Afghanistan-Pakistan: અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ માટેનો દાવો કરનાર કતારે એવું કર્યું કે પાકિસ્તાનને લાગ્યો મોટો ઝટકો!, યુદ્ધ ફરી શરૂ થશે?

  • World
  • October 20, 2025
  • 0 Comments

Afghanistan-Pakistan Conflict: અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે જે મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે તે મુદ્દે સમાધાન કરાવ્યાનો કતર દ્વારા દાવો કરાતા પાકિસ્તાનમાં ખુશી ફેલાઈ ગઈ હતી પણ આ ખુશી બીજા જ દિવસે મોટા ઝટકામાં ફેરવાઈ ગઈ કે જ્યારે કતરે પોતાનું નિવેદનજ બદલી નાખ્યું છે.

કતરે નિવેદન આપ્યું હતું કે વિવાદાસ્પદ સરહદ બ્રિટિશ વખતની છે, જેને અફઘાનિસ્તાને માન્યતા આપી નથી તે કાલ્પનિક છે.
અફઘાન સંરક્ષણ પ્રધાને ચોખવટ કરી કે દોહા મંત્રણામાં ડ્યુરન્ડ લાઇન પર ચર્ચા જ નથી થઈ અને તે માટે ચર્ચાનો પહેલેથી જ ઇનકાર કર્યો હતો, અને કહ્યું હતું કે આ મુદ્દો બંને દેશો વચ્ચેનો છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા કોઈપણ હુમલાનો અફઘાનિસ્તાન જવાબ આપશે.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના હિંસક અથડામણો બાદ રવિવાર (19 ઓક્ટોબર) ના રોજ કતાર અને તુર્કીની મધ્યસ્થી વચ્ચે બંને દેશોના સંરક્ષણ પ્રધાનો દોહામાં મળ્યા જ્યાં કતારે એક નિવેદન બહાર પાડી બંને પક્ષો યુધ્ધ વિરામ માટે સંમત થયાની જાહેરાત કરી હતી. સાથે જ ઝઘડાનું મૂળ એવી અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની ડ્યુરન્ડ લાઇનનો કતારે ઉલ્લેખ કરી ડ્યુરન્ડ લાઇન બ્રિટિશ વસાહતી યુગ દરમિયાન બનાવવામાં આવેલી એક કાલ્પનિક સરહદ હોવાનું અને અફઘાનિસ્તાન દ્વારા તેને ક્યારેય માન્યતા આપવામાં આવી નહી હોવાનું નિવેદન આપ્યું હતું.

જે દુનિયાભરના મીડિયાએ કવરેજ આપતા અફઘાનિસ્તાનમાં સરહદ અંગેના કતારના નિવેદનનો વિરોધ શરૂ થયો અને વિવાદ અને પ્રતિક્રિયાઓ વચ્ચે વિરોધનો વંટોળ ઉઠતા આખરે કતારે પાછળથી પોતાના નિવેદનમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની વિવાદાસ્પદ ડ્યુરન્ડ લાઇન સરહદનો ઉલ્લેખ દૂર કરી દેતા પાકિસ્તાનને ઝટકો લાગ્યો છે.

કતારના વિદેશ મંત્રાલયની વેબસાઇટ પર અપલોડ કરાયેલા સુધારેલા નિવેદનમાં હવે ડ્યુરન્ડ લાઇન સરહદનો ઉલ્લેખ નથી. અફઘાનિસ્તાનમાં અમેરિકાના ભૂતપૂર્વ ખાસ દૂત ઝાલ્મય ખલીલઝાદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે કતારે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગેના પોતાના અગાઉના નિવેદનમાં ફેરફાર કર્યો છે.

દરમિયાન, અફઘાન સંરક્ષણ પ્રધાન મુલ્લા યાકુબ મુજાહિદે દોહાથી એક ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન ડ્યુરંડ લાઇન પર ચર્ચા થઈ જ નથી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે કરારમાં ડ્યુરંડ લાઇનનો ઉલ્લેખ નથી અને તે ફક્ત બંને દેશો વચ્ચેનો આંતરિક મામલો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો પાકિસ્તાન હુમલો કરશે, તો અફઘાનિસ્તાન વળતો હુમલો કરી બદલો લેવામાં અચકાશે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે ડ્યુરંડ લાઇન પર વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. અફઘાનિસ્તાને ક્યારેય તેને સ્વીકાર્યું નથી, જ્યારે આ સરહદને પાકિસ્તાન વાસ્તવિક આંતરરાષ્ટ્રીય સરહદ માને છે. આ મતભેદને કારણે બંને દેશો વચ્ચેની સરહદો પર અનેક હિંસક અથડામણો થઈ રહી છે અને મામલે કતરમાં બન્ને વચ્ચે સમાધાન થતાં પાકિસ્તાનને લાગ્યું કે સમસ્યાનો અંત આવી ગયો છે પણ હવે કતારે હાથ ખંખેરી લેતા પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે અને ફરી આ મુદ્દે જંગ છેડાય તેવા સંજોગો ઉભા થયા છે.

આ પણ વાંચો:

Bihar politics: ગુજરાત ‘ઠારવા’ જતાં બિહારમાં ભૂકંપ, અમિત શાહ કેમ અચાનક બિહાર દોડ્યા?

 Ceasefire: આખરે પાકિસ્તાન- અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત, કોણે કરી મધ્યસ્થી?

BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો

 Ceasefire: આખરે પાકિસ્તાન- અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત, કોણે કરી મધ્યસ્થી?

Related Posts

War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા
  • March 22, 2026

War Update: ઈરાન યુદ્ધના આટલા દિવસોમાં તા.22 માર્ચના રોજ ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પહેલીવાર કબુલ્યું છે કે ‘આજે અમારા માટે અત્યંત મુશ્કેલ સાંજ છે.’ 21 માર્ચની રાત્રે ઈરાને ઇઝરાયલ પર…

Continue reading
Pakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!
  • March 22, 2026

Pakistan News: ભારતીય ધરતી પર હિંસા ફેલાવતા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના કમાન્ડરને પાકિસ્તાનમાં ઠાર મારવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, શનિવારે ઈદની નમાજ પછી લશ્કર કમાન્ડર બિલાલ આરિફ સલાફીની ચાકુ માર્યા બાદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 2 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 9 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 8 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 10 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 11 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

  • March 23, 2026
  • 16 views
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ