
Bihar Hijab Controversy: મુખ્યમંત્રી નીતિશ કુમારે 15 ડિસેમ્બર (2025) ના રોજ નવ નિયુક્ત આયુષ ડોક્ટરોને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા,નિમણૂક પત્ર આપતી વખતે ખબર નહિ નીતિશ કુમારને શુ થયુ કે તેમણે નુસરત પરવીન નામની મુસ્લિમ મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચી કાઢ્યો.
આ ઘટનાને પગલે ખૂબજ વિવાદ થયો અને વિપક્ષી નેતાઓ નીતિશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યા છે, જ્યારે નીતિશ કુમારની આ હરકત સામે પાકિસ્તાની અન્ડરવર્લ્ડ ડોન શહજાદ ભટ્ટીએ નિતિષને માફી માંગવા ધમકી પણ આપી છે.આ બધા વચ્ચે જે મહિલા ડોક્ટરનો હિજાબ મુખ્યમંત્રીએ ઉતાર્યો હતો તે મુસ્લિમ યુવતી નુસરત પરવીને બિહાર છોડી દીધું છે અને નીતિશની સરકારી નોકરીને ઠોકર મારી દીધી છે.
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે નુસરતને નીતિશ કુમારની આ હરક્તથી તે આઘાતમાં સરી પડી છે.તેની સાથે જે બન્યું તેનાથી તે વ્યથિત છે કારણકે જ્યારે તેનો હિજાબ ઉતારી લેવાયો ત્યારે આસપાસ ઉભેલા કેટલાક હસતા હતા ત્યારે એક છોકરી તરીકે પોતાનું અપમાન થયાની લાગણી અનુભવી હતી અને વ્યથિત થયેલી નુસરતે પહેલા પોતાના ભાઈને આ ઘટના વિશે જણાવ્યુ હતું અને પછી મમ્મી-પપ્પા પાસે કોલકોતા જવા નીકળી ગઈ હતી તેને લાગેલા આઘાતને કારણે તે હવે બિહાર જવા માંગતી નથી અને કામ ન કરવાનો નિર્ણય લીધો છે.
નોંધનીય છે કે હિજાબ વિવાદ બિહાર સહિત અન્ય રાજ્યોમાં પણ વધુ ચર્ચામાં છે અને નીતિશ કુમારને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.બીજી તરફ મુસ્લિમ સમુદાયે પણ આ ઘટનાને વખોડી કાઢી છે.
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?








