Gujarat Politics: CM ભૂપેન્દ્ર પટેલ સિવાય તમામ 16 મંત્રીઓના રાજીનામા, આવતીકાલે નવું મંત્રીમંડળ બનશે

  • Gujarat
  • October 16, 2025
  • 0 Comments

Gujarat Politics: ગુજરાતના રાજકારણમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. મંત્રીમંડળ વિસ્તરણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી જતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ 16 મંત્રીઓએ સામૂહિક રીતે તેમના રાજીનામાં આપી દીધા છે. આ નિર્ણય ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલના નેતૃત્વ હેઠળ લેવાયો હતો, જેમણે પાર્ટીના આંતરિક સુપ્રતિમાં આખા મંત્રીમંડળને રાજીનામું આપવાની સૂચના આપી હતી.

જગદીશ પંચાલ સહિત 16 મંત્રીઓના રાજીનામા

મળતી જાણકારી અનુસાર આજે બપોરે મુખ્યમંત્રી નિવાસ પર યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય અંતિમ રૂપ આપવામાં આવ્યો હતો. બેઠક શરૂ થાય તે પહેલાં જ રાજીનામાંનું એક તૈયાર ફોર્મ મંત્રીઓ માટે તૈયાર રાખવામાં આવ્યું હતું, જેમાં માત્ર સહી કરવાની જરૂર હતી. જગદીશ પંચાલ સહિત કુલ 16 મંત્રીઓએ આ રાજીનામાં પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં વર્તમાન મંત્રીમંડળના તમામ મુખ્ય નેતાઓનો સમાવેશ થાય છે. આ રાજીનામાં હવે રાજ્યપાલને સોંપવામાં આવશે, અને આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક વિશેષ પત્ર રાજ્યપાલને મોકલશે.

આ ઘટના ગુજરાતના રાજકારણને એક નવી દિશા આપવાની પ્રસ્તુતિ કરી રહી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ પગલું ભાજપની કેન્દ્રીય નેતૃત્વની મંજૂરી સાથે લેવાયું છે. બીજી તરફ આ મંત્રીમંડળની સરકાર ભારે ટીકાનો સામનો કરી રહી હતી. નેતાઓની નિષ્ક્રિયતાઓને કારણે લોકોમાં રોષ છે. જેને લઈ સરકારે આ નિર્ણય લેવો પડ્યો છે.

નવા મંત્રીઓમાં કોણ હોઈ શકે?

આ રાજીનામાં વચ્ચે ભાજપની 2021ની જેમ ‘નો-રિપીટ’ નીતિ અમલમાં મુકવામાં આવશે કે નહીં, તે અંગે રાજકીય વિશ્લેષકોમાં તીવ્ર ચર્ચા ચાલી રહી છે. 2021માં પણ મંત્રીમંડળ વિસ્તરણ દરમિયાન મોટા ભાગના જૂના મંત્રીઓને બહાર કરીને નવા નેતાઓને તક આપવામાં આવી હતી, જેનાથી પાર્ટીમાં નવી ઊર્જા આવી હતી. સૂત્રો કહે છે કે આ વખતે પણ મોટા ભાગના વર્તમાન મંત્રીઓને પડતા મૂકવામાં આવશે, પરંતુ કેટલાક અનુભવી નેતાઓને ફરીથી સમાવેશ કરી તેમના પદ અપગ્રેડ કરી શકાય છે. ઉદાહરણ તરીકે, કેટલાક મંત્રીઓને મોટા વિભાગો સોંપીને તેમની જવાબદારી વધારવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રીની નિમણૂક!

રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી (ડેપ્યુટી સીએમ)ની નિમણૂક અંગે પણ તીવ્ર ચર્ચા ચાલી રહી છે. ભાજપના મોવડીમંડળ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિર્ણય જાહેર થયો નથી, પરંતુ સૂત્રો કહે છે કે નવા મંત્રીમંડળમાં એક કે બે નાયબ મુખ્યમંત્રીની નિમણૂક થવાની શક્યતા છે. આ નિમણૂકમાં પાર્ટીના પટેલ અને કોઈયા સમુદાયના નેતાને પ્રાધાન્ય આપવામાં આવશે, જે રાજ્યની જાતિગત રાજકારણને સંતુલિત કરશે.

આવતીકાલે શપથવિધિ

સત્તાવાર જાહેરાત મુજબ નવા મંત્રીમંડળની શપથવિધિ આવતીકાલે, શુક્રવારે 17 ઓક્ટોબર 2025ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાશે. આ સમારંભમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મંત્રીઓને શપથ અપાવશે.  શપથવિધિ પૂર્ણ થયા બાદ તરત જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવી કેબિનેટની પ્રથમ બેઠક યોજાશે, જેમાં વહીવટી વિભાગોનું વિતરણ અને તાત્કાલિક મુદ્દાઓ પર ચર્ચા થશે. આ ઘટના ગુજરાતના રાજકીય ઇતિહાસમાં એક મોટો ફેરફાર છે, જેના કારણે સમગ્ર દેશની નજર રાજ્ય પર ટિકી છે.

આ પણ વાંચો:

Gujarat Politics: ભાજપમાં અસંતોષની આગ વધુ પ્રસરી, મંત્રી મંડળના વિસ્તરણ પહેલા જ  બે નેતાઓના રાજીનામા

Bhavnagar: વાઘદરડા ગામમાં સિંહનું ટોળું ઘૂસતાં લોકોમાં ભયનો માહોલ, જુઓ વીડિયો

Afghanistan Pakistan Conflict: પેન્ટ લેવા પણ ના રહ્યા પાકિસ્તાની સૈનિકો, તાલિબાનીઓએ ચોકીઓ પર કરી લીધો કબજો

Viral Video: તાલિબાનનું સમર્થન કરનારને ‘દેશદ્રોહી’ કહેનાર ભાજપે તાલિબાની નેતા માટે લાલ જાજમ બિછાવી!, ‘થુકેલું ચાટવું’ આનું નામ!, જુઓ

 

ગુજરાત પ્રવાસ પેકેજ

Related Posts

Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
  • August 9, 2026

Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

  • August 11, 2026
  • 4 views
Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

  • August 11, 2026
  • 5 views
Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

  • August 11, 2026
  • 5 views
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

  • August 11, 2026
  • 6 views
NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

  • August 11, 2026
  • 6 views
Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

  • August 11, 2026
  • 5 views
UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?