
Jeet Pabari suicide case:ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાના રાજકોટમાં રહેતા સાળા જીત પાબારીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે.મૃતક સામે તેની પૂર્વ મંગેતરે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી તેથી તે ડિપ્રેશનમાં રહેતો હતો તેવું અનુમાન લાગવાઈ રહ્યું છે.આ ફરિયાદ થઈ તે 26 નવેમ્બર હતો અને તે જ દિવસે તેણે આત્મહત્યા કરી છે.
ગત 26 નવેમ્બર 2024ના રોજ માલવિયા નગર પોલીસ સ્ટેશન ખાતે જીત પાબારીની પૂર્વ મંગેતર દ્વારા જીત વિરુધ્ધ દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી,આમ એક વર્ષ બાદ એટલે કે આજે તા. 26 નવેમ્બર, 2025ના રોજ આત્મહત્યા કરી લીધી છે.
જીત પાબારીએ અમીન માર્ગ સ્થિત પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બેભાન હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ માલવિયાનગર પોલીસ હોસ્પિટલ ખાતે જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.જીત પાબારીએ કરી લીધેલી આત્મહત્યા પાછળનું કારણ એક વર્ષ જૂની દુષ્કર્મની ફરિયાદ હોવાનું મનાઈ રહ્યું છે.
જીત પાબારીએ બુધવાર, 26 નવેમ્બર, 2025ના રોજ આત્મહત્યા કરી છે અને બરાબર એક વર્ષ પહેલાં આજ દિવસે એટલે કે તા. 26 નવેમ્બર, 2024ના રોજ, જીતની પૂર્વ મંગેતર દ્વારા તેની વિરુદ્ધ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. મતલબ જે દિવસે પોલીસ ફરિયાદ થઈ તેજ દિવસે આત્મહત્યા કરી લેતા અનેક તર્ક ઉઠવા પામ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જીતની પૂર્વ મંગેતરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે જીત પાબારીએ લગ્નની લાલચ આપી તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા અને સગાઈ કર્યા બાદ પણ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જીતે સગાઈ તોડી નાખી હોવાનું જણાવ્યું હતુ આ આરોપો બાદ જીત સામે પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી ત્યારબાદ એક વર્ષ પછી ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા બેટ્સમેન ચેતેશ્વર પૂજારાના સાળા જીત રસિકભાઈ પાબારીએ રાજકોટ શહેરના અમીન માર્ગ રોડ પર આવેલા પોતાના નિવાસસ્થાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ભારે ચકચાર મચી ગઈ છે.
આ પણ વાંચો:
Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે










