સોનાની લાલચમાં 100 લોકોના મોત; ભૂખ્યા-તરસ્યા છોડ્યો જીવ

  • World
  • January 14, 2025
  • 0 Comments
  • સોનાની લાલચમાં 100 લોકોના મોત; ભૂખ્યા-તરસ્યા છોડ્યો જીવ

સાઉથ આફ્રિકાથી અકસ્માતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના એક જૂથે માહિતી આપી છે કે દક્ષિણ આફ્રિકાની ખાણમાં ફસાઈ જવાથી ઓછામાં ઓછા 100 ગેરકાયદેસર શ્રમિકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, આ તમામ શ્રમિકો સાઉથ આફ્રિકામાં સોનાની ખાણમાં ગેરકાયદેસર રીતે માઇનિંગ કરી રહ્યા હતા. હવે સમાચાર આવ્યા છે કે આ માઇનિંગમાં આશરે 100 મજૂરોના મોત થયા છે.

શું છે સમગ્ર મામલો?
ખાણમાં ફસાયેલા આ મજૂરો કેટલાય મહિનાઓથી ભૂખ અને તરસ સાથે ઝઝૂમી રહ્યા હતા. સાઉથ આફ્રિકાના સ્ટિલફોન્ટેન શહેર નજીક બફેલ્સફોન્ટેનમાં આવેલી સોનાની ખાણોમાં લગભગ 100 કામદારો ફસાયા હતા. તેમને બહાર કાઢતી વખતે ખબર પડી કે તેઓ ભૂખ અને તરસના કારણે મૃત્યુ પામ્યા છે. આ ઘટના સંબંધિત માહિતી મજૂરો દ્વારા મોબાઈલ ફોન દ્વારા મોકલવામાં આવેલા વીડિયોમાંથી મળી હતી, જેમાં પ્લાસ્ટિકમાં લપેટેલા મૃતદેહો બતાવવામાં આવ્યા છે.

માઈનિંગ ઈફેક્ટેડ કોમ્યુનિટીઝ યુનાઈટેડ ઈન એક્શન ગ્રુપના જણાવ્યા અનુસાર, રાહત કાર્ય દરમિયાન અત્યાર સુધીમાં 26 મજૂરોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે અને 18 મૃતદેહો પણ બહાર કાઢવામાં આવ્યા છે. જો કે આ ખાણ એટલી ઊંડી છે કે હજુ પણ 500 જેટલા શ્રમિકો ત્યાં ફસાયેલા હોવાની શક્યતા છે. ખાણની ઊંડાઈ 2.5 કિમી હોવાનું કહેવાય છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું પહેલું કારણ ભૂખ હોવાનું જણાવવામાં આવ્યું છે. ખાણમાં ખોરાક અને પાણી પુરવઠો બંધ થવાને કારણે તમામ કામદારોના મોત થયા હતા.

પોલીસ અને કામદારો વચ્ચે અથડામણ

પોલીસે ખાણને સીલ કરવાનો પ્રયાસ કર્યા બાદ કામદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસનું કહેવું છે કે ધરપકડના ડરથી કામદારો બહાર નીકળી રહ્યા ન હતા, જ્યારે કામદારોનો આરોપ છે કે પોલીસે તેમના દોરડા હટાવ્યા હતા, જેના કારણે તેઓ બહાર ન આવી શક્યા.

ગેરકાયદેસર માઇનિંગ

સાઉથ આફ્રિકામાં ગેરકાયદેસર માઇનિંગ એક સામાન્ય સમસ્યા છે. જ્યારે મોટી કંપનીઓ ખાણોને નકામી ગણીને છોડી દે છે, ત્યારે સ્થાનિક ખાણિયાઓ બાકીનું સોનું કાઢવાનો પ્રયાસ કરે છે. આ ખતરનાક પરિસ્થિતિ તેમના જીવન માટે ખતરો બની જાય છે. તેમજ હવે શ્રમિકોના મોતથી ખાણની સુરક્ષા અને વ્યવસ્થાપન પર ગંભીર સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચો-સંબંધીની તબિયત પૂછવા જતાં ત્રણ લોકોને નડ્યો અકસ્માત; ત્રણ લોકોના ઘટના સ્થળે મોત

  • Related Posts

    US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો
    • June 19, 2026

    US-Iran Deal: ફેબ્રુઆરી મહિનામાં શરૂ થયેલો વૈશ્વિક તણાવ, જે એક સમયે ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા જન્માવી રહ્યો હતો, તે ૧૮ જૂને એક અચાનક અને આશ્ચર્યજનક વળાંક સાથે સમાપ્ત થયો છે. જે…

    Continue reading
    India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!
    • June 19, 2026

    India UK FTA: ભારત અને યુનાઈટેડ કિંગડમ (UK) વચ્ચે ૧૫ જુલાઈ ૨૦૨૬થી મુક્ત વ્યાપાર કરાર (FTA) અમલી બનવા જઈ રહ્યો છે. સરકાર આ કરારને ભારત અને કોઈ પશ્ચિમી દેશ વચ્ચેનો…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો

    • June 20, 2026
    • 2 views
    Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો

    Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

    • June 20, 2026
    • 4 views
    Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

    Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

    • June 20, 2026
    • 8 views
    Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

    TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

    • June 20, 2026
    • 9 views
    TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

    Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

    • June 20, 2026
    • 5 views
    Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

    Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

    • June 20, 2026
    • 11 views
    Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?