RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ

તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી આયોગના મુખ્ય કમિશનર સહિતના બાકીના કમિશનરો અને સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ મળી આશરે 300 જેટલા લોકો હાજર હતા.

આ પરિસંવાદમાં મુખ્ય મહેમાન તરીકે તે સમયના ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી અને હવેના નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી પધારેલા. તેમણે ત્યાં પોતાના ભાષણમાં એમ કહ્યું કે અટલ બિહારી વાજપેયીની સરકાર દ્વારા માહિતી અધિકારનો કાયદો લાવવામાં આવ્યો હતો. હકીકત એ છે કે વાજપેયીની સરકાર 2004માં ઘર ભેગી થઈ ગઈ હતી અને મનમોહનસિંહની સરકાર આવી હતી અને તેમની સરકાર દરમ્યાન 2005માં માહિતી અધિકાર ધારો (RTI) ઘડવામાં આવ્યો હતો.

હર્ષ સંઘવીને એ જ ખબર નથી કે માહિતી અધિકાર કાયદો કઈ સરકાર લાવી, અથવા તો તેમને ખબર છે પણ જાણી જોઈને જુઠ્ઠું બોલે છે!

મુસીબત એ છે કે એ હોલમાં બેઠેલા એમનું એ જૂઠાણું સાંભળતા રહ્યા! આખા પ્રસંગમાં પણ પછી હર્ષ સંઘવીની ‘ભૂલ’ કોઈએ સુધારી નહોતી એવી પાક્કી માહિતી મળી છે. એટલું જ નહીં, પણ શરમજનક બાબત એ છે કે એ પ્રસંગનો જે અહેવાલ માહિતી આયોગ દ્વારા તેની વેબસાઇટ પર મૂકવામાં આવ્યો હતો તેમાં હર્ષ સંઘવીનું આ કથન પણ મૂકવામાં આવ્યું હતું. તે અહેવાલનો ફોટો અહીં મૂકવામાં આવ્યો છે. શું માહિતી કમિશનરો પણ એમ માને છે કે અટલબિહારી વાજપેયીની સરકાર દરમ્યાન માહિતી અધિકારનો કાયદો કરાયો હતો? કે પછી એમની હિંમત જ નથી હર્ષ સંઘવી સમક્ષ કશું બોલવાની?

હર્ષ સંઘવીની જાણ માટે

માહિતી અધિકારના કાયદાને તા. 15-06- 2005ના રોજ મંજૂરી મળી હતી અને તેનો સંપૂર્ણ અમલ તા.12-10-2005ના રોજ શરૂ થયો હતો. તેમની વધુ જાણ માટે કહેવાનું કે આ બંને તારીખોએ મનમોહનસિંહની સરકાર અસ્તિત્વમાં હતી, અટલબિહારી વાજપેયીની નહીં.

અનેક ખાતાંના પ્રધાન એવા હર્ષ સંઘવી તે સમયે જે બોલ્યા હતા તે નીચેની લિંક પર પ્રાપ્ય છે:

આ પણ વાંચો:

Bihar politics: ગુજરાત ‘ઠારવા’ જતાં બિહારમાં ભૂકંપ, અમિત શાહ કેમ અચાનક બિહાર દોડ્યા?

 Ceasefire: આખરે પાકિસ્તાન- અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત, કોણે કરી મધ્યસ્થી?

BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો

 Ceasefire: આખરે પાકિસ્તાન- અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત, કોણે કરી મધ્યસ્થી?

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 6 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 10 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 8 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 13 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી