સોનાની લાલચમાં 100 લોકોના મોત; ભૂખ્યા-તરસ્યા છોડ્યો જીવ

  • World
  • January 14, 2025
  • 0 Comments
  • સોનાની લાલચમાં 100 લોકોના મોત; ભૂખ્યા-તરસ્યા છોડ્યો જીવ

સાઉથ આફ્રિકાથી અકસ્માતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના એક જૂથે માહિતી આપી છે કે દક્ષિણ આફ્રિકાની ખાણમાં ફસાઈ જવાથી ઓછામાં ઓછા 100 ગેરકાયદેસર શ્રમિકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, આ તમામ શ્રમિકો સાઉથ આફ્રિકામાં સોનાની ખાણમાં ગેરકાયદેસર રીતે માઇનિંગ કરી રહ્યા હતા. હવે સમાચાર આવ્યા છે કે આ માઇનિંગમાં આશરે 100 મજૂરોના મોત થયા છે.

શું છે સમગ્ર મામલો?
ખાણમાં ફસાયેલા આ મજૂરો કેટલાય મહિનાઓથી ભૂખ અને તરસ સાથે ઝઝૂમી રહ્યા હતા. સાઉથ આફ્રિકાના સ્ટિલફોન્ટેન શહેર નજીક બફેલ્સફોન્ટેનમાં આવેલી સોનાની ખાણોમાં લગભગ 100 કામદારો ફસાયા હતા. તેમને બહાર કાઢતી વખતે ખબર પડી કે તેઓ ભૂખ અને તરસના કારણે મૃત્યુ પામ્યા છે. આ ઘટના સંબંધિત માહિતી મજૂરો દ્વારા મોબાઈલ ફોન દ્વારા મોકલવામાં આવેલા વીડિયોમાંથી મળી હતી, જેમાં પ્લાસ્ટિકમાં લપેટેલા મૃતદેહો બતાવવામાં આવ્યા છે.

માઈનિંગ ઈફેક્ટેડ કોમ્યુનિટીઝ યુનાઈટેડ ઈન એક્શન ગ્રુપના જણાવ્યા અનુસાર, રાહત કાર્ય દરમિયાન અત્યાર સુધીમાં 26 મજૂરોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે અને 18 મૃતદેહો પણ બહાર કાઢવામાં આવ્યા છે. જો કે આ ખાણ એટલી ઊંડી છે કે હજુ પણ 500 જેટલા શ્રમિકો ત્યાં ફસાયેલા હોવાની શક્યતા છે. ખાણની ઊંડાઈ 2.5 કિમી હોવાનું કહેવાય છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું પહેલું કારણ ભૂખ હોવાનું જણાવવામાં આવ્યું છે. ખાણમાં ખોરાક અને પાણી પુરવઠો બંધ થવાને કારણે તમામ કામદારોના મોત થયા હતા.

પોલીસ અને કામદારો વચ્ચે અથડામણ

પોલીસે ખાણને સીલ કરવાનો પ્રયાસ કર્યા બાદ કામદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસનું કહેવું છે કે ધરપકડના ડરથી કામદારો બહાર નીકળી રહ્યા ન હતા, જ્યારે કામદારોનો આરોપ છે કે પોલીસે તેમના દોરડા હટાવ્યા હતા, જેના કારણે તેઓ બહાર ન આવી શક્યા.

ગેરકાયદેસર માઇનિંગ

સાઉથ આફ્રિકામાં ગેરકાયદેસર માઇનિંગ એક સામાન્ય સમસ્યા છે. જ્યારે મોટી કંપનીઓ ખાણોને નકામી ગણીને છોડી દે છે, ત્યારે સ્થાનિક ખાણિયાઓ બાકીનું સોનું કાઢવાનો પ્રયાસ કરે છે. આ ખતરનાક પરિસ્થિતિ તેમના જીવન માટે ખતરો બની જાય છે. તેમજ હવે શ્રમિકોના મોતથી ખાણની સુરક્ષા અને વ્યવસ્થાપન પર ગંભીર સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચો-સંબંધીની તબિયત પૂછવા જતાં ત્રણ લોકોને નડ્યો અકસ્માત; ત્રણ લોકોના ઘટના સ્થળે મોત

  • Related Posts

    Mexico Plane Crash: મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ
    • December 16, 2025

    Mexico Plane Crash: મધ્ય મેક્સિકોમાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે, એક નાનું ખાનગી વિમાન ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે ક્રેશ થતાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતા આ…

    Continue reading
    Sydney Attack: ઓસ્ટ્રેલિયામાં થયેલા હત્યાકાંડમાં હુમલાખોરો પિતા-પુત્ર નીકળ્યા! મૃત્યુઆંક 16 થયો
    • December 15, 2025

    Sydney Attack: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર લોકો પોતાના પરિવાર અને બાળકો સાથે ઉત્સવ મનાવી રહયા હતા તે વખતે તેઓ ઉપર થયેલા આતંકી હુમલામાં પ્રાથમિક વિગતોમાં 10ના મોત થયા હતા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ

    • December 16, 2025
    • 6 views
    Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ

    Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

    • December 16, 2025
    • 4 views
    Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

    Mexico Plane Crash: મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

    • December 16, 2025
    • 7 views
    Mexico Plane Crash:  મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

    Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો લીધો!’

    • December 16, 2025
    • 15 views
    Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની  હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો  લીધો!’

    Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

    • December 16, 2025
    • 14 views
    Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં  દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

    BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

    • December 15, 2025
    • 9 views
    BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!