વિવાદ યથાવત: દિયોદર જૈન સમાજે ઓગડ જિલ્લાની માંગ સાથે આપ્યું આવેદનપત્ર

  • Gujarat
  • January 16, 2025
  • 1 Comments

બનાસકાંઠા જિલ્લાના વિભાજન પછી અનેક વિવાદો સામે આવ્યા હતા. આ વિવાદો વચ્ચે દિયોદરના જૈન સમાજે ઓગડ જિલ્લાની માંગ સાથે આવેદન પત્ર આપ્યું હતું. બે વર્ષથી રાજકીય રીતે બનાસકાંઠા જિલ્લો ચર્ચામાં રહ્યો છે અને હવે તેની ભૂગોળ પણ બદલાવા ગઈ છે. રાજ્ય સરકારે 1 જાન્યુઆરી, 2025ના રોજ થરાદને જિલ્લો બનાવવાની વર્ષો જૂની માગ પૂરી કરતા થરાદ-વાવને નવો જિલ્લો બનાવવાની જાહેરાત કરી હતી. આમ નવા વર્ષે જ ગુજરાત નક્શામાં ફેરફાર થયો હતો.

જોકે, થરાદ-વાવને જિલ્લો બનાવવાને લઈને વિરોધ ઉભો થયો હતો. તો ધાનેરાને વાવ-થરાદમાં આપતા તેમને પણ મનદુ:ખ થયું છે. આમ બનાસકાંઠાના વિભાજન પછી પણ અનેકવિધ સમસ્યાઓ સામે આવી રહી છે. આ વચ્ચે દિયોદરના જૈન સમાજે ઓગડ જિલ્લાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. તે ઉપરાંત દિયોદર ઓદ્યોગિક વેલફેર એસોસિયને પણ આવેદન આપ્યું છે.

દિયોદરના જૈન સમાજ અને ઓદ્યોગિક વેલફેરે પોતાના આવેદનમાં દિયોદરને વડુમથક બનાવવાની અને ઓગડને જિલ્લો બનાવવાની માગ રાખી છે. આ વચ્ચે ધાનેરાવાસીઓ વાવ-થરાદ જિલ્લાની જગ્યાએ બનાસકાંઠામાં પોતાને રાખવાની માંગ કરી રહ્યાં છે. આ વચ્ચે એક ભૂવાનો પણ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે ધાનેરા બનાસકાંઠામાં જ રહેશે તેવી વાત કરતો જોવા મળી રહ્યો છે.

વાવ-થરાદ સહિતના વિસ્તારની જનતાએ તો આ નિર્ણયને ખુબ આવકાર્યો. પરંતુ દિયોદર,ધાનેરા અને કાંકરેજના લોકોએ આ નિર્ણયને વખોડી કાઢ્યો છે. જ્યારે વાવ-થરાદના લોકોએ પણ જિલ્લાને તેનું ઐતિહાસિક નામ થીરપુર આપવાની માંગ કરી છે.

આ પણ વાંચો- જામનગર: ધ્રોલના લતીપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત; 3 લોકોના મોત, બે ગંભીર

Related Posts

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
  • June 26, 2026

Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

Continue reading
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
  • June 26, 2026

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

  • June 26, 2026
  • 2 views
Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

  • June 26, 2026
  • 7 views
Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો

  • June 26, 2026
  • 9 views
NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો

Abhishek Manu Singhvi: કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પક્ષપલટા વિરોધી કાયદા પર ઉઠાવ્યા ગંભીર સવાલો, કહ્યું- પક્ષ બદલનારોએ ફરી ચૂંટણી લડવી જોઈએ

  • June 26, 2026
  • 10 views
Abhishek Manu Singhvi: કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પક્ષપલટા વિરોધી કાયદા પર ઉઠાવ્યા ગંભીર સવાલો, કહ્યું- પક્ષ બદલનારોએ ફરી ચૂંટણી લડવી જોઈએ

Ram Mandir Donation Scam: રામ મંદિર કૌભાંડ, આસ્થાના નામે ૨૦૦ કરોડની લૂંટ, જવાબદાર કોણ?

  • June 26, 2026
  • 10 views
Ram Mandir Donation Scam: રામ મંદિર કૌભાંડ, આસ્થાના નામે ૨૦૦ કરોડની લૂંટ, જવાબદાર કોણ?

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?

  • June 26, 2026
  • 19 views
Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?