Ahmedabad: શીલજમાં છરીની ધમકીથી 22 લાખની લૂંટ, વૃદ્ધ દંપતીની વેદના બની ચેતવણી

  • Gujarat
  • November 1, 2025
  • 0 Comments

Ahmedabad: અમદાવાદ શહેરી જીવનની ઝળહાળતી ચમક વચ્ચે વૃદ્ધાવસ્થાના દિવસોમાં અસુરક્ષાનો કાળો પડછાયો પડ્યો છે. અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલા આર્યમાન બંગલામાં રહેતા 75 વર્ષીય વેપારી ભરતભાઈ શાહ અને પત્ની પલ્લવીબેનના ઘરમાં ત્રણ લૂંટારોએ છરીની અણી લગાવીને 21.91 લાખ રૂપિયાની લૂંટ કરી લીધી. આ ઘટના માત્ર એક કુટુંબની વેદના નથી, પરંતુ શહેરમાં વધતા અપરાધો અને વૃદ્ધોની સુરક્ષા પર વ્યાપક પ્રશ્નો ઉભા કરે છે.

બોડકદેવ પોલીસની તપાસમાં સાફ જણાયું છે કે, લૂંટારોએ નાની ભૂલનો લાભ લઈને ઘરમાં ઘૂસીને વૃદ્ધ દંપતીને બંધક બનાવ્યા અને તેમને સોગંદ ખવડાવીને ફરાર થઈ ગયા.

બેડરૂમની ખુલ્લી બારીથી ઘરમાં ઘૂસ્યા લૂંટારુઓ  

26 ઓક્ટોબરની રાત્રે સાડા છ વાગ્યાની આસપાસ ભરતભાઈ અને પલ્લવીબેન બેડરૂમમાં આરામ કરી રહ્યા હતા. ચાંગોદરમાં ટેક્સટાઈલ મશીનરીના વેપારી તરીકે જીવનના અંતિમ તબક્કામાં શાંતિ મેળવી રહેલા આ દંપતીને કોઈ ખબર નહોતી કે, રાત્રે દોઢ વાગ્યે તેમની સાથે કોઈ અઘટીત બનશે. ભરતભાઈએ બાથરૂમ જવા માટે જાગ્યા ત્યારે બેડરૂમનો દરવાજો ખુલ્લો રહી ગયો એ નાની ભૂલ જ લૂંટારો માટે સુવિધા બની ગઈ.દસ મિનિટ પછી જાગ્યા ત્યારે તેમની સામે બે અજાણ્યા વ્યક્તિઓ છરીઓ લઈને ઊભા હતા.

લૂંટારોઓએ કહ્યું, “આવાજ મત કરના, નહીં તો માર દેંગે,” એ હિન્દીમાં ધમકાવ્યા.આ અવાજથી પલ્લવીબેન પણ જાગી ઉઠ્યા ત્યારે ત્રીજો લૂંટારો આવ્યો અને કહ્યું, “ઘરમાં જો ભી હૈ તો હમે દે દો, વરના તુમ્હારે પતિ કો માર દેંગે.” ગભરાટમાં તિજોરી ખોલી દેવામાં આવી, અને વૃદ્ધ દંપતીની આંખો સામે જ હીરાની બૂટી, સોનાની કંઠી, પેન્ડલ, બંગડીઓ, હાર, લગડીઓ, ઘડિયાળો અને રોકડ સહિતની મિલકત લૂંટાઈ ગઈ.

સીસીટીવીમાં કેડ થયા લૂંટારો

સીસીટીવી ફૂટેજથી સ્પષ્ટ થયું કે, રાત્રે 12.57 વાગે લૂંટારો મકાનની પાછળની દીવાલ કૂદીને આવ્યા અને ડાઈનિંગ એરિયાની બારીનો કાચ તોડીને અંદર ઘૂસ્યા. ત્રણ કલાક સુધી તેઓએ ઘરની તલાશી લીધી અને 2.48 વાગે તે જ દીવાલ કૂદીને ફરાર થઈ ગયા. લૂંટ પછી ભરતભાઈએ સિક્યુરિટી ગાર્ડને બોલાવ્યો, પરંતુ ત્યાં સુધી વૃદ્ધ દંપતીને લૂંટારોએ હત્યાની ધમકી આપીને સોગંદ ખવડાવી દીધી કે, “કોઈને જાણ કરશો તો જીવંત નહીં છોડીએ.” છતાં, ભરતભાઈએ હિંમત દર્શાવીને બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે તપાસ શરૂ થઈ છે.

આ ઘટના અમદાવાદમાં વૃદ્ધો વિરુદ્ધ વધતા અપરાધોની એક કડી છે. તાજેતરમાં NRIની હત્યા જેવી ઘટનાઓ પછી આ લૂંટે પોલીસ અને સમાજને જાગૃત કર્યો છે. નિષ્ણાતો કહે છે કે, શહેરી વિસ્તારોમાં વૃદ્ધોની વધતી વસ્તી અને તેમની આર્થિક સ્થિતિને કારણે આવા જૂથીયા હુમલા વધ્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, સીસીટીવી અને પડોશીયા જાગૃતિને મજબૂત કરીને આવા અપરાધોને અટકાવી શકાય.

આ પણ વાંચો:

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • Related Posts

    Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”
    • March 23, 2026

    Gujarat News: : ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસ બાદ હવે પેટ્રોલની તંગી ઉભી થઇ હોવાના અહેવાલો છે ત્યારે ગુજરાતમા મોટાભાગના શહેરોમાં સાદા પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા અનેક પેટ્રોલ પંપો બંધ…

    Continue reading
    Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ
    • March 23, 2026

    Bhavnagar News: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની કરેલી પહેલ બાદ હવે ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં ગુનેગારોના ઘરો તોડવાનું અભિયાન ચલાવ્યું છે જેમાં અત્યારસુધીમાં અલગ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

    • March 24, 2026
    • 2 views
    Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

    Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

    • March 24, 2026
    • 2 views
    Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

    Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

    • March 24, 2026
    • 7 views
    Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

    PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

    • March 24, 2026
    • 16 views
    PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

    Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

    • March 24, 2026
    • 8 views
    Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

    Atomic Bomb: સમુદ્રમાં પરમાણુ બોમ્બ ફૂટવાનો છે! 1,20,000 ટન ઝેરી કચરો વિનાશ વેરી શકે છે!!

    • March 24, 2026
    • 18 views
    Atomic Bomb: સમુદ્રમાં પરમાણુ બોમ્બ ફૂટવાનો છે! 1,20,000 ટન ઝેરી કચરો વિનાશ વેરી શકે છે!!