Aravali Mountains:હાલમાં ભારતના અતિ પ્રાચીન અરવલ્લી પર્વતમાળા બચાવવા પર્યાવરણ પ્રેમીઓ આગળ આવી રહયા છે અને સોશ્યલ મીડિયા ઉપર આ પ્રકરણ હાલ ટ્રેન્ડમાં છે જેમાં લોકો જોડાઈ રહયા છે અને અરવલ્લી બચાવો અભિયાનમાં સમર્થન કરી રહયા છે.
આપને જણાવી દઈએ કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચુકાદામાં અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે, જેમાં 100 મીટર કે તેથી વધુની ઊંચાઈ ધરાવતો વિસ્તાર જ અરવલ્લી પર્વત શ્રેણીમાં ગણવામાં આવશે.આ ચુકાદાથી 90 ટકાથી વધુ પર્વતો પર જમીન અને ખનિજ ઉત્ખનન દ્વારા નાશ થવાની શક્યતા ઉભી થઈ છે.
જો સરકાર દ્વારા આડેધડ માઇન્સને મંજૂરી આપવામાં આવી તો વન વિનાશ, ખનનથી જળસ્તર ઘટવાની ભીતી, માનવ અને વન્ય જીવ વચ્ચે સંઘર્ષ વધી શકે, જમીનની ઉર્વતા ઘટવાનો ખતરો તેમજ હવામાનનું અસંતુલન પણ થવાની દહેશત પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ એક ગંભીર સમસ્યા ઉભી થઈ છે ત્યારે The Gujarat Report ઉપર વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે જાણીતા પર્યાવરણવાદી મહેશભાઈ પંડ્યા સાથે વાત કરી હતી જે વિસ્તૃત ચર્ચા અત્રે પ્રસ્તુત છે.The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?








