
Explosive Material Seized From Rajasthan: ભારતમાં મોટા આતંકી હુમલાના કાવતરાના પર્દાફાશ થયા બાદ અને દિલ્હીમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ બાદ સમગ્ર દેશ હાલમાં એલર્ટ પર છે ત્યારે સરહદી રાજ્યોમાં પોલીસ એલર્ટ છે તેવે સમયે રાજસ્થાનમાં શ્રીનાથજી પોલીસે ગેરકાયદે વિસ્ફોટક સામગ્રીથી ભરેલી એક પીકઅપ વાન ઝડપી પાડી છે આ વાનમાં ચેકીંગ દરમિયાન આશરે 10 કિલોમીટર સુધીના વિસ્તારને ઉડાવી શકે તેટલા ભયાનક વિસ્ફોટકો મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.
નાથદ્વારા મંદિરથી માત્ર ચાર કિલોમીટર દૂર મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા હતા.
તેનું ગેરકાયદેસર રીતે પરિવહન કરવામાં આવી રહ્યું હતું. જો તે વિસ્ફોટ થયો હોત, તો તેની અસર 10 કિલોમીટર સુધી થઈ હોત. પોલીસ હાલમાં જપ્ત કરાયેલી સામગ્રીની તપાસ કરી રહી છે.
વિસ્ફોટકો ભરેલી પીકઅપ વાન આમટે વિસ્તારમાંથી નાથદ્વારા તરફ જઈ રહી હતી તે સમયે પોલીસને બાતમી મળતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને વાહનની તલાશી લેતા તેમાં ભરેલો વિસ્ફોટકનો જંગી જથ્થો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી અને સ્થિતિની ગંભીરતા જોઈ આ અંગે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, પીકઅપમાં ભરેલો વિસ્ફોટકનો જથ્થો જો બ્લાસ્ટ થાયતો 10 કીમીના વિસ્તારમાં મોટા પાયે તબાહી સર્જાઈ શકી હોત.હાલમાં પોલીસે વિસ્ફોટ પદાર્થ ક્યાંથી આવ્યો અને ક્યાં લઈ જવાતો હતો તેની ઊંડાણ પૂર્વક તપાસ ચાલી રહી છે.
પોલીસ આ ગેરકાયદે વિસ્ફોટકનો જથ્થો ક્યાંથી અને તેને કયા ઉદ્દેશ્યથી લઈ જવામાં આવી રહ્યો હતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
પીકઅપ વાનના ડ્રાઈવરની પૂછપરછમાં કેટલાક નામો સામે આવ્યા છે,જેમને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
હવે, સવાલ એ થાય છે કે આટલી મોટી માત્રામાં વિસ્ફોટક પદાર્થની હેરફેર થાય છે અને તેની ખબર કેમ પડતી નથી તે મોટો સવાલ લોકોને મુઝવી રહ્યો છે અને આપણું ગુપ્તચર વિભાગ અને આઈબી જેવી એજન્સીઓ કેમ ઊંઘતી ઝડપાઈ રહી છે તે પણ વિચારવા જેવો મુદ્દો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
જો,આ વિસ્ફોટકો તેના મુકામ પર અંજામ દેવામાં સફળ રહયા હોતતો કેટલી મોટી જાનહાની થાત તે કલ્પના માત્ર ધ્રુજાવી દે તેવી છે
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!









