Ahmedabad: સાસરિયાઓ હોસ્પિટલમાં મહિલાની લાશ મૂકી ભાગી ગયા, પિયરપક્ષનો ગંભીર આરોપ, શું છે મામલો

  • Gujarat
  • October 12, 2025
  • 0 Comments

Ahmedabad Woman Suicide: અમદાવાદમાં આવેલા વસ્ત્રાપુરના ભરવાડવાસમાં એકાએક એક પરણીત મહિલાએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગયો છે પિયરપક્ષે વારંવાર દહેજ અને શારિરીક માનસિક ટોર્ચરનો આરોપ લગાવ્યો છે. જ્યારે સાસરિયાઓ ખાનગી હોસ્પિટલમાં મહિલાની લાશ મૂકી ભાગી જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી જાણકારી અનુસાર વસ્તરાપુરના ભરવાડવાસમાં રહેતાં દિલીપ ભરવાડ સાથે રિદ્ધિ નામની મહિલાના લગ્ન દોઢ વર્ષ પૂર્વે જ થયા હતા. આરોપ છે કે રિદ્ધિના લગ્ન પહેલા જ સાસરી પક્ષ દ્વરાા દહેજની માગ કરવામાં આવી હતી. સગાઈ બાદ પણ તેના પતિએ રુપિયાની માગણી કરી હતી. લગ્ન બાદ પિયરમાં રુપિયા ના લાવતાં પતિ દિલીપ રિદ્ધિને માર મારતો હોવાના આરોલ લાગ્યા છે.

સાસરિયાઓ અવારનાર પૈસા સહિત સોનની માગણી કરતાં હોવાના આરોપ છે. ટૂકડે ટૂકડે 9 લાખ રુપિયા હોવા છતાં પરણિતાને હેરાન કરવામાં આવી હતી. અંતે તેણે મોતને વ્હાલુ કરી લીધુ.

મૃતકની માતાએ શું કહ્યું?

રિદ્ધિની માતા હંસાબેને કહ્યું મારી દિકરીને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. થોડે થોડે 9 લાખ રુપિયા આપ્યા હતા. છતાં સાસરિયાઓ દીકરીને હેરાન કરતા હતા. જમઈ દિલીપ દીકરીને માર મારી ટોર્ચર કરતો હતો. રિદ્ધિને હું ફોન કરું તો સ્પીકર લાઉડ રાખવા દબાણ કરતો.

પોલીસે શું કહ્યું?

હાલ તો આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એલ.એલ ચાવડાએ જણાવ્યું હતું કે મૃતકના પરિવારના આક્ષેપ મુજબ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. ગુનો નોંધ્યા બાદ આરોપી પતિની ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચો:

ગુજરાતમાં 1 વર્ષમાં 9000 લોકોએ આપઘાત કર્યા, 900થી વધુની હત્યા, સલામત ગુજરાતની આ છે હકીકત? | Gujarat Crime

અમિત ખૂંટ આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો, અનિરૂદ્ધસિંહ જાડેજાનું જ હનીટ્રેપમાં ફસાવાવાનું કાવતરું! | Amit Khunt Case

Ahmedabad: આધેડે પોતાની જાતને ગોળી મારી આપઘાત કર્યો, જાણો કેમ ભર્યું આવું પગલું?

Gujarat Politics: ગુજરાત ભાજપના ગઢને લૂણો લાગી ચૂક્યો છે?, આંતરીક ડખ્ખાઓની ઘટનાઓ વચ્ચે આઠ ભાજપીઓએ કોંગ્રેસનો ખેસ પહેર્યો!

Related Posts

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ
  • May 5, 2026

PGVCL GM RTGS Fraud: ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સાયબર ગુનેગારોની હિંમત હવે સાતમા આસમાને પહોંચી હોય તેમ જણાય છે. અત્યાર સુધી સામાન્ય લોકોના બેંક ખાતા સાફ કરનારા ઠગબાજોએ હવે ઉચ્ચ સરકારી…

Continue reading
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત
  • May 5, 2026

Mahisagar River Drowning Incident: ગુજરાતમાં ઉનાળો આકરો બનતા જ લોકો ગરમીથી રાહત મેળવવા માટે નદી, ડેમ અને તળાવો તરફ વળી રહ્યા છે, પરંતુ આ આનંદ ક્યારેક માતમમાં ફેરવાઈ જાય છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

  • May 5, 2026
  • 2 views
Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

  • May 5, 2026
  • 6 views
Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

  • May 5, 2026
  • 8 views
PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

  • May 5, 2026
  • 10 views
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત

  • May 5, 2026
  • 10 views
Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત

Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા

  • May 5, 2026
  • 10 views
Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા