BHAVANAGAR: બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથીની ઉત્સાહભેર ઉજવણી

  • Gujarat
  • January 17, 2025
  • 0 Comments

સમગ્ર ગોહિલવાડમાં આજે બાપા સીતારામનો નાદ ગુંજી રહ્યો છે, પૂજ્ય બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથીની આજે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પુણ્યતિથિનાં આ પાવન દિવસ નિમિત્તે ગુરુ આશ્રમ બગદાણા ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. ગુરુ મંદિર સહિત બગદાણા ધામને આજે શણગારવામાં આવ્યું છે, મંદિર ખુલતા જ જાણે બગદાણા ખાતે દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું, મોડી રાતથી દર્શનાર્થીઓ ગુરુ આશ્રમ પહોંચી રહ્યા છે, ત્યારે બગદાણાધામ ખાતે બાપાનાં સ્વયંસેવકો દ્વારા દર્શનાર્થીઓની ભીડને પહોંચી વળવા સુંદર વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી.

ભાવનગર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ ગુરૂઆશ્રમ બગદાણાધામ ખાતે આજે વહેલી સવારથી જ હજારો ગુરુભક્તો દર્શનાથે પોહચ્યા હતા, માત્ર ભાવનગર જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ જેનું નામ દુઃખીયાઓના બેલી અને ઓલીયા સંત તરીકે વિશ્વવ્યાપી બન્યું છે, એવા સંત શિરોમણીશ્રી પૂ.બજરંગદાસ બાપાની તપોસ્થળી ગુરૂઆશ્રમ બગદાણા ધામ ખાતે બાપાની પુણ્યતિથિ ઉત્સવની હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.

વહેલી સવારે બજરંગદાસ બાપાની આરતી સમયે બાપારામ સીતારામનો જયઘોષ ગુંજી ઉઠ્યો હતો, તો બાપાની પાલખીયાત્રામાં બાપા સીતારામના જયનાદ સાથે હજારો ભાવિકો જોડાયા હતા, જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે સુંદર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, લોકો શાંતિપૂર્ણ રીતે દર્શનનો લાભ લઇ શકે એ માટે ગામેગામથી ઉમટેલા હજારો સ્વયંસેવકો ગુરુદર્શને આવતા શ્રદ્ધાળુઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓમાં ખડેપગે ઊભા રહી દર્શનાર્થીઓના પ્રવાહને નિયંત્રીત કરી રહ્યા છે, અહીં લાખો શ્રદ્ધાળુઓના પ્રવાહને પહોંચી વળવા અને દર્શનાર્થીઓ માટે પ્રસાદની વ્યવસ્થા કરવા પંદર દિવસ અગાઉથી જ સ્વયંસેવકો કામે લાગી જાય છે, જેથી લાખો લોકો સાથે બેસી પ્રસાદ ગ્રહણ કરે છે.

 

આ પણ વાંચોઃ અમદાવાદ એરપોર્ટ પર ફાસ્ટ ટ્રેક ઈમીગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામનો પ્રારંભ

Related Posts

Shaktisinh Gohil Valsad GIDC: સરીગામ GIDC જમીન ફાળવણી વિવાદ, શક્તિસિંહ ગોહિલે CBI, ED અને ઇન્કમ ટેક્સ તપાસની કરી માંગ
  • August 6, 2026

Shaktisinh Gohil Valsad GIDC: કોંગ્રેસના પૂર્વ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ (GIDC)માં જમીન ફાળવણી અને વહીવટી પ્રક્રિયાને લઈને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે આરોપ…

Continue reading
Gujarat Farmers Protest: દોઢ વર્ષથી લડતું ગામ ચોરડી, સૌરાષ્ટ્રના 100 ગામોની વીજ કંપની સામે લડાઈ, જામનગરની 3 ગીગા વોટ વીજળી, ખેતી બરબાદ
  • August 5, 2026

Gujarat Farmers Protest: દોઢ વર્ષથી લડતું ગામ ચોરડી, સૌરાષ્ટ્રના 100 ગામોની વીજ કંપની સામે લડાઈ, જામનગરની 3 ગીગા વોટ વીજળી, ખેતી બરબાદ અમદાવાદ દિલીપ પટેલ ગોંડલના ચોરડીયા ગામે ગૌચરની જમીન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Youth Vote India: યુવા મતદારો બદલશે ચૂંટણીનું ગણિત? CJP બાદ ભારતના રાજકારણમાં શું બદલાશે?

  • August 6, 2026
  • 1 views
Youth Vote India: યુવા મતદારો બદલશે ચૂંટણીનું ગણિત? CJP બાદ ભારતના રાજકારણમાં શું બદલાશે?

ED PMLA Cases: રાજ્યસભામાં સરકારનો ખુલાસો, 2025-26માં EDએ નોંધ્યા 1,080 કેસ, દોષસિદ્ધિનો દર રહ્યો અત્યંત ઓછો

  • August 6, 2026
  • 4 views
ED PMLA Cases: રાજ્યસભામાં સરકારનો ખુલાસો, 2025-26માં EDએ નોંધ્યા 1,080 કેસ, દોષસિદ્ધિનો દર રહ્યો અત્યંત ઓછો

Jharkhand Student Protest: JPSC-JSSC ભરતી વિવાદ, 12 દિવસ બાદ સરકાર ચર્ચા માટે તૈયાર, વિદ્યાર્થીઓએ મૂકી પારદર્શિતાની શરત

  • August 6, 2026
  • 5 views
Jharkhand Student Protest: JPSC-JSSC ભરતી વિવાદ, 12 દિવસ બાદ સરકાર ચર્ચા માટે તૈયાર, વિદ્યાર્થીઓએ મૂકી પારદર્શિતાની શરત

Shaktisinh Gohil Valsad GIDC: સરીગામ GIDC જમીન ફાળવણી વિવાદ, શક્તિસિંહ ગોહિલે CBI, ED અને ઇન્કમ ટેક્સ તપાસની કરી માંગ

  • August 6, 2026
  • 9 views
Shaktisinh Gohil Valsad GIDC: સરીગામ GIDC જમીન ફાળવણી વિવાદ, શક્તિસિંહ ગોહિલે CBI, ED અને ઇન્કમ ટેક્સ તપાસની કરી માંગ

Asaram Parole: આસારામને રાજસ્થાન હાઈકોર્ટથી 20 દિવસની નિયમિત પેરોલ, રાજ્ય સરકારના વાંધા ફગાવ્યા

  • August 5, 2026
  • 4 views
Asaram Parole: આસારામને રાજસ્થાન હાઈકોર્ટથી 20 દિવસની નિયમિત પેરોલ, રાજ્ય સરકારના વાંધા ફગાવ્યા

Jantar Mantar Protest: જંતર-મંતર પ્રદર્શનને મદદ કરનાર રેસ્ટોરાં પોલીસના રડાર પર? અનેક સંચાલકોના ગંભીર આક્ષેપ

  • August 5, 2026
  • 7 views
Jantar Mantar Protest: જંતર-મંતર પ્રદર્શનને મદદ કરનાર રેસ્ટોરાં પોલીસના રડાર પર? અનેક સંચાલકોના ગંભીર આક્ષેપ