્રેસ ઘુસણખોરો અને રાષ્ટ્રવિરોધી તાકાતોને સંરક્ષણ આપે છે. ભારતીય સેનાને ટેકો આપવાને બદલે, કોંગ્રેસ પાકિસ્તાન દ્વારા પોષાયેલા આતંકવાદીઓને ટેકો આપે છે. હું ગર્વથી પડકાર સ્વીકારું છું, ઘુસણખોરોનું રક્ષણ કરનારાઓને ભોગવવું પડશે, આ દેશ તેમને માફ નહીં કરે, આપણે આસામના વારસાને બચાવવા માટે સાથે મળીને કામ કરવું પડશે.

અસદુદ્દીન ઓવૈસી ભારત-પાકિસ્તાન મેચને લઈ રોષ વ્યક્ત કર્યો

આજે રમાનારી એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન ક્રિકેટ મેચ અંગે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ આ અંગે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, હું આસામ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીઓને પૂછવા માંગુ છું કે, શું તમારામાં પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનું બંધ કરવાની તાકાત નથી? આ એ જ પાકિસ્તાન છે, જેણે પહલગામમાં આપણા 26 નિર્દોષ લોકોને તેમનો ધર્મ પૂછીને ગોળી મારી દીધી હતી.

આ પણ વાંચો:

અમદાવાદમાં વધુ એક હત્યાને અંજામ, બિલ્ડરનો કારમાંથી મૃતદેહ મળ્યો | Ahmedabad Crime  

Ahmedabad: શું અમદાવાદના ગુંડાઓને પોલીસનો ડર જ રહ્યો નથી!, પોલીસ સ્ટેશન નજીક વધુ એક યુવકને પતાવી દીધો

અમદાવાદમાં 15 વર્ષ પહેલા થયેલી હત્યાના કેસનો ચૂકાદો; 10 આરોપીઓને આજીવન કેદ

Gujarat: અમદાવાદમાં થયેલી વિદ્યાર્થીની હત્યાના પડઘા ભાવનગર સુધી, લોકોએ કાઢી રેલી, કલેકટરને આવેદનપત્ર

Kheda: ઘરમાં સૂઈ રહેલી બાળકીને રાત્રે સાપે ડંખ માર્યો, સવારે હોસ્પિટલમાં લઈ ગયા પણ ના બચ્યો જીવ

 

Related Posts

NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા
  • August 12, 2026

NEET UG Paper Leak CBI: NEET-UG 2026 પેપર લીક કેસની તપાસમાં કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)ને અનેક મહત્વપૂર્ણ કડીઓ મળી રહી છે. તપાસ દરમિયાન એવા 12 મહત્વના સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા…

Continue reading
Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી
  • August 12, 2026

Rahul Gandhi: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન 20 જુલાઈએ દિલ્હીમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીનો મુદ્દો વધુ ગરમાયો છે. કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂએ સરકાર વિદ્યાર્થીઓના મુદ્દાઓ પર ચર્ચા કરવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા

  • August 12, 2026
  • 2 views
NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા

Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

  • August 12, 2026
  • 3 views
Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

  • August 12, 2026
  • 5 views
Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

  • August 11, 2026
  • 5 views
Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

  • August 11, 2026
  • 6 views
Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

  • August 11, 2026
  • 7 views
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ